Book Title: Agam Jyot 1978 Varsh 14
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 139
________________ આગમતા સાંભળવામાં આવતાં વિચારે બંધાય કે વચને ઉચ્ચારાય તેની. માફી જરૂર માગવી પડે. એટલે કહેવું જોઈએ કે આખા વર્ષની થતી મલિનતા ટાળનારે જે કઈ પણ વખત હોય તે તે આ સંવછરીને વખત છે. આ સંવછરીને ફકત એક દિવસ છે કે જેમાં શ્રીજિનેધરમહારાજના ફરમાનને માનનારે સમસ્ત ચતુર્વિધ સંઘ એક સરખી રીતે તિપિતાના વૈર વિરોધ અને કલેશ-કંકાશની સલશ્રીસંઘની સમક્ષ માફીની આપ-લે કરે છે. અન્ય-સમયમાં એકને માફી માગવાને વિચાર થાય અને બીજાને ન થાય, વળી એકને માફી માગવાને વિચાર કર્યદિવસ થાય. અને બીજાને કયે દિવસ માફી માગવાને વિચાર થાય? અને તેથી પરસ્પરના વૈરવિરોધ અને કલેશ-કંકાશને શમાવવાનું વાતાવરણ ઉત્પન્ન થાય નહિ, પરંતુ આ સંવછરીને દિવસ તે એટલે બધા ઉત્તમ અને નિયમિત છે કે તે દિવસે તે બન્ને પક્ષને શાસ્ત્રોની આજ્ઞાને અનુસારે ફરજીયાતપણે ખમતખામણાં કરવાં અને ઉપશાન્ત. થવા તથા બનાવવાનું કાર્ય કરવું જ પડે છે. ઉપર જણાવેલી હકીક્તને સમજનારો સુજ્ઞ-મનુષ્ય સાંવત્સરિકની મહત્તા સમજવા સાથે અવિચ્છિન–પ્રભાવશાળી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વરમહારાજે જે સંવછરીને દિવસે ખમવા-ખમાવવાની અને ઉપશાન્ત થવા અને ઉપશાન્ત બનાવવાની મહત્તા સમજાવી જે જૈનશાસનમાં ઉપશમની પ્રધાનતા છે એમ ફરમાવ્યું છે તેની મહત્તા બરાબર સમજાશે.

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184