________________
૧૮૩
|- | ૩૩૬ થી ૩૩૯ - આ વસ્તુ સ્વભાવથી સુંદર છે, મોંઘુ છે, આવી વસ્તુ બીજે ક્યાંય નહીં મળે, આ અસંસ્કૃત છે, બીજે પણ આ મળે જ છે. આના અનંતગુણ છે, અપ્રીતિકર છે, ઇત્યાદિ ન બોલે તેથી અધિકરણ અને અંતરાયાદિ દોષ લાગે છે. વળી કોઈ કોઈને સંદેશો મોકલ્યો કે તારે આ બધું કહેવું ત્યારે હા, હું કહીશ, એમ ન બોલે. કેમકે તે પ્રમાણે જ
સ્વર - વ્યંજનાદિ કહેવા અશક્ય છે. એ રીતે બીજાને સંદેશો આપવાનો હોય ત્યારે પણ ન બોલે કે - હા હું કહીશ. અસંભવ હોવાથી મૃષાવાદનો દોષ લાગે. તેથી દરેક સ્થાને મુનિએ વિચારણા કરીને બધાં કાર્યમાં જેનો જેટલો સંભવ અને શક્ય હોય તે જ બોલવું.
કોઈકે કંઈક ખરીધુ જોઈને, સારી ખરીદી કરી તેમ ન બોલે. એ રીતે કોઈ કંઈ વેચે તો તે જોઈને સારું વેચ્યું એમ પણ ન બોલે. અથવા આ ખરીદવા યોગ્ય છે અથવા ખરીદવા યોગ્ય નથી એમ પણ ન કહે. આ ગોળ વગેરે ખરીદ, આગામી કાળે મોંઘા થશે એમ ન બોલે. ધી આદિ આગામી કાળે મોંઘા થશે એમ કહીને વેપાર સંબંધી વચન મુનિ ન બોલે. તેનાથી પ્રીતિ અને અધિકરણાદિ દોષ લાગે.
હવે અહીં વિધિ કહે છે. આ૫મૂલ્યમાં કે બહુમૂલ્યમાં, ખરીદમાં કે વેચાણમાં, વ્યાપારના કારણે કોઈ કંઈ પૂછે તો નિરવધ વચન બોલે અથવા અમને આ સંબંધે બોલવાનો અધિકાર નથી તેમ કહે.
• સૂત્ર - ૩૪૦ થી ૩૪ર :
(૩૪૦) એ પ્રમાણે ઘર અને પ્રજ્ઞાવાન સાધ, અસંયમીને બેસ, આવ, આમ કર, સૂઈ જ, ઉભો રહે, ચાલ્યો જ. એવું ન કહે.
(૩૪૧, ૩ર) આ ઘણા અસાધુ લોકમાં સાધુ કહેવાય છે. પરંતુ નિર્ચન્હો અસાધુને - “આ સાધુ છે” એમ ન કહે. સાધુને જ “આ સાધુ છે” એમ કહે. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં રત એવા સગુણથી સમાયુક્ત સંયમીને જ સાધુ કહે.
• વિવેચન - ૩૪૦ થી ૩૪ર -
તે પ્રમાણે જ અસંયમ - અતિ ગૃહસ્થને દીર - સંયત - અહીં જ બેસો, અહીં આવો, આ સંચયાદિ કરો, નિદ્રા વડે સુવો, ઉભા રહો, બહારગામ જાઓ. - પ્રજ્ઞાવાન સાધુ આ પ્રમાણે ને બોલે
ઘણા આ ઉપલભ્યમાન સ્વરૂપવાળા આજીવક આદિ અસાધુ, નિર્વાણ સાધક યોગને આશ્રીને પ્રાણી મૃષાવાદનો પ્રસંગ આવે. પણ સાધુને જ સાધુ કહેવા. તેને સાધુ ન કહેવા તેમ નહીં. કેમકે ઉપવૃંહણા અતિચારના દોષનો સંભવ થાય. કેવા સાધુને - સાધુ કહે ? સંયમમાં સમૃદ્ધ, તપમાં યથાશક્તિ રત અને ગુપ્ત સંયુક્તા સંયતને સાધુ કહે. પણ દ્રવ્ય લિંગધારીને સાધુ ન કહેવા.
• સૂત્ર - ૩૩ થી ૩૪ - (૩૩) દેવો, મનુષ્યો કે તિજોનો પરસ્પર સંગ્રામ થાય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org