Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી तेभ्योनमस्तदीयान् ० વારાણસી (કાશી) અને આગ્રા બન્ને સ્થાને મળીને સાત વર્ષ રહીને ષટ્દર્શનના દિગ્ગજ વિદ્વાન બન્યા પછી ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદ એવાં બબ્બે માનવંતાં બિરુદ બ્રાહ્મણ પંડિત મંડલી દ્વારા મેળવીને વિ.સં. ૧૭૧૦માં પોષ મહિને પોતાની દીક્ષાભૂમિ પાટણમાં પધાર્યા છે. સંઘના હરખનો પાર નથી. તેઓનાં પ્રજ્ઞા અને શીલની સુવાસ ચોમેર પ્રસરી છે. પાટણમાં પણ જેઓ ગંભીર તત્ત્વજ્ઞાનના પ્રેમી હતા તેમને ભાવતું ભોજન મળ્યું છે. ગ્રન્થભંડારોનું કેન્દ્રસ્થાન પાટણ હતું એટલે પુરાણા ગ્રન્થો જોવાનું બનતું રહ્યું. તેવામાં એક નોંધપાત્ર ઘટના બની. ત્યાંના વિદ્વાનો દ્વારા જ જાણવા મળ્યું કે અહીંના એક બ્રાહ્મણ પંડિત પાસે નયવનો જૂનો ગ્રંથ છે. તેની પોથી ક્યાંયે જોવા મળતી નથી. માટે તેની નકલો કરાવવા જેવી છે. આ કામ ક૨વા જેવું છે. એટલે આ ભટજી પાસેથી પોથી મેળવવી તો જોઈએ જ, એમ તેમને લાગે છે. શ્રી મલ્લવાદીજીએ રચેલા નયજ્ઞ ગ્રન્થ માટે તરત જ ભટજી પાસે જઈને તે ગ્રંથની માગણી કરી, પણ ભટજીએ તે ચાર : શ્રુતસેવાની અખૂટ સરવાણી વહી Jain Education International પ્રવચન ચાર For Private & Personal Use Only ૪૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154