Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 7
________________ શકે છે. એમાં અભેદભાવે બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે કેવા આચાર રાખવાની અગત્ય છે તે પ્રમાણુ ને યુક્તિથી દર્શાવ્યું છે. પપદીતેત્રમાં વા પદમંજરીસ્તોત્રમાં સાડા છ કવડે ચિત્તની શુદ્ધિ, ચિત્તની સ્થિરતા, ને પરમાત્માના અનન્યાશ્રયમાટે પરમાત્માની પ્રાર્થના કરી છે, ને અર્ધા લોકમાં આ ષપદીને પિતાના મુખકમલમાં સર્વદા રહેવાની ઇચ્છા દેખાડી છે. વિજ્ઞાનનીકામાં દશ લેંકે છે. તેમાં પ્રથમના આઠ લેકમાં પિતાના બ્રહ્મસ્વરૂપનું ભિન્ન ભિન્ન પ્રકાર વર્ણન કર્યું છે, અને નવમા સ્લેકમાં આ સ્તોત્રના અધ્યયનાદિવડે થનારા ફલનું નિરૂપણ કર્યું છે, તથા દશમા લેકમાં આ વિજ્ઞાનનૌકાવડે ભવસાગરના પારને પામેલા પુરુષને ધન્યવાદ આપે છે. વાક્યસુધાનામના પ્રકરણગ્રંથમાં ૪૩ ઑકે છે. તેમાં મહાવાક્યના અર્થને વિચાર કરી જવનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મથી અભિન્ન સાક્ષી છે એમ પ્રમાણને યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું છે. હરિમડેસ્તોત્રમાં ૪૪ કે છે. તેમાં ૪૩ શ્લેકમાં સંસારાંધકારની અત્યંતનિવૃત્તિ કરનાર પરમાત્માની અભેદભાવે સ્તુતિ કરી છે, ને ૪૪ મા.લોકમાં આ ઉત્તમ સ્તોત્રના અધ્યયનાદિવડે થનારા ફલનું વર્ણન કર્યું છે. યોગ તારાવલીમાં ૨૮ ઑકે છે. તેમાં ચિત્તવૃત્તિને બ્રહ્માકાર કરવાના ઉપાયનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે. આત્મબોધમાં ૬૮ કે છે. તેમાં જિજ્ઞાસુએ કેવા વિચારો વડે આત્મસ્વરૂપને જાણવું જોઈએ તેને ઉપદેશ કરવામાં આવ્યો છે. તત્ત્વબોધમાં મંગલાચરણથી ભિન્ન સર્વ ભાગ ગઘમાં છે. તેમાં સહેલી સંસ્કૃત ભાષામાં આત્માથી અભિબ બ્રહ્મની સ્થાપનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વાભાનિ પણ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 824