Book Title: Agam 42 DashVaikalik Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 184
________________ ૧૮૩ |- | ૩૩૬ થી ૩૩૯ - આ વસ્તુ સ્વભાવથી સુંદર છે, મોંઘુ છે, આવી વસ્તુ બીજે ક્યાંય નહીં મળે, આ અસંસ્કૃત છે, બીજે પણ આ મળે જ છે. આના અનંતગુણ છે, અપ્રીતિકર છે, ઇત્યાદિ ન બોલે તેથી અધિકરણ અને અંતરાયાદિ દોષ લાગે છે. વળી કોઈ કોઈને સંદેશો મોકલ્યો કે તારે આ બધું કહેવું ત્યારે હા, હું કહીશ, એમ ન બોલે. કેમકે તે પ્રમાણે જ સ્વર - વ્યંજનાદિ કહેવા અશક્ય છે. એ રીતે બીજાને સંદેશો આપવાનો હોય ત્યારે પણ ન બોલે કે - હા હું કહીશ. અસંભવ હોવાથી મૃષાવાદનો દોષ લાગે. તેથી દરેક સ્થાને મુનિએ વિચારણા કરીને બધાં કાર્યમાં જેનો જેટલો સંભવ અને શક્ય હોય તે જ બોલવું. કોઈકે કંઈક ખરીધુ જોઈને, સારી ખરીદી કરી તેમ ન બોલે. એ રીતે કોઈ કંઈ વેચે તો તે જોઈને સારું વેચ્યું એમ પણ ન બોલે. અથવા આ ખરીદવા યોગ્ય છે અથવા ખરીદવા યોગ્ય નથી એમ પણ ન કહે. આ ગોળ વગેરે ખરીદ, આગામી કાળે મોંઘા થશે એમ ન બોલે. ધી આદિ આગામી કાળે મોંઘા થશે એમ કહીને વેપાર સંબંધી વચન મુનિ ન બોલે. તેનાથી પ્રીતિ અને અધિકરણાદિ દોષ લાગે. હવે અહીં વિધિ કહે છે. આ૫મૂલ્યમાં કે બહુમૂલ્યમાં, ખરીદમાં કે વેચાણમાં, વ્યાપારના કારણે કોઈ કંઈ પૂછે તો નિરવધ વચન બોલે અથવા અમને આ સંબંધે બોલવાનો અધિકાર નથી તેમ કહે. • સૂત્ર - ૩૪૦ થી ૩૪ર : (૩૪૦) એ પ્રમાણે ઘર અને પ્રજ્ઞાવાન સાધ, અસંયમીને બેસ, આવ, આમ કર, સૂઈ જ, ઉભો રહે, ચાલ્યો જ. એવું ન કહે. (૩૪૧, ૩ર) આ ઘણા અસાધુ લોકમાં સાધુ કહેવાય છે. પરંતુ નિર્ચન્હો અસાધુને - “આ સાધુ છે” એમ ન કહે. સાધુને જ “આ સાધુ છે” એમ કહે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં રત એવા સગુણથી સમાયુક્ત સંયમીને જ સાધુ કહે. • વિવેચન - ૩૪૦ થી ૩૪ર - તે પ્રમાણે જ અસંયમ - અતિ ગૃહસ્થને દીર - સંયત - અહીં જ બેસો, અહીં આવો, આ સંચયાદિ કરો, નિદ્રા વડે સુવો, ઉભા રહો, બહારગામ જાઓ. - પ્રજ્ઞાવાન સાધુ આ પ્રમાણે ને બોલે ઘણા આ ઉપલભ્યમાન સ્વરૂપવાળા આજીવક આદિ અસાધુ, નિર્વાણ સાધક યોગને આશ્રીને પ્રાણી મૃષાવાદનો પ્રસંગ આવે. પણ સાધુને જ સાધુ કહેવા. તેને સાધુ ન કહેવા તેમ નહીં. કેમકે ઉપવૃંહણા અતિચારના દોષનો સંભવ થાય. કેવા સાધુને - સાધુ કહે ? સંયમમાં સમૃદ્ધ, તપમાં યથાશક્તિ રત અને ગુપ્ત સંયુક્તા સંયતને સાધુ કહે. પણ દ્રવ્ય લિંગધારીને સાધુ ન કહેવા. • સૂત્ર - ૩૩ થી ૩૪ - (૩૩) દેવો, મનુષ્યો કે તિજોનો પરસ્પર સંગ્રામ થાય ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242