Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 39
________________ નિરંકુશ વિચારધારા બધી જ જાતની ખરાબીનું કારણ છે. જેટલા પ્રમાણમાં આ વિચારોને રોકવા માટેનો પ્રયત્ન થાય તેટલા પ્રમાણમાં મન એકાગ્ર થશે અને અનુક્રમે તે વધારે મજબુત અને શક્તિશાળી બનશે. ઉચ્ચ વિચારોને અગ્રીમતા આપવી તે, અનાદિ કાળના પાયાના વિચારો પેસી ગયા છે તેને કાઢવાનો સહેલો રસ્તો છે. જ્યારે ખરાબ વિચારો તમોને પરેશાન કરે તો તેને જીતવા માટે, તેને મહત્ત્વ ન આપવું. તેને ભૂલી જવા, તેમાં ઊંડા ઉતરવું નહીં. જરૂરી, સારા પ્રેરણા આપતા વિચારોનું ચિંતન કરવું. મહત્ત્વ ન આપવું, ભૂલી જવું, પ્રેરણા આપે તેવા વિચારો કરવા. આ ત્રણે ખરાબ વિચારો ઉપર કાબુ મેળવવા માટે તથા મુખ્ય સાધના માટે મૂળભૂત વાતો છે. (૧૪) વિચારોને કાબુમાં લેવાની હકારાત્મક રીતો. ખદબદ ખદબદ થતા વિચારોને શાંત કરો. ઊભી થતી લાગણીઓને શાંત કરો. મજબૂત વસ્તુ પર શરૂઆતમાં એકાગ્રતા કેળવો. - ત્રણ કે ચાર વાર બેસવાનું રાખો. વહેલી સવારે સવારના ૮ વાગે, બપોરના ૪ વાગે અને રાત્રે ૮ વાગે. તમે નાકના અગ્ર ભાગે એકાગ્રતા કરો. (અથવા જ્યાં કહેવામાં આવે ત્યાં એકાગ્રતા કરો). જ્યારે નકામા - જરૂર વગરના વિચારો મનમાં ઉભા થાય ત્યારે તેના પ્રત્યે ઉદાસીન બનો. એટલે કે દૃષ્ટાભાવ કેળવો. તેઓ ચાલ્યા જશે - તેઓને જોર કરી બહાર કાઢવા પ્રયત્ન ન કરો, નહીંતર તે વધારે વાર ચાલશે અથવા બમણી ગતિથી Jain Education International [36] For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80