Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 133
________________ ૧૦૦ જસવિય કહે સુનો હો આનંદઘન હમતુમ મીલે હજૂર એહી આજ આનંદ ભયો મેરે તેરો મુખ નીરખ નીરખ. આનંદઘન કે સંગ સુજસહી મીલે જબ તબ આનંદ સમ ભર્યો સુજસ. ઉપાધ્યાયજી મહારાજે એક સ્થળે એવું નોંધ્યું છે કે આનંદઘનજીએ પોતાના માટે પારસમણિનું કામ કર્યું છે. પોતાને લોઢામાંથી કંચન બનાવનાર આનંદઘનજી નિમિત્ત બન્યા. અંતરંગ બીજકો તો પડ્યા હતા પણ તેને બહાર આણવા માટે આલંબનની જરૂર હતી તે કામ આનંદઘનજી દ્વારા થયું. ગમે તેટલો શાસ્ત્રાભ્યાસ થાય પણ તેનું ફળ અધ્યાત્મમાં આવવું જોઈએ; નહિ તો શાસ્ત્રાભ્યાસ કેવળ બુદ્ધિનો વ્યાયામ જ બની રહે. ઉપાધ્યાયજી મહારાજ પોતે પણ આ વાતથી સભાન છે અને તેમણે એક સ્થળે એ ભાવ પ્રગટ કર્યો છે. પતિનં શાસનત્તિ: અને સાચે જ તેઓના ઉત્તરકાળમાં જે જે રચના થઈ છે તેમાં સ્પષ્ટ રીતે આત્મિક ભાવોના ઊર્ધ્યારોહણનો નકશો જોવા મળે છે. અને એક બાજુ રચનામાં પાકટતા અને પ્રૌઢતાનાં દર્શન થાય છે તો બીજી બાજુ રચનાનું સંખ્યાપ્રમાણ પણ ઘણું દેખાય છે. એટલે કે ગુણવત્તા અને ઇયત્તા બંનેમાં તેઓ સફળ રહ્યા છે. તેમના સમકાલીનમાં એક નામ છે ઉપા. વિનયવિજયજી મહારાજનું; જોકે તેઓ પુરોવર્તી કહી શકાય તેવા છે. વયમાં અને સંયમપર્યાયમાં મોટા છે પણ ઉપા. વિનયવિજયજી મહારાજના ગુણાનુરાગ નામના ગુણને કા૨ણે તેમને યશોવિજયજીના વિકાસથી પ્રમોદ અનુભવ્યો છે. અને તેઓના ધર્મપરીક્ષા ગ્રંથની રચનામાં પુષ્કળ સહાય કરી છે. શાસ્ત્રપાઠો શોધી આપવાનું કામ તેમણે કર્યું છે. અને ઉપાધ્યાયજીએ કૃતજ્ઞતાપૂર્વક ધર્મપરીક્ષાની પ્રશસ્તિમાં તેમને સંભાર્યા છે. એટલું જ નહિ કેટલીક રચનાઓમાં જોતાં એવું અનુમાન કરવાનું મન થાય છે કે રચાતી રચનાઓ પણ અરસપરસ યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154