Book Title: Adhyatma Gita
Author(s): Shrimad Devchandraji
Publisher: Mahavir Tattvagyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 63
________________ રક્ષણ કરવાના પરિણામથી સંવર (આવતાં કર્મોને અટકાવવા) અને નિર્જરા (કર્મને અંશતઃ ક્ષય) રૂ૫ મહાન ફળની પ્રાપ્તિ થઈ જાય પરંતુ ગાઢ મિથ્યાત્વદશામાં એ બનવું અશક્ય હોય છે. અહીં નિશ્ચયનયની પ્રધાનતા હોવાથી પરવની દયાને પુણ્યબંધનું કારણ બતાવી શુભાશ્રાવરૂપે વર્ણવી છે, તેનાથી આત્મગુણની વૃદ્ધિ થતી નહિ હેવાથી સંવર નિર્જરારૂપ ધર્મમાં તેને સમાવેશ થતો નથી. દ્રવ્યહિંસા અને ભાવહિંસા: તેવી જ હિંસાદિક દ્રવ્યાશ્રય કરતો ચંચલ ચિત્ત, - કટક વિપાકી કેતન મેલે કર્મ વિ ચિત્ત આતમગુણને હણને હિંસક ભાવે થાય.. આત્મધર્મને રક્ષક ભાવ - અહિંસક કહેવાય [૧૬] છે અથ – તેજ જીવ જ્યારે ચંચલ ચિત્તવાળ બનીને દ્રવ્યાશ્રવ (કર્મને આવવાના માર્ગે) રૂપ જીવહિંસાદિ કરવા દ્વારા કટુક (ભયંકર-કડવા) ફળ આપનારા એવા કર્મોને બાંધે છે, ત્યારે તેણે કટુક વિપાકદાયી કમબંધ કરવાથી પોતાના આત્મગુણની પણ હિંસા કરી તેથી તે ભાવહિંસક પણ બન્યો અને જે આત્મગુણેની રક્ષા કરે છે તે ભાવઅહિંસક બને છે વિવેચન:-પૂર્વ ગાથાના કથન અનુસાર પદયાથી પુણ્ય બંધ થાય છે. તેના વિશેષ ખૂલાસે આ ગાથામાં દ્રવ્યહિંસા અને ભાવહિંસાનું લક્ષણ બતાવવા દ્વારા કરે છે. ગાઢ મિથ્યાત્વથામાં વર્તત છવ જેમ પઇવની દયાથી પુણ્યબંધ કરે છે તેમ તજ જીવ વિદ્યાસક્ત, ચંચળ ચિત્તવાળો બને પરજીવોની હિંસા કરે છે, ત્યારે કટુકફળ ઉત્પન્ન કરનારા એવા અશુભ કર્મો બાવે છે. આ પ્રમાણે દિવ્યાનું ફળ પુણ્ય-શુકમબંધ અને વ્યહિંસાનું ફળ પાપઅશુભકર્મબંધ થાય એમ બતાવી હવે ઉત્તરાર્ધ ગાથાથી ભાવહિંસા અને ભાવઅહિંસાનું સ્વરુપ બતાવે છે.

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94