Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 203
________________ ચારિત્રમોહ ૩૪૩ અમે ઉપયોગમાં હોઈએ. એ અમારી જે વિધિઓ અમે કહીએ છીએને, એ બધો ઉપયોગ જ છે. બે-ત્રણ કલાકની બપોરે વિધિ હોય, બે કલાકની સાંજે હોય, કલાકની સવારમાં હોય, બધી આખા દહાડાની વિધિ. પ્રશ્નકર્તા ઃ ઉપયોગ વગર ઉપશમ ને ઉપયોગ સહિત ક્ષાયક એવું થયુંને ? દાદાશ્રી : આપણે ઉપયોગ વગરેય ક્ષાયક જ છે આ, ક્ષાયક દર્શન છે. ક્ષાયક જ્ઞાન કરવા માટે ઉપયોગ કરવાની જરૂર એ ક્ષાયક જ્ઞાન થાય ત્યારે ક્ષાયક ચારિત્ર થાય. વિષમભાવે અશુદ્ધ, સમભાવે શુદ્ધ ! ચારિત્રમોહનીય એટલે સમભાવે નિકાલ કરવાનો. સમભાવે નિકાલ કર્યો એટલે એની શુદ્ધતા થઈને ગયો. શુદ્ધતા થવી જોઈએ. વિષમભાવ કર્યો છે એટલે આ અશુદ્ધ થયેલું છે. હવે સમભાવે નિકાલ કરો એટલે શુદ્ધ થઈ જાય. વિષમભાવે ભેગું કરેલું છે. આ છે તે ચારિત્રમોહનીય, એ આપણી માલિકી હોય. એ તો દાદાને સોંપી દીધેલી છે. આપણે જોવાની છે. જેટલી ચારિત્રમોહનીય શુદ્ધ દ્રષ્ટિથી જોઈએ એટલી જ ચારિત્રમોહનીય ચોખ્ખી થઈ જાય અને જેટલી રહી જાય એટલી ફરી પાછી ચોખ્ખી કરવાની રહે. તમારે રહી જતી નથીને ? પ્રશ્નકર્તા : કોઈ વાર રહી જાય, દાદાજી. દાદાશ્રી : એમ.... તો ક્યારે જોશો ? થશે એ ? પ્રશ્નકર્તા : બીજીવાર કરવું પડશે, દાદા. બીજું શું થાય ? દાદાશ્રી : એટલે રહી જાય, તે આવતે ભવ બાકી રહે. એ કંઈ બહુ મોટા અવતાર માગતું નથી. ચારિત્રમોહતો ત થાય તિરસ્કાર ! ક્ષાયક સમકિત હોય અને વર્તન વાંકું હોય કે સીધું હોય તોય પણ એ ચારિત્રમોહ છે. શાસ્ત્રની વિરુદ્ધ હોય તોયે ચારિત્રમોહ છે અને આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) શાસ્ત્રને અનુકૂળ હોય તોયે એ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ એટલે આ મોહ દેખાય છે મોહ જેવો, પણ એ ચારિત્રમોહનીય છે. ચારિત્રમોહનીય એટલે ખસેડ્યો ખસેડી શકાય નહીં અને ગ્રહણ કરેલો ગ્રહણ કરી શકાય નહીં. એનો તો ઉકેલ લાવવાનો છે ને નિકાલ કરી નાખવાનો. કારણ કે રાજીખુશીથી ભરેલો માલને ! હવે તિરસ્કાર કરાય નહીં. હવે કડવો લાગ્યો. પણ ભરતી વખતે મીઠો જ છે એવું માનીને જ ભરેલુંને ? એટલે આ ભાઈનો માલ ભરેલો તે જુદો, તમે ભરેલો માલ તે જુદો પાછો. આ કંઈ નવી જ જાતનો માલ ! પેલાનો છે એ જુદો, આનો જુદો એવું બધાં જુદાં જુદાં ! મનેય ખબર પડે કે અહીં આગળ આવો માલ છે. પણ હવે કોઈ ઘરાકી નહીંને, નહીં તો હુંય બતાવું કે ભઈ, જા ત્યાં આગળ કકરો માલ મળે છે. પણ હવે એ વેચાતોય નથીને ! ૩૪૪ પ્રશ્નકર્તા : દાદા, ઉપકાર છે એમાં. આ અમારો ચારિત્રમોહ નીકળે છે. દાદાએ મોહનું મૂળીયું તો કાઢી નાખ્યું ! દાદાશ્રી : બસ, ચારિત્રમોહ નીકળે છે. આ મોહ એ ચારિત્રમોહ. પ્રશ્નકર્તા : અમે દાદા પાસે એ જ વિનંતી કરવા આવીએ કે ચારિત્રમોહ નીકળવાની ઝડપ થાય, એટલું જ કહીએ છીએ. એ ઝડપ ન થાય, દાદા ? દાદાશ્રી : હા, એટલે ફિલ્મ જલદી પૂરી થઈ જાય તો જોનારે ઊઠીને ઘેર જવાનું ! પ્રશ્નકર્તા : આ જે આપે વાત કરીને કે આ બધા પ્રશ્નો પૂછીએ છીએ, ભેગા થઈએ છીએ એ બધો ચારિત્રમોહ છે. મને તો એવો વિચાર આવતો હતો કે આ બધું જે આપણને થાય છે, રાગ-દ્વેષ થાય છે, એ બધી આપણે જે વાતો કરીએ છીએ, પ્રશ્નો પૂછીએ છીએ, પણ રીત તો છે કે આપણે જે દશામાં જવું છે, એમાં આ બધું તો કશું હોય જ નહીંને ? આ બધાથી પર જ છેને એ વસ્તુ ? દાદાશ્રી : હા, પર છે. છતાંય છે તે આ આવ્યું હોય તો ખસેડવું

Loading...

Page Navigation
1 ... 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251