Book Title: Adhyatmik Nibandho
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 235
________________ ૨૧૦ : આધ્યાત્મિક નિબંધે છે અને તેથી પૂજ્ય ગણાય છે તે ગ્ય જ છે. એ દેહ યાધિ કે વૃદ્ધાવસ્થાને કારણે જીર્ણ થઈ જાય તો પણ પૂજ્યભાવ એવો ને એવો સ્થિર અને અફર રહે છે, તેની પાછળના રહસ્યમાં પવિત્રાત્મા પ્રત્યેનો પ્રેમ છે. તે પછીનાં વચનમાં જે જ્ઞાનીને “ઓળખે છે” એમ કહ્યું ત્યાં એ વચનેમાં શ્રદ્ધાનો ભાવ નિઃશંકપણે સમાય છે. આ પુરુષ આત્મજ્ઞાની ને આમદશી છે એમ જ્ઞાની પુરુષની અંતરથી ખાત્રી પૂર્વકની ઓળખાણ તે શ્રદ્ધા છે. ઓળખાણ એટલે જાણપણું અને એ જાણપણું સાચું છે. એવી જે ખાતરી તેમાં રહી છે તે શ્રદ્ધા કહેવાય છે. આપણે જોઈ ગયા તેમ “ઈચ્છે છે” શબ્દોમાં પ્રેમ અને અહીંના “ઓળખે છે” શબ્દમાં શ્રદ્ધા સમાય છે, પ્રેમ અને શ્રદ્ધા એ બને ભાવ સાથે ને સાથે રહેવાના સ્વભાવવાળા છે; એક બીજાના પૂરક અને ટેકારૂપ છે. જ્યાં પ્રેમ છે ત્યાં શ્રદ્ધા છે, તેમ જ્યાં શ્રદ્ધા છે ત્યાં પ્રેમ છે. એ બન્નેને વિકાસ એટલે વિશુદ્ધતા વધતી જાય છે, તેમ તેની શક્તિઓ પણ વિશેષપણે પ્રગટ થતી જાય છે. ત્યાર પછીનાં આગળનાં વચનોમાં જે જ્ઞાનીને ભજે છે” એમ કહેવાથી અર્પણતા અથવા આજ્ઞાંકિત પણને ભાવ જણાવ્યું. ભજવું એટલે ભક્તિ કરવી અથવા પ્રેમમૂર્તિ જ્ઞાની ભગવંત સર્વ પ્રકારે રાજી રહે તેમ આચરણ કરવું અથવા તેમને પોતાપણાના સર્વભાવ અર્પણ–આજ્ઞામાં રહી વર્તવું. “ભજ” ધાતુને બીજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286