Book Title: Vichar Shakti
Author(s): Shivanand Swami, Raj Saubhag Editorial Committee
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
..
:
* *
જપ કરવા, ક્રોધને કાબુમાં રાખવો, નવલકથા, વર્તમાનપત્રનું વાંચન છોડી દેવું, પીક્સર જોવા જવું નહીં અને ટી.વી. જોવું નહીં. આ બધા એકાગ્રતા કેળવવા માટે સાધનો છે. " દરેક પ્રકારના વિષયોના વિચારો છોડી દો. લોભામણી વાતો સામે સંઘર્ષ કરો, કડક શબ્દો બહાર જવા ન દો, દરેક ઉમદા લાગણીને મહત્ત્વ આપો, જે તમને તમારી મનોબળ અને આત્મિક શક્તિ વધારવામાં મદદ રૂપ થશે અને એ જ તમને તમારા ધ્યેયની નજીકને નજીક લઈ જશે.
મનોબળ એ આત્માની ગતિશીલ શક્તિ છે. જ્યારે તે સક્રિય થાય છે ત્યારે માનસિક શક્તિઓ જેવી કે નિર્ણય લેવાની શક્યિ, યાદ શક્તિ, જલ્દી પકડી લેવાની શક્તિ, વાતચીત કરવાની શક્તિ, તર્ક શક્તિ વિગેરે એક જ સાથે આવી જાય છે. મનોબળ એ માનસિક શક્તિનો રાજા છે. જે એકાગ્રતા અને ધ્યાન માટે પ્રેકટીસ કરે છે તે મજબુત શક્તિશાળી આંતરિક શક્તિ ઊભી કરે છે. જેનાથી માનસિક ચિત્ર બરાબર ઊભું થાય છે.
આપણામાંના ઘણા ભાગનાને ખબર જ નથી કે સાચી વિચાર ધારા શું? માણસોની બહુલ સંખ્યા છીછરાપણાની રીતે વિચાર કરવાવાળી છે. બહુ જ થોડા ઊંડાણ પૂર્વક વિચારણા કરી શકે છે. વિચારકો દુનિયામાં ઘણા થોડા છે. ઊંડી વિચારધારા માટે તીવ્રતાથી સાધના કરવી જોઈએ છે. વિચાર એ સાચી કાર્ય શક્તિ છે. તે પોતાની જાતે જ ગતિશીલ શક્તિ છે. આનંદના વિચારો બહુ જ સહાનુભૂતિ પૂર્વક બીજામાં તેવા જ આનંદના વિચારો ઉત્પન્ન કરે છે. ઉમદા વિચારણાનો જન્મ, એ ખરાબ વિચારણાને દૂર કરવા માટેનું સાધન છે.
(૧૩) સહજતાથી તમારા વિચારોને જુઓ. ધારો કે તમને હતાશા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80