Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 15
________________ જગતના પદાર્થોનો વિચાર કરવો તે દુઃખદાયક બને છે. કર્મનું બંધન વિચારો પ્રમાણે થાય છે. શુભ (અને શુદ્ધ) વિચારો વિદ્યુત શક્તિ કરતાં પણ બળવાન છે. જે મન વસ્તુઓ વડે આકર્ષાય છે તે કર્મ બંધનમાં આવે છે. તમારી બધી શક્તિને તમારા મનને જીતી લેવા પાછળ લગાડો. આ જ સાચો પુરૂષાર્થ છે. વિચારોને શાંત અને શુદ્ધ કરો. જે સમ્યક જ્ઞાન ઉપર અજ્ઞાનનું આવરણ ચઢેલું છે તેને મનને શાંત કર્યા વગર દૂર કરી શકાશે નહિ. ખોરાકનો અમુક સૂક્ષ્મ ભાગ મનને ઊભું કરે છે. ખોરાક દ્વારા જ મન ઉત્પન્ન થાય છે. જે કાંઈ ખાઈએ છીએ તે જ ખોરાક એમ સમજવાનું નથી. પણ આપણે બધી જ જ્ઞાને ઈન્દ્રિયો દ્વારા ભેગું કરીએ છીએ તેનો પણ આમાં સમાવેશ થાય છે. - દરેક જગ્યાએ ભગવાને આત્માને જોતાં શીખો. આ આંખો માટેનો જરૂરી ખોરાક છે. શુદ્ધ વિચારો શુદ્ધ-સાત્વિક ખોરાક પર આધારીત છે. જયારે તમે આધ્યાત્મિક ઉચ્ચ વિચારોને પ્રાધાન્ય આપશો ત્યારે તમે સારું જ જોશો. સારું જ સાંભળશો, સાચો સ્વાદ લેશો, સારૂં વિચારી શકશો. બધી માનસિક સ્થિતિઓ અસ્થાયી રૂપ વાળી છે, તે દુઃખ અને શોક ઉત્પન્ન કરે છે, વિચારોની સ્વતંત્રતા હોવી જોઈએ. તમારી જાતને પૂર્વગ્રહની નજરમાંથી મુક્ત કરો. કારણકે તે આંતરિક પ્રજ્ઞાને કુંઠિત કરે છે અને વિચારોને નબળા બનાવે છે. અમર આત્માનો વિચાર કરો. આજ સાચી દિશાની, સીધી, મૂળભૂત વિચારધારા છે. વિચારોની શુદ્ધતાથી જ આત્માને મેળવી શકાય છે. મન જયારે કોઈ પણ જાતની ઈચ્છા વગર શાંત છે, કોઈ મહત્વાકાંક્ષા નથી. કોઈ જબરદસ્તી નથી, કોઈ આશા નથી તો ઉત્કૃષ્ટ એવો . . . . . . . . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80