________________
x -se s - -
આગમિક-રહસ્ય-વ્યાખ્યાતા, સૂક્ષ્મતત્વપ્રરૂપક આ આગમ-વાચનાદાતા, ધ્યાનસ્થ-સ્વર્ગત કે શ્રી આગમેદ્ધારક આચાર્યદેવશ્રીએ આ તીર્થયાત્રાના શાસ્ત્રીય–રહસ્યના જિજ્ઞાસુ તત્વરુચિ-પુણ્યાત્માઓના આત્મહિતાર્થે લખેલ શ્રી તીર્થયાત્રા સંઘયાત્રા છે
(મહાનિબંધ) જેમાં તીર્થોની છરી પાળતા સંઘ દ્વારા કરાતી-કરાવાતી યાત્રાના વિશિષ્ટ
તની માર્મિક છણાવટ છે. [તપાગચ્છના અજોડ-અનન્ય શાસન-પ્રભાવક, આચાર્ય દેવશ્રી, ગીતાર્થ-મૂર્ધન્ય શાસ્ત્રરહસ્ય પારગામી, શાસન-વિપક્ષ વાદી–વિજેતા, કરૂણા-વારિધિ, ધ્યાનસ્થ-સ્વર્ગત પૂ. આગદ્ધારક આચાર્યદેવશ્રીએ જામનગરના (સં. ૧૯૩) ચોમાસા દરમ્યાન સ્વનામધન્ય શ્રેષ્ઠિવર્ય શ્રી પોપટલાલ ધારશીભાઈએ કાઢવા ધારેલ શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોની સંઘ-યાત્રા પ્રસંગે ભાવિકને યાત્રાના તાત્વિક–સ્વરૂપની માહિતી વધુ પ્રાપ્ત થાય તે શુભ આશયથી સંઘપતિ અને તીર્થયાત્રિકના કર્તવ્યના નિર્દેશથી ભરપૂર આ તાત્વિક મહાનિબંધ “સિદ્ધચક પાક્ષિક (સં. ૧૯૩ વર્ષ ૬ અં. ૪ થી)માં શરૂ કરી ઘણા લાંબા ગાળા સુધી લેખમાળા ચાલુ રહેલ. '
અત્યંત ઉપયોગી આ મહાનિબંધ આગમતના નવા વર્ષના પ્રથમ પુસ્તકથી પ્રકાશિત થઈ રહ્યો છે.
ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૪ર) થી હવે આગળ ચાલે છે.]