Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 149
________________ પરિણતિ પણ નિર્મળ બની. જ્ઞાન-બોધના ફળ સ્વરૂપે જે ઉચ્ચ શાસનરાગ કુરાયમાન થયો તેથી મારા જન્મને ધન્ય ગણું છું, આથી વધારે શું જોઈએ. તેમના ગ્રંથોમાં ઠામઠામ દઢ શાસનરાગનાં દર્શન થાય છે, એટલું જ નહિ સમગ્ર સર્જનમાં સઘળા નાનામોટા ગ્રન્થોમાં પ્રચ્છન્નપણે પ્રભુશાસનનો રાગ અન્તઃસ્રોતા કલ્લોલિનીની જેમ વહેતો જોવા મળે છે. એક સ્થાને તો તેઓ ગાઈ ઊઠે છે: “શાસન તાહરું અતિ ભલું જગ નહિ કોઈ તસ સરખું રે તિમ તિમ રાગ વધ ઘણો જિમ જિમ જુગતિશું પરખું રે (૩૫૦ ગાથાનું સ્તવન) આ શાસનરાગ તેમનો ચોળમજીઠ જેવો દઢ હતો અને તેમણે કરેલી મૃતોપાસનાના અંતે વ્યક્તિગત પ્રાર્થના પણ આ જ રહી છે. એકબે, શ્લોક એ ભાવને પ્રકટ કરનારા આપણે જોઈએ: विषयानुबन्धबन्धुरमन्यन्न किमप्यहं फलं याचे । किन्त्वेकमिह जन्मनि जिनमतरागः परत्रापि ॥ પાંચ ઇન્દ્રિયોના વિષયોના અનુબંધથી મનોહર એવા ફળને (સાંસારિક ફળને) હું યાચતો નથી – માગતો નથી, પણ આ. જન્મમાં અને પછીના જન્મમાં માત્ર જિનેશ્વર ભગવાનના શાસનનો રાગ જ માગું છું. अस्मादृशां प्रमादग्रस्तानां चरणकरणहीनानाम् । अब्धौ पोत इवेह प्रवचनराग: शुभोपायः ।। ચરણ સીત્તરી અને કરણ સીત્તરીથી હીન, વળી પ્રમાદમાં ડૂબેલા અમારા જેવાને સમુદ્રમાં વહાણની જેમ પ્રભુશાસનનો રાગ એ જ શુભ ઉપાય છે તરવા માટે. આ રીતે શાસનરાગને લક્ષ્ય બનાવનારા તેઓ જ છે. આને હૃતોપાસનાનું ફળ ગણે છે. તો આવા વિશાળ જ્ઞાનરાશિની યશોદાયિની ઉપલબ્ધિના મૂળમાં ગુરુકૃપાને કારણ ગણે છે. અક્ષરજ્ઞાનથી લઈ અનુભવજ્ઞાન સુધીની વિરાટ વિદ્યાયાત્રામાં એક માત્ર આ ગુરકપાને જ કારણ ગણે છે. આ વાત તેમણે ઠામઠામ કામ-મજાકના હક છેતો : B : * ક ર જ ન તું છે , * * માં : ક ક તે તેમ રીતે કે ' જ ' કે ' કી : છે . * કરી શકાતી રાજ કરી : Rs.3 કે જે $", જૈ ? દરેક કે " જ છે કે જીત ? : S નહી * . hii n i તે , . . જ T 'T ૧૧૬ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154