Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 73
________________ જ્યારે તમારા વિચારો આ કે તે વસ્તુઓ તરફ ભટકતા નથી અને જ્યારે તમને પોતાનામાં સંતોષ જણાય છે, ત્યારે તમે આનંદની સ્થિતિમાં છો. જે એક અઉપમેય સ્થિતિ છે. જો તમે આંતરિક રીતે સુખમાં છો તો બધું જ સારૂં અને ઉત્સાહ પ્રેરનારૂં લાગશે. (માટે) વિચારોને પવિત્ર બનાવો. (જેથી) બધી જ મુશ્કેલીઓનો નાશ થઈ જશે. ઝાડની સુંદરતા જેમ વસંત ઋતુમાં વધે છે, તે જ રીતે તમારી શક્તિ, તમારી આંતરિક પ્રજ્ઞા અને પ્રકાશ તમારા સારા વિચારો-સાચી દિશાના વિચારોના ઉદાસીનતાના પ્રમાણમાં વધે છે. જ્યારે શુભ કે શુદ્ધ વિચારો તમારી આજુબાજુ સ્ફુરાયમાન થાય છે, ત્યારે આધ્યાત્મિક નિયમો તમને મદદ રૂપ થવા માંડે છે. સાચું જ્ઞાન - સમ્યક્ જ્ઞાન એ આત્મજાગૃતિ રૂપ છે. તે તેની સાચી પ્રકૃતિની જાગૃતિ છે. સુવિચારણાથી સાચું કાર્ય (સાધના) અને યથાયોગ્ય જીવન બને છે. શરીર જ બધું નથી. એવી પણ વસ્તુ છે જે ખૂબ જ અગત્યની છે, કે જે શરીરમાં પ્રકાશી રહી છે, તે દરેક શરીર ધારી જીવનો આત્મા છે. શરીરનું મૃત્યુ થાય છે. (શરીર નાશ પામે છે), આત્માનું અસ્તિત્વ જેમનું તેમ રહે છે. જગતનો કોઈ પણ પદાર્થ જીવ સાથે જતો નથી, ફક્ત તે પોતાની સાથે પોતાના કરેલાં કર્મોને જ લઈ જાય છે. તેથી જ્યાં સુધી માનવ જીવે ત્યાં સુધી તેણે જાગૃતિ, મૈત્રી ભાવ રૂપી પ્રેમ અને બધા જ તરફ શુભેચ્છા રાખીને જીવે. હમેશાં મહાન અને ઉમદા વિચારોના આશ્રયમાં રહો અને સંપૂર્ણ બનો. ગુરૂની કૃપા હંમેશાં કોઈપણ જાતની શરત વિના કે અપેક્ષા વિના શિષ્ય સાથે રહેતી જ હોય છે. છતાં પણ તે શિષ્યની પોતાની શિસ્ત અને પવિત્રતા જે ગુરુની હાજરીને પોતાની અંદર અનુભવે છે, તે શિષ્યને માટે મોટી મૂડી છે. Jain Education International [70] For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80