Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 219
________________ પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ? ૩૭૫ ત જોશો ડિસિપ્લીન, પણ જો જો વીતરાગતા ! પ્રશ્નકર્તા : એક વાત જરા, હૃદય ખોલવાનું મન થાય છે કે આપની ઉજવણીના પ્રસંગો બધા ઊજવાય, જન્મદિવસ ઊજવાય છે, આ બધા પ્રસંગો ઊજવાય છે, એ ઉજવણી કરનારાના બહુ અતિશય ભાવો હોય છે. આવનારના પણ અતિશય ભાવો હોય છે. પણ છેક છેલ્લા ટાઈમે એવું થઈ જાય છે કે કોઈ વ્યવસ્થા સચવાતી જ નથી બિલકુલ, ગેરવ્યવસ્થા એવી થઈ જાય છે કે અમે કોઈ માણસને બહારથી જે બોલાવીએ છીએ કે ‘આવો, આ પ્રસંગે આવો, તો આ ગેરવ્યવસ્થા જોઈને એ કંઈક જુદા વિચારો લઈને જતાં રહે છે. દાદાશ્રી : ખરી વાત છે. પ્રશ્નકર્તા : એટલે હવે એને માટે દાદા, શું કરવું ? દાદાશ્રી : એવું થઈ જાય, એનું કારણ શું કે આમાં જશ ને અપજશની પડેલી નથી. આ તો સમભાવે નિકાલ કરે છે. એટલે બહાર ખરાબ દેખાશે કે નહીં એ પડી નથી. પ્રશ્નકર્તા : દાદા, આ તો બહુ ઊંડી વાત છે ! દાદાશ્રી : એ હું જાણુંને, કે આ શાથી નથી થતું. તો હવે આમાં શી રીતે પહોંચી વળવું ! એ સ્વભાવ તો છૂટવાનો જ નથી ને, એને છોડીને આપણે શું કામ છે ? જે બન્યું તે કરેક્ટ, એના બીજા ફાયદા ય હશે ને ! નિકાલ કરીને હેંડે એટલે પછી આ બાજુ જોવાનું નહીં. અને પેલામાં તો ઠેઠ સુધી એવું હોય કે મારું નામ વગોવાય, મારું એ થાય, ખરાબ દેખાઈશ. સમજાયુંને આ, મૂળમાં આ ખોડ છે. પ્રશ્નકર્તા : આનાથી તો દાદા, ઘણો ઘણો અમને ઉઘાડ થયો આ વાતથી તો. દાદાશ્રી : ના. એટલે હું સમજી ગયેલો કે આ ખોટું શું છે તે ! તેને ધકેલવા કરેલું, પણ આ ખોડ શું છે તે અમે સમજી ગયેલા. પણ એ ખોડ તૂટે એવી ન્હોતી. આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) પ્રશ્નકર્તા : એ ખોડ તૂટે એવી નથી. પણ એના પ્રમાણમાં લાભ તો અતિશય છે, એ વાત બરાબર છે. ૩૭૬ દાદાશ્રી : હા, આપણે કામ સાથે કામ છે ને ! આપણે કંઈ કીર્તિ ને આબરૂ વધારવી છે ? પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા પેલા સંસ્કારો લઈને આવેલાને, તે એ સંસ્કારો કેટલીક વખત એવા ઊંચા થાય કે બહારના માણસોને લાવેલા છે તે એ લોકો પણ પ્રભાવિત થાય. દાદાશ્રી : એ પ્રભાવિત થવાથી કંઈ એ સુધરી જાય છે એવું કશું હોતું નથી. એ તો ખાલી ટચ થાયને આ મહાત્માઓનો તોય બહુ થઈ ગયું. પ્રભાવિત એટલે આમના કાર્યથી પ્રભાવિત થાય, એનો અર્થ જ નહીં ને ! પાસે આવ્યો ને, એ પ્રભાવિત જ થઈ જાય. પ્રશ્નકર્તા : હવે એ જ્યાંથી આવે છે ત્યાં આગળ બીજું કશું નથી હોતું પણ વ્યવસ્થા અને ડિસિપ્લીન એ લોકોની ટોપ હોય છે. દાદાશ્રી : બીજું બધે ય હોય. અહીં એકલું ડિસિપ્લીન ના હોય. પ્રશ્નકર્તા : આ તો બહુ હૃદયની વાત કરી છે. પણ બીજે કોઈ પ્રસંગમાં ગયા હોય તો ત્યાં જોઈએ છીએ ત્યારે એ લોકોની જે ડિસિપ્લીન હોય છે.... દાદાશ્રી : એ બધી બનાવટ છે ને અહીં બનાવટ ના હોય ને ! પ્રશ્નકર્તા : પણ દાદા, અહીંયા એવું બને છે કે કોઈ વ્યક્તિને કોઈ કામ સોંપેલું હોય અને દાદાને જોયા એટલે કામ બાજુ ઉપર મૂકી અને ત્યાં જતા રહે છે, હવે એનું શું કરવું ? તો એવું મારામાં ના થવું જોઈએ ને કે આ દાદાનું કામ હું કરી રહ્યો છું તે દાદા જ છે અહીં આગળ અને મારે ન જવું જોઈએ ત્યાં આગળ. દાદાશ્રી : એવું દરેકની પ્રકૃતિ ના હોય ને ? પ્રશ્નકર્તા : દાદા, પણ આ તો સર્વાંશ એવું થયું છે, પેલી

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251