Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 224
________________ ૧૦ | - 1 ૪૫ થી ૪૯૯ ૨૩ અને તપમાં રત રહે છે, જે શરીરની પણ આકરા નથી કરતા તે મુમુક્ષ ભિક્ષુ છે. (૪૯) જે મુનિ વારંવાર દેહનો વ્યુત્સર્ગ અને મમત્વ ત્યાગ કરે છે જે કોઈના દ્વારા આક્રોશ કરતા કે પીટાતા અથવા શાસ્ત્રાદિથી સત • વિક્ષત કરવા છતાં પણ પૃથ્વીની સમાન સવસહા - ક્ષમાશીલ રહે છે. જે કોઈ પ્રકારનું નિરાયું નથી કરતો, કૌતુક નથી કરતો તે જ ભિક્ષ છે. (૪૯૮) જે સાધુ પોતાના શરીરથી પરીષહોને જીતીને પતિપથ થકી પોતાનો ઉદ્ધાર કરી લે છે, જે જન્મ મરણરૂપ સંસારને મહાભય જાણીને શ્રમણવૃતિને યોગ તપશ્ચયમાં રત રહે છે, તે ભિક્ષા છે. (૪૯) જે સાધુ હાથથી, પગથી, વાણીથી અને કિસી સયત છે, અધ્યાત્મમાં રત છે, જેની આત્મા સખ્યક રૂપથી સમાવિસ્ટ છે અને જે સુત્ર તથા પ્રાર્થને વિશેષ રૂપે જાણે છે, તે ભિક્ષા છે. વિવેચન - ૪૫ થી ૪૯૯ - નિશ્ચે જે મહાત્મા સમ્યફપણે ઇંદ્રિયોના દુઃખ હેતુ કાંટાને સહન કરે છે, તે સ્વરૂપથી કહે છે - આક્રોશ, પ્રહાર અને તર્જતા. તેમાં આક્રોશ - સકારાદિથી, પ્રહાર - કશ આદિથી, તર્જતા - અસૂયાદિથી તથા અત્યંત રોદ્ર ભયજનક શબ્દો જે સ્થાનમાં સપહાસ છે તે લેવા તથા વૈતાલાદિ વડે કરાયેલ આર્તનાદ અર્થાત અટ્ટહાસ્યને સહન કરે. અહીં ઉપસર્ગો થતાં સુખ-દુઃખને સમ્યક સહે - જે અયલિત સામાયિક ભાવ છે, તે ભિક્ષુ છે • આ જ વાતને સ્પષ્ટ કરે છે - “માસ આદિ રૂપ પ્રતિમાને વિધિવત સ્વીકારીને, શ્મશાનમાં ભૈરવ ભયોને જોઈને, રૌદ્ધ ભય હેતુને પામીને, વૈતાલ આદિ રૂપ શબ્દાદિ સાંભળીને ભય ન રાખે. સર્વકાળ મૂળ ગુણાદિ અનશનાદિમાં આસક્ત થઈ સર્વકાળ રહે, શરીરની પણ કાંક્ષા ન કરે, નિસ્પૃહતાથી વર્તે. જે આવે છે, તે ભિક્ષ છે. એકવાર નહીં પણ હંમેશા નિર્મમત્વ બની શરીરની વિભૂષા આદિ છોડીને, કોઈના આક્રોશથી કે મારથી અથવા તલવારના ઘાથી કે કૂતરા, શીયાળ કરડી ખાવાથી મુનિ ક્રોધાયમાન ન થતાં પૃથવી માફક સર્વ કંઈ સહન કરે, પણ રાગ-દ્વેષ ન કરે, બીજા ભવમાં ભોગોની આશા ન રાખે, નટ વગેરેના કૌતુક ન જુએ, તે ભાવભિક્ષુ છે. ભિક્ષુ સ્વરૂપના અભિયાનના અધિકારી જ કહે છે - એકલા મન, વચનથી નહીં પણ કાયા સાથે એટલે મન, વચન, કાયાથી સિદ્ધાંતની નીતિએ જે સુખા આવે તે સહન કરે. તે બાવીસે પરીષહો સુધાદિને સંતોષથી સહન કરે અને જન્મ-મરણના માર્ગથી આત્માને બચાવે, જન્મ-મરણને સંસારમાં મહાભયનું કારણ જાણી તપમાં રત રહે અને સાધુપણામાં નિર્મળ ભાવના રાખે તે ખરો ભિક્ષ છે. તથા હાથથી સંયત, પગથી સંયત એટલે કારણ વિના કાચબા માફક લીન થઈને રહે. કારણે સમ્યફ રીતે જાય. વાસંયત - અકુશલ વચનનો નિરોધ, કુશળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242