Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 220
________________ પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ? ૩૭૭ ૩૭૮ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ગોપીઓની માફક થઈ ગયું છે. આ તો ગોપીઓની માફક ધણી ને એનું ઘર-બર બધું મૂકીને એકદમ દોડતી દોડતી બધી જાય, એવી બધાની દશા થઈ ગઈ છે. દાદાશ્રી : પ્લાનિંગ કરે તો ય વાંધો નહીં. પણ તે હોય એટલો જ માલ નીકળવાનોને, બીજો નીકળવાનો નહીં ! પ્લાનિંગ કરો ને તો ય એની પાસે જે માલ છે એટલો જ નીકળવાનો. નવો અહંકાર ઊભો થાય નહીં ને ! દાદાશ્રી : આ આમ જ હોય. આ જે છે ને એ જ જાય છે. સહુ સહુની પ્રકૃતિ પ્રમાણે છે. કોઈ એકલો જ ભાત ખાતો હોય એ કહેશે કે હવે ભાત જ ખવડાવો બધાને, તો શું રહે ? ભાત આપણી પાસે આવે ભાગ્યે ! એ બધું હિસાબ છે તે પ્રમાણે ! અને આપણે કોઈને તેડી લાવીએ ને, તેને ય કહી દેવું કે આ લોકોને એવી કંઈ કશી પડેલી નથી, એટલે છેવટે આવું હોય, તેવું હોય, તેને એ જોશો નહીં. જોવા જેવી છે વીતરાગતા એમની પાસે. હા, અહીં તો આવું જ હોય. પ્રશ્નકર્તા : પણ ડિસિપ્લીન રાખવાથી નુકસાન શું છે ? શા માટે ના રાખવી જોઈએ ? દાદાશ્રી : એને માટે કર્તા આત્મા મૂકવો પડે. પ્રશ્નકર્તા: કર્તા મૂકવો પડે ત્યાં આગળ અને એ તો શક્ય જ નથી, આ જ્ઞાનમાં એ શક્ય જ નથી. દાદાશ્રી : અને પેલું તો જે છે એ નીકળે છે. પ્રશ્નકર્તા : આ શંકાનું સમાધાન થઈ ગયું. દાદા. પણ આ પેલા સંસ્કારો છે તે એને ગોદ-ગોદ કર્યા કરે છે. દાદાશ્રી : આ છે એ બરોબર છે. અમે ય હિસાબ કાઢી નાખેલો ને, પહેલાં અમને મનમાં એમ લાગેલું કે આવું અવળું કેમ થાય ? પછી કાઢી નાખેલું આ. આ તો નિવેડો લાવવાનો છે. અહીં તો વીતરાગતા જોવાની છે, પ્રેમ જોવાનો છે. આ લોકોની પ્રકૃતિ કેવી છે, એ કહી દેવી પહેલેથી. ત્યાં તો વીતરાગતા જોવી હોય તો આવો, કહીએ. પ્રશ્નકર્તા: દાદા, એનો અર્થ આપણે આ પ્રસંગ થાય, એને પહેલાં આપણે પ્લાનિંગ કે સિસ્ટમેટિક ગોઠવવાનું ન કરવું જોઈએ ? પ્રશ્નકર્તા : પણ દાદા, એવું થાય છે કે આ વ્યવસ્થાનું મને કામ સોંપ્યું કે તમારે અહીં આગળ ઊભા રહેવું, અને જે કોઈ મહાત્મા કે બહારના જે માણસો આવે, તેને તમારે અહીં આ પ્રમાણે ગાઈડ કરવા. પણ હું દાદાને જોઉં છું ને એટલે વ્યવસ્થાને ત્યાં વ્યવસ્થિતને સોંપી દઈને, હું તો ટોળામાં ભળી જઉં છું દાદાની સાથે. દાદાશ્રી : એ તો વાજાંવાળાને જ્ઞાન આપી દો ને તો વાજાંવાળા હઉ આવતા રહે. હું કહું આપણે તો આ વટેમાર્ગ જુદી જાતના છે અને પેલા જુદી જાતના છે. પ્રશ્નકર્તા : દાદા, એ વાત આપની તો હૃદયમાં બેસી ગઈ છે. દાદાશ્રી : એટલે લોકો મને કહે કે તમારા ભક્તો એડવાન્સ થયેલા નથી. ત્યારે મેં કહ્યું, એડવાન્સ હજુ થવાના છે. આપણે તો મોક્ષ સાથે કામ છે ને, આપણે બીજું કશું કામ જ નહીં ને ! પ્રશ્નકર્તા : લોકકલ્યાણ કરવા માટે જ્યારે આપણે નીકળીએ છીએ ને એ આપણી જે ભાવના છે તો પછીથી આની અંદર એ હિસાબે જે બધા આવે છે એ જો આવી વ્યવસ્થાનો આવો ભાગ જોઈ જાય તો લોક કલ્યાણની પ્રવૃત્તિને પછી વેગ મળે કે પછી ત્યાં આગળ અમારે બીજો કંઈક વિચાર કરવો પડે ? દાદાશ્રી : આપણી ભાવના જોઈએ, લોકકલ્યાણની ક્રિયા નહીં. આ બીજી ક્રિયા તો મહીં જે માલ ભરેલો છે તે જ નીકળશે. માલ ભરેલો તે નીકળે કે બીજો ? પ્રશ્નકર્તા : એ જ નીકળેને, દાદા. પણ એક પ્રશ્ન એ થાય છે કે જ્યારે આવું સંમેલન ભેગું થાય, જ્યારે બધી પ્રકૃતિઓને આપણે ભેગી

Loading...

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251