Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 208
________________ ૩૫૪ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) દાદાશ્રી : વ્યવહારમાં પ્રગટ થતાં વાર લાગશે ! કારણ કે તમારો આચાર જે છેને, એ આચાર બદલાય નહીં તમારો, એટલે વાર લાગે. અમારે આચાર બધા ખલાસ થઈ ગયા હોય એટલે અમારે વાંધો નહીં. પણ તમે મારા જેટલા જ જ્ઞાની, પણ તમારો આચાર બરોબર ના હોય. પ્રશ્નકર્તા : એટલે આપ જ્ઞાની છો ને પેલા ભાઈએ જ્ઞાની છે, તો એમાં તરતમતા ખરી ? [૬.૨] આચાર સુધારવા ! અક્રમ એટલે આચરણમાં નહીં તે ! પ્રશ્નકર્તા : વીતરાગ વિજ્ઞાન વીતરાગ વિજ્ઞાની પાસે પામ્યા પછી. પૂરી સમજ આવ્યા પછી, સમજ જ્ઞાનમાં પરિણમવાની કોઈ સમય મર્યાદા ખરી ? દાદાશ્રી : સમયની મર્યાદા તો ખરીને ! હંમેશાં જ્ઞાન આપણી પાસે હોય, તેને પ્રગમતાં ટાઈમ લાગે છે. જેમ આ દૂધ હોય, એમાં સહેજ દહીં નાખીએ પછી તરત દહીં માંગીએ તો ના બને. એને માટે છ કલાક કે આઠ કલાક જોઈએ. ના જોઈએ ? એવી રીતે આ સમજ જ્ઞાનમાં પરિણમે એ અમુક ટાઈમ પછી થાય. પ્રશ્નકર્તા : બધાને જુદી જુદી રીતે થાય ? દાદાશ્રી : હા, દરેકને જુદી જુદી રીતે, જેવાં આવરણ. કોઈને બે કલાકમાં ય થઈ જાય અને કોઈને બે વર્ષમાં ય ના થાય. આવરણ ઉપર આધાર રાખે છે. મોહ ઉપર આધાર રાખે છે. દાદાશ્રી : જ્ઞાનમાં ફેર નહીં, આચરણમાં ફેર ! પ્રશ્નકર્તા : તો એ વસ્તુ આચરણમાં લાવવી બહુ કઠિન કામ છે ? દાદાશ્રી : આચરણમાં લાવવાનું હોય જ નહીં. અક્રમ એટલે આચરણ નહીં. એ અનુભવ તો એની મેળે આવ્યા જ કરે. કારણ કે આ ડિસ્ચાર્જ છેને, તે નિકાલ જ કરવાનો છે. બીજું કશું કરવાનું નથી ! અમે શું કહીએ કે એમના આચાર ભણી ના જોશો. એમને પલ સોલ્વ થયેલું છે. જે મનના વિચાર, વાણીના ઉચ્ચાર અને દેહના આચાર એ બધાં છે તે એ ડિસ્ચાર્જ વસ્તુ છે. ડિસ્ચાર્જ વસ્તુને કોઈ માણસ ફેરવી શકે નહીં અને ચાર્જ વસ્તુ જુદી છે. ચાર્જ એ બદલી શકાય. આચારવિચાર-ઉચ્ચાર ન બદલી શકાય. કારણ કે ડિસ્ચાર્જ છે એ. આપણા લોકો ડિસ્ચાર્જને જો જો કર્યા કરે છે. ત વટવું પડે વિજ્ઞાનના કારણે કેટલાય જણને આ જ્ઞાન આપેલું છે. કોઈનેય વઢતો નથી. તમારા આચાર ઊંધા દેખાય તો ય હું વટું નહીં. કારણ કે આચાર તો જ્ઞાન થશે ત્યારે ફેરફાર થશે. અત્યારે આ તો સમજણ પડી છે ને ? સમજીને શમાવાનું છે. મારી પાસે બેસી બેસીને સમજ સમજ કરવાનું. બે રસ્તા, એક ઊંધો ને એક છતો. છતે રસ્તે આવ્યા પછી બીજું શું થવાનું ? ઊંધું શી રીતે થવાનું ? બીજો રસ્તો જ નથી ત્યાં આગળ. ઊંધા રસ્તાથી તમે વિરુદ્ધ ચાલ્યા છો. પહેલાં જે રસ્તે ચાલ્યા હતા, તે ઊંધો પ્રશ્નકર્તા : આ જ્ઞાન મહાત્માઓને આપ્યું. તો હવે એના આચરણમાં આ જ્ઞાનનું પ્રગટીકરણ કેટલું થવું જોઈએ ?

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251