Book Title: Antar Vaibhav
Author(s): Chitrabhanu
Publisher: Divyagyan Sangh

View full book text
Previous | Next

Page 110
________________ આંતરવૈભવ ૧૦૫ - હાંશિયાર દીકરે વિચાર કરવા લાગ્યો. * પિતાએ કહ્યું: “બેટા, ધ્યાન રાખજે. હું જે કહું છું એ બે શબ્દો ન હોય તે આ બધું ય નકામું છે, આ ફેંકી દેવાનું છે.” “ફેંકી દેવાનું ? બધું ફેંકી દેવાનું ?” “હા, બધું ફેંકી દેવાનું . “પિતાજી, એવી કઈ વસ્તુ છે ?” • એક જ વાક્ય લખ્યું: મનની શાંતિ ! મનમાં શાંતિ ન હોય તો તગડા માણસે હેરાન થઈને ફરતા હોય છે. મગજમાં શાંતિ ન હોય તો પ્રિયજન પણ ન ગમે. પૈસે હોય પણ શાંતિ ન હોય તે એ રઘવાયો થઈને ફર્યા કરે. શાંતિ વગરની આવડત પણ શું કામ આવે ?” સત્તા ગમે તેટલી હોય પણ એની સામે એને ઉથલાવી પાડવાના પ્રપંચે ચાલતા હોય તો એ સત્તા, એ હોદ્દો એને શાંતિ આપે ખરાં ? આખી દુનિયામાં કીર્તિ હોય પણ મનમાં શાંતિ ન હોય તે વિશ્વવ્યાપી કીર્તિ પણ સુખ નથી આપતી !” '. “બેટા, તું દેશ અને પરદેશમાં ભયે, નથી ભર્યો, પણ આટલું કહેવા માગું છું : “બધું લખ પણ પહેલાં મનની શાંતિ (peace of mind) લખ. બધું જોઈએ એ બરાબર પણે બધા પહેલાં મનની શાંતિ જોઈએ. મનની શાંતિ હોય તે આ બધું કામ લાગે. એ ન હોય તો આ બધું કાંઈ જ કામ ન લાગે.” આ વાત સાચી છે, મુદ્દાની વાત જ રહી ગઈ.

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130