Book Title: Updesh Kalpvalli Bhashantar
Author(s): Indrahans Gani
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 324
________________ બળવાળા તે હાથીઓને માર્ગમાં સ્તંભની જેમ સ્થિર ક્ય. તે જોઈ મહા પરાક્રમી કુમારે (હરે) અસમાન બળવાળા તે દેવો સાથે સંગ્રામકરીને તેને પરાજય કર્યો. દેવને પણ જીતી શકે એવા જેના ભુજદંડ પ્રચંડ બળવાન હતા એ તે દંડનાયક ગજે દ્રોને લઈ પત્તન નજીક આવ્યું, તેના આવવાના ખબર સાંભળી પત્તનને સ્વામી વનરાજ ઐરાવત જેવા તે શ્રેષ્ઠ હસ્તીઓને જોવાની ઈચ્છાથી તેની સામે આવ્યો, અને અનુક્રમે હાથીઓને જેતે જે તે સંડસ્થળ નામના પુર સુધી પહે, એટલે હર્ષના ભારથી પુષ્ટ થયેલા રાજાએ તે સંડસ્થળપુર દંડનાયકને ઈનામ તરીકે આપ્યું. તે પુરમાં દંડનાયકે સર્વ લોકેને વાંછિત આપનારી ધણુદેવી નામની શ્રી દેવીની સ્થાપના કરી. તે લહરે રાજાને પ્રસાદ પામીને વિશાળ ટંકશાળ બનાવી અને તેમાં દંડલ નામની સિક્કાવાળી સેનામહેરે પાડી. ઉજવળ યશરૂપી વસ્ત્ર ધારણ કરતા શ્રીદેવીના પ્રસાદને પામેલા તે સમૃદ્ધિમાન લહરે શ્રીદેવીની સ્થાપિત મુદ્રા ઉપર પટનું ચિન્હ સ્થાપન કર્યું. જેણે પત્તનની પટ્ટપરંપરાના પાંચ રાજાઓને પાપીઠની સેવા કરી એ તે રાજ્યતંત્રને ચલાવનાર દંડનાયક મંત્રીશ્વર જય પામે. તે દંડનાયકને સમગ્ર ગુણરૂપી હસેની શ્રેણિને કડા કરવાના માનસ સરોવર જેવા વીરાક અને નેઢાક નામના બે પુત્રો હતા. તેમાં નેહાક ધાર્મિક હતું, તેથી તે વિશેષ વ્યાપાર કરતા નહોતે, ન્યાયથી ઉપાર્જન કરેલા જ ધનને ઉપભેગ કરતું હતું, અને તેનું હૃદય અત્યંત વૈરાગ્યવાસિત હતું. “ભાગ્યવંત પ્રાણુઓના હૃદયમાં નિરંતર વૈરાગ્યનો સાગર ઉછળતો જ હોય છે, તેથી તેણે છેવટે દીક્ષા ગ્રહણ કરી. ને સર્વ વીરપુરૂને શિરોમણિ છે. અહીં પંડિત જનની પ્રતીતિને માટે પૂર્વોચાના કરેલા આ સંબંધ ને મળતા કેટલાક શ્લેકે હું લખું છું. એમ ગ્રંથકર્તા કહે છે. તેને અર્થ આ પ્રમાણે છે. – | ભિન્નમાળ નામના નગરમાં પ્રાવાટ વંશને પ્રગટ ગુણવાળનીનાક નામે શ્રેણી રહેતું હતું. તે ભિન્નમાળ નગરથી નીકળી લહર નામના

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354