Book Title: Veer Pravachan
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board

View full book text
Previous | Next

Page 309
________________ વીર-પ્રવચન [૩૦૧ ઝાએ સમય લાગતું નથી. એ વિશાળ મંદિરમાં ચૌદસેચુંમાલીes. (૧૪૪૪) મણ પ્રમાણુની ચૌદ સુવર્ણમય પ્રતિમાઓ મુખાકારે વિરાજમાન થયેલી છે. આ બિંબ સામે ઉપસ્થિત થતાં જ આત્મા કઈ અગમ્ય રીતે નૃત્ય કરવા મંડી જાય છે અને કેટલાયે ભૂતwલીન. બનાવમાં ઉંડે ઉતરી જાય છે. એના નિર્માતા માટે અને આજે જે. ગૌરવ ત્યાં છવાઈ રહેલ છે એ સારૂ તે મંત્રમુગ્ધ બને છે. ભક્તિવત્સલ અંતર શું કરી બતાવે છે એને સાચે ખ્યાલ અહીં ચક્ષુ સામે તરવરતે દેખાય છે. દૂર દૂર પ્રદેશ પર અને ત્યાં પથરાઈ રહેલ ધુમસ પર દૃષ્ટિ દેડી જતાં એ વચ્ચે ઉભેલા આ અટુલા પ્રાસાદ માટે કંઈ કંઈ વિચારણા હૃદયપ્રદેશમાં ઉભરાઈ જાય છે. એ સંબંધમાં કહેવાતી દંતકથા શ્રવણ કરતાં ભક્તિનું રહસ્ય સ્પષ્ટ સ્વરૂપે સમજાય છે. શ્રદ્ધાળ જને માટે વર્તમાન કાળે પણ આ સ્થાન પ્રેરણું પૂરક તે છે જ, અને આકર્ષક પણું ખરું જ.' (૬) શ્રી કેશરીઆઇ આ તીર્થ ઉદેપુર નજીક આવેલ પહાડી-પ્રદેશમાંના ધુળેવા ગામમાં આવેલું છે. ઉદેપુર સુધી ટ્રેનમાં અને પછી મેટર કે ગાડીડાના સાધનથી ત્યાં પહોંચી શકાય છે. સીધા મોટર માર્ગે આવવા સારૂં પણ સડક છે. ઉતરવા સારૂ ધર્મશાળાઓની જોગવાઈ છે. આ તીર્થ એક્લા જેનું નથી રહ્યું. એની સરખામણી જગન્નાથપુરી અને નાશિક સાથે અપેક્ષાથી કરી શકાય. જગન્નાથપુરીમાં સૌ કોઈ જઈ શકે ને પ્રભુભક્તિને લહાવ મેળવી શકે તેમ અહીં પણ શ્યામવર્ણ કેશરીયા બાબા (બાપા-પિતા યા દાદા) કે જે શ્રી આદીશ્વરજીનું જ નામ છે તેમની ભક્તિ સૌ કોઈ–એટલે શ્વેતાંબર દિગંબર, વૈષ્ણવ, શૈવ, ભીલ: ને મુસલમાન, રાજપૂત ને અન્યવણું ત્યાં પ્રવેશ કરી શકે છે. મુસલમાન મહટી સંખ્યામાં નથી જણાતા છતાં મંદિરના એક બહારના ભાગ પર મિનારાવાળો નાને મસીને આકાર છે તેથી અવરજવર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336