Book Title: Samaysara Part 01 Author(s): Bhagwandas Mansukhbhai Mehta Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 6
________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના ચરણ કમળમાં સમર્પણ જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે, પાવન અવિન આ કરી અવતારે રે; ભારત જ્યોતિર્ધર જે આ કાળે રે, વિરલ વિભૂતિ વિશ્વને ઉજ્જળે રે... જે ધર્મમૂર્ત્તિ. ૧ જે પુણ્યશ્લોક દિવ્ય જ્યોતિ રાજચંદ્રે રે, જ્ઞાનચંદ્રિકા વિસ્તારી આત્મચંદ્રે રે; સાક્ષાત્ જે પ્રયોગસિદ્ધ સમયસારે રે, આત્મસિદ્ધિ મહાપ્રામૃત આત્મ તારે રે... જે ધર્મમૂર્તિ. ૨ મહાવીરનો મહામાર્ગ જેણે ઉદ્ઘોષ્યો રે, નિગ્રંથ પંથ ભવ અંત ઉપાય ઉદ્બોધ્યો રે; મૂળ માર્ગનું દિવ્ય ગાન જેણે ગાયું રે, દિવ્ય ધ્વનિનું અમૃત પાન પાયું રે.. જે ધર્મમૂર્તિ, ૩ જે રાજચંદ્ર વચનામૃત જગ સારો રે, અનુભવસિદ્ધ સમય સારો રે; સાગર શું ગંભીર અહો ! અતિ ઉદારો રે, પામે કોણ અહો ! તેનો પારો રે... ધર્મમૂર્તિ. ૪ તે રાજચંદ્રના પદાજમાં પ્રોલ્લાસે રે, આત્મખ્યાતિ’ ઉપરે સર્જ્યું આ દાસે; ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉલ્લાસે રે, ગ્રંથ સમર્યો આ ભગવાનદાસે રે... જે ધર્મમૂર્તિ. ૫ ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ ૨૭-૩-’૯૪ ૫, કે.એમ. મુન્શી માર્ગ ૩ ભગવાનદાસPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 1016