Book Title: Yashojivan Pravachanmala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 95
________________ સ્વાભાવિક છે તે દ્રવ્યોના સ્વભાવે કારણે બને છે, બસ તે રીતે પ્રભુના ગુણનો સ્વભાવ જ એવો છે કે તેમના સાંનિધ્યના પ્રભાવે સેવકનાં દુઃખો દૂર થાય છે. એક ઐતિહાસિક કાવ્યપ્રસંગથી આ વાત વધુ સ્પષ્ટ થશે. કવિકુલશિરોમણિ કાલિદાસે રઘુવંશ નામનું મહાકાવ્ય રચ્યું છે તેમાં શરૂઆતમાં મર્યાદાપુરુષોત્તમ શ્રી રામના પૂર્વજોનું વર્ણન આવે છે. તેમાં પહેલા-બીજા સર્ગમાં રાજા દિલીપની વાત છે. તે વનમાંથી પસાર થતા હતા ત્યારનું વર્ણન છે : शशाम वृष्ट्यापि विना दवाग्निरासीद् विशेषा फलपुष्पवृद्धिः । ऊनं न सत्त्वेष्वधिको बबाधे तस्मिन् वनं गोप्तरि गाहमाने । રઘુવંશ, સર્ગ-૨) જે વનમાંથી રાજા પસાર થાય તે વનમાં વૃક્ષથી વૃક્ષ ઘસાવાને કારણે જે દાવાનલ પ્રગટ્યો હોય તે વરસાદ વિના શમી ગયો, જે ફૂલ અને ફળના છોડ કે વૃક્ષ હતાં તેમાં રોજ આવે તેના કરતાં વધારે ફળ-ફૂલ આવ્યાં એટલું જ નહિ નિર્બળ પશુને સબળ પશુ હેરાન ન કરે તેવું વાતાવરણ બની ગયું. એક પ્રજાવત્સલ રાજાના હૃદયમાં રહેલી પોતાની પ્રજા પ્રત્યેની કરુણાના પ્રભાવે સચરાચર સૃષ્ટિ ઉપર જો આવી અસર થતી હોય તો ત્રણ જગતના જીવમાત્ર પ્રત્યેની કરુણાથી તેમના સ્વભાવથી જ સેવકનાં દુઃખ દૂર થાય તે વાત આગમ=શાસ્ત્રસંમત તથા આ રીતે તર્કસંગત પણ છે. આ વાતથી પ્રભુ વીતરાગી છે, મોક્ષમાં ગયા છે તેને ભજવાથી તે રાજી ન થાય, તેમની નિંદા કરવાથી તે નારાજ ન થાય, એવી વાતો સાવ વજૂદ વિનાની લાગે છે. આ સંદર્ભમાં ઉપાધ્યાયજી મહારાજનું એક વચન છે. व्यक्त्या शिवपदस्थोऽसौ शक्त्या जयति सर्वतः ।। આનાથી એ વિષય વિચારી શકાય છે પણ વિસ્તારના ભયે દિd.%. કાળકા રોડ , જી . વી. િહ ! 1,684 2, , who is an indi.we 'vid Apી જ ગોટ. ક્રિયા છે. છે , '';&N; WIDTHકોwi? o૮ • યશોજીવન પ્રવચનમાળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154