Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 55
________________ વિચારો ઉપર સીધો હલ્લો કરવાથી તેને દૂર કરવાનું, નાશ કરવાનું મુશ્કેલ બને છે. રોજ હજારો વાર “સોહમ” કે “અહં બ્રહ્માસ્મિ”નો જાપ કરવા પાછળનો હેતુ એ છે કે જેથી તમે આત્મા છો તે મજબુત બનતું જાય. તેમજ તમે શરીર છો તે માન્યતા નબળી અને નબળી પડતી જાય. જો ખરાબ વિચારો તમારા મનમાં દાખલ થાય તો તમારી આંતરિક શક્તિ તેને હાંકી કાઢવામાં વાપરો નહીં. જો તેમ કરશો તો તમે તમારી શક્તિ જ ગુમાવશો. જેટલી વધારે મહેનત કરશો તેટલા વધારે પ્રમાણમાં ખરાબ વિચારો બમણી શક્તિથી પાછા ફરશે. તે વધારે ઝડપથી પાછા ફરશે અને વધારે શક્તિશાળી બની જશે. માટે તે પ્રત્યે ઉદાસીન બની જાવ. શાંત રહો, તેઓ જલ્દીથી પસાર થઈ જશે. શરૂઆતમાં અંદરમાં પવિત્ર અને અપવિત્ર વિચારો વચ્ચે લડાઈ થશે. પણ છેવટે શુભ-શુદ્ધ વિચારો વિજયી બનશે. હકારાત્મક નકારાત્મક વાતને દૂર કરી શકે છે. સુખી થવાની પ્રાથમિક જરૂરીયાત છે કે વિચારો પર કાબુ મેળવવો. નુકસાન કર્તા વિચારોને બહાર કાઢી નાખો. તે (મન) જરા પણ દુઃખ અને અશાંતિ બીજામાં ન ઉભી કરે તો સમજવું કે તમે આ પૃથ્વી ઉપર સુખી આત્મા છો, ઉલ્લાસવાળા છો. જો તમે બીજાના દુર્ગુણો અને ખામીઓ શોધવાનો વિચાર કરશો તો તમારું મન તેવા જ દુર્ગુણો કે ખામીઓનો શિકાર બની જશે. જે આ માનસિક નિયમને જાણે છે, તે ક્યારેય બીજાને દુઃખ થાય તેવું કરતા નથી અથવા બીજાની ભૂલો શોધવામાં પડતા નથી અને બીજામાં સારું જ જુએ છે. જે આવી પ્રેકટીસ કરે છે તે એકાગ્રતા અને આધ્યાત્મિકતામાં પ્રગતિ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80