Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 92
________________ આંતરવૈભવ ८७ બાળપણની એ કવિતા સાંભરે છે ? Work while you work and play while you play. ભણવા બેસે ત્યારે ભણવા માંડજે અને રમવા બેસે ત્યારે રમવા માંડજે. રમે ત્યારે ભણવાના વિચાર ન કરતેા અને ભળે ત્યારે રમવાના વિચાર ન કરતા. બાળકોની આ શિખામણ પ્રૌઢાને પણ એટલી જ ઉપયોગી છે. માણસ એક કામ કરતાં કરતાં ખીને વિચાર કરે છે. પૂજા કરતાં દુકાનના વિચાર કરે અને માળા ફેરવતાં શાક સમારવાના વિચાર કરે. વિચાર શક્તિને એક દિશામાં વાળવાની આદત નથી. આ પદ્ધતિ ન હેાવાને લીધે જે કાય કરવું એઇએ એ પૂર્ણ નથી કરતા અને ન કરવાના કાર્યના વિચાર કરવા માંડે છે, એના પડધા વ્યાપારમાં, વાતેામાં અને જીવનમાં પડે છે. માટે જ આ વિચારને વિકસાવી મનમાં દઢ કરવાના છે કે હું શક્તિમય છું, ધારું તે હું કરી શકું. મારું શરીર તે! એક ઉત્તમ સાધન છે; પણ અંદર કામ કરનારા તે મારા આત્મા છે. એની પ્રેરણા પ્રમાણે જ આ શરીર કામ કરે છે. એક અંતિ વૃદ્ધ પુરુષ હતા. ખાટલામાંથી ઊભા થવું હૈાય તેt ય નાકર ઊભા કરે તેા જ એ ઊભા થઇ શકે. એવી પરાધીન અવસ્થા હતી. એક દિવસ એ ઘરમાં પહેલે માળે આગ લાગી, ખૂમાબૂમ થઈ. તમને આશ્ચર્ય થાય એવી આ વાત છે. પાંચ માળના બિલિઁડગમાંથી પાંચે માળના દાદરા ઊતરીને પહેલા નીચે આવનાર હાય તે। એ દાદા હતા ! જે ખાટલામાંથી ઊભા ન થઈશકે એ પાંચ દાદરા ઊતરીને કેવી રીતે આવી શકે ? એનું કારણ શરીર નહિ, આત્મા છે.

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130