Book Title: Aptavani 12 P
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 198
________________ ચારિત્રમોહ ૩૩૩ ૩૩૪ આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ખાયા કરે, શાસ્ત્રોમાં તો. આપનું એક વાક્ય છે, જ્ઞાની પુરુષના જ્ઞાનથી દર્શનમોહ જાય અને આજ્ઞા પાળવાથી ચારિત્રમોહ જાય. દાદાશ્રી : ખરું છે, આ બેઉ રહે તો કામનું. તમે જો ચારિત્રમોહને પકડો તો તમારો, ને ના પકડો તો તમારો નહીં. તમે જ્ઞાતા-દ્રષ્ટા રહો તો તમારો નહીં અને કહો કે “મને આમ કેમ થાય છે' તો તમારો. જે રીતે ફાવે તે રીતે કરજો. પ્રશ્નકર્તા એ ચારિત્રમોહનીયને જે જાણે છે તે જ ઉપયોગ છેને? દાદાશ્રી : ચારિત્રમોહને જાણવું તે જ ઉપયોગ. જાણે તેને અડે નહીં. વીંટેલું ઉન્ને તે ચારિત્રમોહ ! પ્રશ્નકર્તા : દાદા, એટલે દર્શનમોહ ગયા પછી ચારિત્રમોહ છે એ તો આપોઆપ ડિસ્ચાર્જ થયા જ કરે ? દાદાશ્રી : ચારિત્રમોહ એટલે જે મોહ પરિણામ પામેલો છે. એટલે ઓગળ્યા જ કરે એની મેળે, તમારે કશું કરવું ના પડે. તમારે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું જોઈએ. તમે તમારા સ્વભાવમાં રહો તો તમને કશો વાંધો નથી. વકીલ વકીલાત કરે અને તે લોકો કહે, આ વકીલ વકીલાત કરે છે. શી રીતે એને ચારિત્રમોહ કહેવાય ? હું કહું કે એને જ ચારિત્રમોહ કહે છે. જેવો વીંટ્યો હતો તેવો ઊકલે. વાંકો વીંટ્યો'તો, તો વાંકો નીકળ્યો. સીધો વીંટ્યો'તો, તો સીધો નીકળ્યો. પણ વીંટ્યો'તો તે એવો નીકળે. કેટલા ભગવાન ડાહ્યા ! આમાં અપવાદ મુક્યા હોત તો મુશ્કેલી ઊભી થાતને ? ત્યારે કહે, જેવો વીંટ્યો’તો એવો. વકીલાત કરીને જૂઠો કેસ હતો તો તેને સાચો કરી નાખ્યો. અલ્યા ભઈ, સાચો કરી નાખ્યો. પણ વીંટ્યો'તો એવો મોહ છે. તેય પણ એ તો પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે. આજે એની માલિકી ધરાવતા નથી, પછી શી જવાબદારી ? એટલે જ્ઞાતા-દ્રષ્ટા રહે તો કશું છે નહીં. વાંકો-સીધો તમ જેવો ભર્યો હોય તેવો. વાંકો હોય કે સીધો હોય, અને વાંકો-સીધો આ જગતનાં બુદ્ધિની અપેક્ષાએ છે, સમાજ વ્યવસ્થાની અપેક્ષાએ છે. બાકી ભગવાનને ત્યાં તો, આ વાંકો ને આ સીધો એવું કશું હોતું જ નથી. સીધું-વાંકું તો આપણને અનુકૂળ ના આવ્યું એટલે વાંકું કહ્યું અને આપણને અનુકૂળ આવ્યું અને આમ સીધું કહ્યું. આપણને અનુકૂળ ના આવતું હોય, તે બીજાને અનુકૂળ આવતું હોય માટે કંઈ આપણું આ વાંકું કહેવાય ? એ તો સહુ સહુનો હિસાબ છે. કલ્પના જ છે એક જાતની. વાંકા અને સીધાથી તમારી દ્વન્દાતીત દશા થઈ છે. એટલે તમારે તો ખાલી જોવાનું. દાદાની આજ્ઞા જ પાળવાની. બીજું કંઈ નહીં જોવાનું. જે આવે એ, કચરો હોય કે સારું હોય. જેવી પરીક્ષા આપી'તીને એવા માર્ક આવ્યા છે. એ જોયા કરવાનું. પરીક્ષા આપતી વખતે દાદાને પૂછીને ન્હોતી આપી. તમે તમારી મરજીથી આપી'તી ! પ્રશ્નકર્તા : પણ હવે પરીક્ષા પછી આ તમારી સિફારસ ચાલને ? જે કરતાં હોય એ, પાસ થવાની, માર્ક મૂકવાની. દાદાશ્રી : ના. પણ હવે જે તમે નવું કરી રહ્યા છો, એ મારી પાસે છે. પહેલાંનું કરેલું તે તો આવી રહ્યું છે, તે જોયા કરો. એટલું જ મેં કહેલું છે. પછી તમને બંધન નથી એમ હું કહું છું ! ચારિત્રમોહ એટલે આપણે ત્યાં પ્રારબ્ધ કહે છેને ! પ્રારબ્ધ એકલું રહ્યું એવું કહે છેને ? એ ચારિત્રમોહ. પ્રારબ્ધ ભોગવવાનું રહ્યું. એ જ્ઞાતાદ્રષ્ટા રહીને ભોગવ. પ્રશ્નકર્તા : એટલે જે વીંટાળીને લાવ્યા છીએ એ ઉકેલ આવે છે. એને ચારિત્રમોહ કહેવાનો ? દાદાશ્રી : હા. જે માલ વીંટાળીને લાવ્યા છોને એ પાછો ઉકલે, એને ચારિત્રમોહ કહે. અને ભગવાન કહે છે, ‘પાછો ઉકલે એમાં રાગ-દ્વેષ ના કરીશ ને જ્ઞાતા-દ્રષ્ટા રહે'. ઉક્લે ડિઝાઈન પ્રમાણે... પ્રશ્નકર્તા : એટલે વર્તનમોહ અહંકારનો કહેવાય ? એ કોનો કહેવાય ? દાદાશ્રી : અહંકારનો જ, બીજા કોનો ? શુદ્ધાત્મા તો જુદો છે જ

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251