Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 23
________________ શાંત, સુંદર, ઉલ્લાસીત ચહેરાવાળો, મધુર અવાજવાળો અને તેની આંખો તેજવી તેમજ ચમકવાળી હોય છે. માણસ વિચારોને વાવીને કાર્યશક્તિ ઊભી કરે છે. તે કાર્યશક્તિથી ટેવને મેળવે છે. ટેવ વડે ચારિત્ર મેળવે છે અને ચારિત્ર વાળો ધ્યેયને આ માણસ પોતે પોતાના વિચારો અને કાર્ય વડે પોતાનું પ્રારબ્ધ બનાવે છે. તે તેનું પ્રારબ્ધ બદલી પણ શકે છે. તે પોતે જ પોતાના પ્રારબ્ધનો સ્વામી માલિક છે. સત્ય વિચારો દ્વારા અને તીવ્ર પુરૂષાર્થ વડે, તે પોતાના ધ્યેયનો માલિક બની જાય છે. - કેટલાક કહે છે કે “બધું જ કર્મ કરે છે.” તે જ પ્રારબ્ધ છે. જે હું મારા કર્મ વડે આ કે તે ધ્યેયને નક્કી કરતો હોઉં તો પછી શા માટે મારે પુરૂષાર્થ કરવો જોઈએ. આ મનની માન્યતા છે, તે પ્રમાદ અને સ્થગિતતા - નિરાશા આધ્યાત્મિક માર્ગમાં લાવી દે છે. - આમ સમજવું તે ચોક્કસપણે કર્મના નિયમોને ઉધી રીતે સમજયો છે. તે ખોટી દલીલ છે. સાચા ચિંતન, ઈચ્છા અને કાર્યશક્તિથી તમે સંત બની શકો છો, ધનવાન બની શકો છો. તમે ઈન્દ્ર અથવા બ્રહ્માની પદવી પણ સારા કાર્યોથી અને સારા કર્મથી મેળવી શકશો. માણસ અસહાય પ્રાણી નથી. તે તેની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર રહેવાની શક્તિવાળો છે. ઘણીવાર એમ કહેવામાં આવે છે કે માણસ તેની આજુબાજુના વાતાવરણના બળ પ્રમાણે બને છે. આ સાચું નથી. કારણકે જગતના ઘણા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80