Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 13
________________ આંતરવૈભવ બનવાનું છે ઘણાના જીવનમાં તે બીજ જ વવાયાં નથી, અને બગીચાના સ્વામી થઈ બેઠા છે. અલબત્ત ઊગ્યાં હશે થોરિયા, - કાંટાળાં ઝાડ કે સુગંધ વગરનાં કરેણ. એને માટે બગીચે માની બેઠા છે. થેરિયા, કાંટાળાં ઝાડ કે કરણ એ બગીચે નથી. બગીચે એ જુદી વસ્તુ છે. બગીચે થાય તો જીવન જ જુદુંબની જાય છે. આપણામાં જ્યારે અભીસાને છોડ લગી નીકળે . છે ત્યારથી એમ લાગે કે નવજીવન હવે શરૂ થાય છે. અભીસા જાગતાં સામાન્ય જીવન જીવવું જ ન ગમે. અસામાન્યતાની ભૂખ જાગે છે. પાર્થિવ નહિ, પાર્થિવ બનવું છે. આ સ્થળ જીવનમાં દિવ્યત્વ પ્રગટાવવું છે. - - જીવનના બગીચામાં આવી ભાવનાના છોડ ખીલવા જોઈએ. આ જીવનવૃક્ષની નિશાની છે. ભાવનાની આ કંપળ જેમ જેમ વધતી જાય તેમ તેમ વૃત્તિ અને દષ્ટિ બદલાતી જાય. થોડા વખત પહેલાં વિનોબા ભાવેને મળવા એક અમેરિકન આવેલા. વાતવાતમાં એમણે કહ્યું : “તમે તો પદયાત્રા કરી છે પણ અમેરિકા તો એટલું બધું પ્રગતિ કરી રહ્યું છે કે આવતા વર્ષોમાં એવાં મોટાં તોતિંગ મકાન તૈયાર થશે જેમાં જીવનની જરૂરિયાતો એ બિલ્ડિંગમાંથી જ પૂરી થશે. ૮૦ મે માળે જન્મેલો બાળક ૮૦ વર્ષ જીવે તો પણ એને નીચે ઉતરવાની જરૂર જ ન પડે એવી સગવડ અમે કરી આપવાના છીએ. કેટલો વિકાસ ! કેવાં અધતન સાધનોથી એ બિલ્ડિંગ સમૃદ્ધ હોવું જોઈએ એની કલ્પના તમે જ કરે !” વિનેબાએ હસીને એક જ વાકય કહ્યું : “૮૦ વર્ષ સુધી જીવે અને ૮૦ વર્ષ સુધીના જીવનમાં એ જન્મેલા માણસને જીવનભર નીચે તરવાને પ્રસંગ પણ ન આવે એવી રચના જો તમે કરી શકે તે એટલું જરા કરી છે કે માણસ જ્યારે મરી જાય ત્યારે પણ એને નીચે ઉતાર

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130