Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 44
________________ આંતરવૈભવ વિચારોને પલટાવવાના છે. વિચારમાં ત્રણ તત્ત્વ લાવવાનાં છે; સત્ય, શુભ અને સુંદર; truth, goodness અને beauty આ ત્રણે, વિચારોનું સુરૂપ છે. આપણા વિચારમાં સત્ય રમતું હોય તે જ જીવન સત્યમય બને. પણ વિચારે અસત્ય હાય અને ઉપરથી આવરણ સત્યનું કરવા જાઓ તે દંભ બને. અંદરનું વ્યકિતત્વ બહાર આવવા પ્રયત્ન કરે અને તમે ઉપરથી આચરણનું દબાણ કરે તો દંભની વિક્રિયા સિવાય શું થાય ? અબ્રાહમ લિંકનના જીવનને એક પ્રસંગ છે. એણે વકીલાતની શરૂઆત કરી ત્યારે પ્રારંભમાં ઘરાક ઓછા આવતા. પણ એમણે નકકી કર્યું. મારા ધંધાને હું મારા વિચાર અને આચારથી સુંદર બનાવીશ. ધંધે ખરાબ નથી. જે માણસ ધંધાને અપનાવે છે. એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા અને કીર્તિને આધાર છે. દરેક ધંધામાં ખરાબ તત્વ મળી આવવાનું અને ધ્વગામી તત્વ પણ મળી આવવાનું. પછી એ વકીલ હૈય, ડોકટર હોય, એન્જિનિયર હોય કે વ્યાપારી હૈય. ધંધે નહિ પણ ધંધે ચલાવનાર વ્યક્તિ કેણુ છે એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા આધારિત છે. : લિંકને નકકી કર્યું: “મારે ધંધે મને નીચે નહિ પડે પણ હું. ધંધાને ઊંચે લાવીશ.” કે એમની પાસે એક માણસ આવ્યોઃ “મારે એક માણસ પાસેથી અઢી ડોલર લેવાના છે, એ માટે તમારે મારે કેસ . લઢવાને છે.” “અઢી ડૉલર ?” “હા, અઢી ઑલર. મારે એનું અભિમાન તોડવું છે. અઢી ડોલરને પ્રશ્ન નથી પણ એ - માથું ઊંચું રાખીને ફરે છે, મને સામે મળે તો નમતો ય

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130