________________
૬૬
દશવૈકાલિકમૂલસૂત્ર-સટીક અનુવાદ નથી. એમ માનીને ભિક્ષા આપવાને સોઈ બનાવે કે સાધુઓની અનુકંપા થાય, તે પ્રમાણે પુન્ય નિમિતે ગૃહસ્થો રસોઈ કરે છે. એવું કોઈ કહે. તેનો ઉત્તર આપે છે - કાંતાર, દુકાળ, જવરાદિમાં તથા સમિમાં એવા મોટા કષ્ટમાં સાધુઓ જે શ્રેષ્ઠ છે, તે
ઓદનાદિ કેમ ખાતા નથી? જો કે તે વખતે ગૃહસ્થો રાત્રિમાં અતિ આદરથી રાંધે છે. પણ ચતુર્વિધ આહારથી વિરત સુવિહિત સાધુ તે આહાર લેતા નથી. • વળી -
• નિર્યુક્તિ - ૧૧૪ થી ૧૧૬ - વિવેચન
(૧૧૪) ઘણાં ગામ - નગરો - દેશોમાં, જ્યાં સાધુ હોતા નથી, છતાં ત્યાં રંધાય છે. કેમકે સંધવું એ ગૃહસ્થોની પ્રકૃતિ છે. આ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે - (૧૧૫) ગૃહસ્થની આ પ્રકૃતિ છે કે ગામ, નગર અને નિગમમાં પોતાના તથા પરિજનને માટે યોગ્ય કાળ સંધે છે. (૧૧૬) ત્યાં તપસ્વી શ્રમણ કે ઉધત વિહારી પરકૃત- પરાનિષ્ઠિત ને ગ્રહણ કરે છે. બીજાના માટે આરંભ કરેલ અને બીજા માટે રાંધેલ, ધૂમરહિત - અંગાર રહિત અથત સગ-દ્વેષ વિના ઓદનાદિ આહારની ગવેષણા કરે છે. શા માટે? મનોયોગ આદિ કે સંયમયોગની સાધનાર્થે, પણ વાણદિને માટે નહીં.
• પ્રક્ષેપ ગાથા - ૧ - વિવેચન
નવકોટિ પરિશુદ્ધ, તેમાં આ નવ કોટિ છે - ન હણે, ન હણાવે, હણનારને ન અનુમોદે. એ પ્રમાણે ખરીદે ફે પકાવે નહીં, આ બઘાંચી પરિશુદ્ધ, તથા ઉદગમ - ઉત્પાદના - એષણા શુદ્ધ. આ વસ્તુતઃ સર્વ ઉપાધિ વિશુદ્ધિ કોટિ જણાવવાનું છે. આવું શુદ્ધ ભોજન શા માટે ખાય ? છ સ્થાનના રક્ષણને માટે. તે આ - વેદના, વૈયાવચ્ચ, ઇર્ચા સમિતિ માટે, સંયમ નિમિતે, જીવન નિર્વાહાર્થે, ધર્મ ચિતાર્થે. આ પણ ભવાંતરમાં પ્રશસ્ત ભાવના અભ્યાસથી અહિંસાના પાલનાર્થે છે - x x-.
• નિયુક્તિ - ૧૧૦ - વિવેચન આ દષ્ટાંત શુદ્ધિ પ્રતિપાદિત કરી. ઉપનય સૂત્રમાં કહે છે. તે આ - • સૂત્ર - ૩ -
એ પ્રમાણે લોકમાં જે મુક્ત સાધુ છે. તેઓ પુષ્પમાં ભમરની જેમ દાન-ભોજનની એષણામાં રત રહે છે..
• વિવેચન - ૩ -
આ પ્રકારે પ્રત્યક્ષ પરિભ્રમણ કરતાં તપસ્વી - શ્રમણો દેખાય છે. પ્રમાણમાં બીજા ધર્મી પણ હોય, જેમ કે -શ્રમણો પાંચ ભેદે છે, નિર્ગસ્થ, શાક્ય, તાપસ, ગરિક, આજીવક. તેથી કહે છે - “મુકા' બાહ્ય અવ્યંતર ગ્રંથીથી. જેઓ અઢીદ્વિીપ અને બે સમુદ્ર પ્રમાણ લોકમાં વિધમાન છે. આના દ્વારા સમય ક્ષેત્રમાં સાધુ સદા વિધમાન છે, તેમ જણાવ્યું. જ્ઞાનાદિને સાધે તે સાધુ.
(શંકા) “મુક્ત' કહેવાથી સાધુ કહેવી જ ગયા, પછી કહેવાની શું જરૂર? (સમાધાન) વ્યવહારથી નિલવો પણ મુક્ય હોય છે. તે સાધુઓ નથી. તેના વિચ્છેદ માટે કહેલ છે. વર્તમાન તીર્થની અપેક્ષાથી આ સૂત્ર છે. અથવા જે લોકમાં સાધુઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org