________________
દશવૈકાલિકમ્બ ન્સટીક અનુવાદ નામન’નું અવનતિકરણ તે બે ભેદ છે - આચારવાનું અને અનાચારવાળ. તેનું પરિણામ અયુક્ત આવે અથવા તો યુકત આવે. તેમાં તિનિશિલતાદિ આચાસ્વાળી છે, એરંડાદિ અનાયાવાળા છે. તિનિશિલતા જેમ વાળે તેમ વળે છે, પણ એરંડાને નહીં એ પ્રમાણે બધે ભાવના કસ્વી. વિશેષમાં ઉદાહરણ કહે છે - ધાવનમાં હરિદ્રા
ક્તવસ્ત્ર આચારવાનું છે, એટલે હળદરથી રંગેલું હોય તે સુખેથી. દોવાય છે. પણ કૃમિ ગવાળું અનાયાર છે, કેમકે તેમાં રંગાયેલ કપડું ધોતાં ન ધોવાય. પાટલા કુસમ આદિ સુગંધીવાળું થાય તે આચારવંત, પણ વૈડૂર્ય રત્નાદિ કશાથી પણ સુગંધીવાળું ન થાય માટે તે અનાયારવાળું છે. ઇત્યાદિ દાંતો - - - જાણવા. આ પ્રમાણેનાં દ્રવ્યો જે લોકમાં છે, તે જ તેના આચાર દ્રવ્યમાં અતિરેકથી દ્રવ્યઆચાર". આચારણ પરિણામના વિવક્ષિતત્વથી દ્રવ્યાચાર છે. ભાવપણામાં પણ ગુણના અભાવથી દ્રવ્યાચાર જાણવો.
દ્રવ્યાચાર કહ્યો. હવે માવાચાર કહે છે - • નિર્યુક્તિ • ૧૮૨ થી ૧૮૮ + વિવેચન -
દર્શનાચાર, જ્ઞાનાચાર, સા»િાચાર, તપાચાર, વીર્વાચાર એ પાંચ ભેદે ભાવાચાર જાણવો. તેમાં દર્શન એટલે સમ્યગદર્શન પણ ચક્ષુ આદિ દર્શન નહીં તે ક્ષાયોપશામિકાદિ રૂપત્નશી ભાવ જ છે. તેથી તેનું આચરણ તે દર્શનાયાર. એ પ્રમાણે બધામાં યોજવું. હવે ભાવાર્થ કહે છે -
નાસાર આઠ ભેદ છે . નિઃશંકિત આદિ. જેનામાંથી શંકા નીકળી ગયેલ છે, તે નિઃશકિત અર્થાત દેશ શંકા રહિત. તેમાં દેશ શંકા આ રીતે - જીવન્ત સમાન છે, તો એક ભવ્ય અને બીજી અભવ્ય કેમ? સર્વ શંકા- પ્રાકૃતમાં બધાં શાસ્ત્રો હોવાથી તે પરિકલ્પિત જ હશે. પણ વિચારતા નથી કે ભાવો હેતુથી ગ્રાહ્ય છે, અહેતુથી અગ્રાહ્ય છે. તેમાં હેતુગ્રાહ્ય તે- જીવ અસ્તિત્વ આદિ. અહેતુગ્રાહ્ય તે ભવ્યત્વ આદિ, કેમકે અમારા જેવા ઇંદ્રિયાનીઓને તે હેતુનું પ્રાકૃષ્ટ જ્ઞાનનું ગોચરત્વ ન થઈ શકે. પ્રાકૃતમાં ચવાનું કારણ પણ બાધા આદિ સાધારણ માટે છે. તે દષ્ટ, ઇષ્ટ અને અવિરુદ્ધ છે. તે માટે આવશ્યકમાં પેયનું દષ્ટાંત જાણવું. નિઃશંકિત જીવ જ અહંત શાસન પ્રતિપન્ન છે. તે દર્શનના આચરણના પ્રાધાન્યની વિવક્ષાથી દર્શનાચાર કહેવાય છે. અહીં દર્શન અને દર્શનીનું અભેદત્વ કર્યું. ઇત્યાદિ - -
આ પ્રમાણે શેષ પદોમાં પણ કહેવું
૦ નિકાંક્ષિત - દેશ અને સર્વકાંક્ષા સહિત. દેશકાંક્ષા તે દિગંબર દર્શનાદિને ઇચ્છે, સર્વકાંક્ષા તે બધાં દર્શનની ઇચ્છા કરે. પણ છે જીવ નિકાયની પીડા, તથા અસત પ્રરૂપણાના લાગતા દોષને વિચારતો નથી. અહીં રાજા અમાત્યનું ઉદાહરણ આવશ્યક સૂત્ર મુજબ જાણવું.
૦ વિચિકિત્સા - જેનો મતિ વિભ્રમ દૂર થયો છે તે. કોઈ માને કે આ જિનદર્શન તો સારું છે, પણ તેમાં પ્રવૃત્ત એવા મને તેનું ફળ મળશે કે નહીં મળે તે વિચિકિત્સા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org