Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 221
________________ પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ? કરીએ છીએ, આ બધું થાય છે તો વ્યવસ્થા જેવી વસ્તુનો આપણે વિચાર ન કરવો જોઈએ કે પછી એ વ્યવસ્થિત જ ગણવું ? ૩૭૯ દાદાશ્રી : છે જ વ્યવસ્થિત. જેટલી લાઈનો ચીતરશો એ બધી ભૂંસી નાખવી પડશે પાછી. આપણે ચીતરી ને આપણે ભૂંસવાનું થશે. પણ ભૂંસવું સારું એક ફેરો. એ ફરી ભૂલ ના થાય ને એવી. પ્રશ્નકર્તા : બાકી એક વસ્તુ નિર્વિવાદ છે કે આપના પ્રસંગની અંદર જે બધા આવીને બેસે છે અને પછી એ જે આપને સાંભળે છે ને તે વખતે જે બધાનો ઉલ્લાસ હોય છે ને ‘દાદા ભગવાનના અસીમ જય જયકાર હો' બોલે છે એ જોઈને ભલભલા માણસો આવીને બધા તિ થઈ જાય છે. દાદાશ્રી : એ તો આવું બધું જોવાનું. પ્રશ્નકર્તા : કે આવું ટોળું કે આ પ્રકારનું તો... દાદાશ્રી : એને આવું જોવામાં જ ના આવ્યું હોય ને ! પ્રશ્નકર્તા : એ બાબતમાં કશું કોઈને કહી શકાય એવું નથી. દાદાશ્રી : આવી દુનિયા જ જોવામાં ના આવી હોય. પ્રશ્નકર્તા : પણ દાદા, એ બધું અમે જ્યાં સુધી લાવીએ બધાને કે હવે આ બધું જુઓ તો પહેલાં જે પેલું વાંચેલું છે ને, ત્યાં મુશ્કેલી પડી જાય છે. દાદાશ્રી : એ તો એમને કહી દેવું જોઈએ કે આ માલ આવો છે. અહીં વીતરાગતા જોવા જેવી છે અને ખાસ અડચણ આવે તો મને કહેજો કહીએ, બસ. નહીં તો અડચણોનું સંગ્રહસ્થાન છે આ. આ ટોળું જુદી જાતનું છે. અને તે ટોળું સરસ કામ કરે છે ને ! જુઓને, ત્યાં જમતું હતું તે કોઈ દહાડો કકળાટ-બકળાટ છે કશું કોઈ જાતનું ? કકળાટ-બકળાટ હોય નહીં ! ३८० આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : તો આવાં જે અમને ઉછાળા આવે છે આ સંસ્કારને લીધે તો એનું શું કરવું ? દાદાશ્રી : આ બધો ભરેલો માલ છે. બીજાને ભરેલું ના હોય. કશું કરવાનું રહ્યું નહીં, મહીં જે છે એ થશે. નવું આવવાનું નથી. પ્રશ્નકર્તા : એ દાદા ખરું, પણ આ બધું પી.એચ.ડી.ની વાત થઈ. પણ આપણે તો આ બધા પાછાં પાઠશાળાવાળાઓને બધાને ભેગા કરીએ છીએને આ પ્રસંગે. દાદાનું વિજ્ઞાન બધા સમજે, દાદાનું વિજ્ઞાન બધા સાહિત્યકારો સમજાવે, હવે પી.એચ.ડી.નું એમની પાસેથી વર્તન કેવી રીતે એસ્પેક્ટ થઈ શકે ? દાદાશ્રી : એમને કહી દેવું કે ભઈ, અહીં વીતરાગતા જોવા જેવી છે. જે બહાર જગતમાં જોશો, એના કરતાં જુદી જ જાતનું જોવામાં આવશે. અહીં પ્રેમ જોવાની જરૂર છે. તમે ખોળશો, એનો ઉકેલ ના હોય. પ્રશ્નકર્તા : પણ આ બહારના માણસો જે છે, તે હવે આવું પૂછે છે તે વખતે કેટલુંક મનમાં એમ થઈ જાય છે કે આ લોકો આવું જ અહીં જોઈ ગયા. બીજું કંઈ જોવાનું ના મળ્યું એમને ? દાદાશ્રી : એ તો પણ એની દ્રષ્ટિ એવી છે, ત્યાં સુધી શું થાય તે ? એમાં એનો શો દોષ બિચારાનો ? દ્રષ્ટિ જ વાંકી છે, તો વાંકું જ જુએને ! એ તો આપણને આનંદ થાય કે એની પાસે જે છે એ જુએ છે. તેથી નો લૉ - લૉ કહ્યું છે ને ! કોઈ જાતનો લૉ વગરનો લૉ છે આ. તમને પોતાને જ્ઞાન ફાવે છે કે નહીં ફાવતું ? પ્રશ્નકર્તા : દાદા, એનો તો વિકલ્પ જ નથી આવતો. દાદાશ્રી : હા, તો પછી આપણે એટલું જ જોઈ લેવાનું. બીજાને જોવાની દ્રષ્ટિ જ ક્યાં છે ? એની દ્રષ્ટિ વાંકી હોય તો મારી જોડે ય નથી ફાવતું ને ! અહીં તમે તેડી લાવો ને, એની દ્રષ્ટિ વાંકી હોય તો મારી જોડે ના ફાવે. એ તો જાણો છો ને તમે, એ તો મારી જોડે ફાવે એ સાચું !

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251