Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 223
________________ ૨૨૨ દશવૈકાલિકમૂવમૂત્ર-સટીક અનુવાદ (૪૯૪) જે કલહ ઉત્પન્ન કરનારી કથા ન કરે અને કોપ પણ ન કરે, જેની છવિયો નિભત રહે છે, જે પ્રશાંત રહે છે. જે સંયમમાં ધવલોગી છે, ઉપશાંત રહે છે અને જે ઉચિત કાર્યનો અનાદર કરતો નથી, તે ભિક્ષુ • વિવેચન - ૪૯૦ થી ૪૯૪ - ક્રોધાદિ ચારે કષાયોને તેના પ્રતિપક્ષના અભ્યાસથી સદા વમે છે. ધ્રુવયોગી - ઉચિત નિત્ય યોગવાળા થાય છે. તીર્થકરના વચન વડે ચાસ્ત્રિમાં સ્થિર ભાવવાળો થાય છે. ગાય, ભેંસ આદિ ચતુષ્પદની ઉપાધિથી રહિત હોય સોનુ, રૂ૫ ન રાખે અને ગૃહસ્થના સંબંધોને સર્વ પ્રકારે તજી દે, તે ભાવ ભિક્ષુ છે. સમ્યગ દષ્ટિ બનીને ચિત્તમાં શંકા ન કરે. મૂઢતાને છોડે અને ત્યજી દેવા યોગ્ય અથવા ગ્રહણ કરવા યોગ્ય જે પદાર્થનું જ્ઞાન છે, તેમાં તથા જે ઇંદ્રિયથી ન જણાય, ત્યાં બુદ્ધિથી વિચારીને માને તથા બંને પ્રકારનો તપ જે કર્મ મળને દૂર કરવામાં સમર્થ છે, તેને તથા નવા કર્મો ન આવે તેવા સંયમને વિશે દેઢ ભાવ રાખે. અને તે તપ વગેરેથી પૂર્વના પાપોને ઉત્તમ વૃત્તિથી, ત્રણ ગુતિથી ગુપ્ત બની દૂર કરે તે ભિક્ષ છે. પૂર્વ બષિના વિધાનથી પૂર્વોક્ત સ્વરૂપના અશન અને પાનને તથા અનેક પ્રકારના ખાધ અને સ્વાધને પામીને, પ્રયોજનથી કાલે કે પરમ દિવસે કામ આવશે, તેમ માની અશનાદિને ન સ્વયં રાખે કે ન બીજા પાસે રખાવે કે રાખનારને ન અનુમોદે. જે સર્વથા સંનિધિનો પરિત્યાગ કરનાર બને તે ભિક્ષુ છે. વળી, તે પ્રમાણે જ અશન, પાન અને વિવિધ ખાધ, સ્વાધને પૂર્વવત્ પામીને શું કરે ? સમાન આધર્મિક સાધુને નિમંત્રીને ખાય, સ્વ આત્મતુલ્યતાથી તેનું વાત્સલ્ય સિદ્ધ કરે અને ભોજન કરીને સ્વાધ્યાય રત બને. ચ શબ્દથી બાકીના અનુષ્ઠાન રત બને તે ભિક્ષ છે. ભિક્ષુના લક્ષણના અધિકારથી જ કહે છે - કલહ પ્રતિબદ્ધ કથા ન કરે. સદૂવાદ કથાદિમાં પણ બીજા ઉપર કોપ ન કરે. પરંતુ ઇંદ્રિયોને વશમાં રાખીને રાગાદિ હિત રહે. પૂવોંકત સંયમમાં સર્વકાળ મન - વચન • કર્મના લક્ષણથી યુક્ત અર્થાત્ યોગયુક્ત થઈ પ્રતિભેદમાં ઔચિત્યથી પ્રવૃત થાય તથા કાયાની અપળતાદિ રહિત - અનાકુળ થાય, ઉચિત કૃત્યમાં અનાદરવાળો ન થાય. બીજા કહે છે ક્રોધાદિને ઘટાડે, તે ભિક્ષ છે. • સૂત્ર • ૪૫ થી ૪૯૯ - (૪૫) જે સાધુ ઇંદ્રિયોને કાંટા સમાન ખેંચનારા આક્રોશ વચનો, પ્રહારો, તર્જનાઓ અને અતિ ભયોત્પાદક અહાસ્યોને સહેનાર તથા સુખ - દુઃખને સમભાવપૂર્વક સહન કરી લે, તે ભિન્ન છે. (૪૯૬) જે સાધુ રમશાનમાં પ્રતિમા અંગીકાર કરીને ત્યાંના અતિ ભત્પાદક દેરયોને જોઈને ભયભીત થતો નથી, તથા વિવિધ ગુણો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242