Book Title: Samayik Author(s): Ramanlal C Shah Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf View full book textPage 2
________________ ૪૫૪ જિનતત્ત્વ જૈન ધર્મમાં પ્રાથમિક કક્ષાના બાળજીવોથી માંડીને પરમ સાધકો સુધી સર્વને માટે તરતમતાની અપેક્ષાએ સામાયિકના સ્વરૂપની વિભિન્ન કોટિ દર્શાવવામાં આવી છે. આત્મસ્વરૂપ અથવા આત્મદર્શનના સ્વરૂપથી માંડીને બે ઘડીની દ્રવ્યક્રિયા માટે “સામાયિક” શબ્દ શાસ્ત્રકારોએ પ્રયોજ્યો છે. સામાયિક' શબ્દ “સમ' ઉપરથી બનેલો છે. “સમના જુદ્ધ જુદા અર્થ થાય છે. “સમ” એટલે “આત્મા”, “સમ” એટલે “સરખાપણું”, “સમ' એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી. • સંસ્કૃત “આય’ શબ્દનો અર્થ થાય છે “લાભ', સમ + આ = સમાય = સમનો લાભ. “સમાયને ઇક પ્રત્યય લાગતાં પ્રથમ વર્ણ “સમાં રહેલો સ્વર (અ) દીર્ઘ (આ) થાય છે. સમ + આય + ક = સામાયિક એટલે કે જેમાં સમનો લાભ થાય છે તે.” (સમય એટલે કાળ. સમય + ક = સામયિક, જે અમુક સમયે થાય છે તે. સાપ્તાહિકો, માસિકો વગેરે માટે વપરાતો શબ્દ તે સામયિક” છે. (કેટલાક લોકોને “સામયિક' અને “સામાયિક' એ બંને શબ્દો જુદા જુદા છે અને બંનેના અર્થ અને ઉચ્ચાર જુદા છે તેની ખબર નથી હોતી.) આમ “સામાયિક” શબ્દ જૈન ધર્મમાં વિશિષ્ટ પારિભાષિક અર્થમાં વપરાયો છે અને બહુ પ્રાચીન કાળથી રૂઢ થયેલો છે. વળી સામાયિકના સમાનાર્થી શબ્દો પણ શાસ્ત્રગ્રંથોમાં પ્રયોજાયેલા છે. આવશ્યક નિર્યુક્તિ માં સામાયિક શબ્દના પર્યાય તરીકે “સમતા', સમ્યકત્વ', “શાંતિ', “સવિહિત' જેવા શબ્દો આપવામાં આવ્યા છે. એ ઉપરથી સામાયિક' શબ્દ કેટલો વ્યાપક, ઉચ્ચ અને ગહન અર્થમાં વપરાયો છે તે જોઈ શકાય છે. વળી “આવશ્યક નિર્યક્તિમાં કહ્યું છે કે સામાયિકના “સમ' શબ્દના સામ” અને “સામ્ય” એવા પર્યાયો પણ થાય છે. જુઓ : सामं समं च सम्म इग भिइ सामाइअस्स एगट्ठा। महुर परिणाम सामं समं तुला, सम्म खीरखंड जुइ ।। [સામ, સમ અને સમ એ સામાયિકના અર્થ છે. મધુર પરિણામ તે સામ”; તુલા (ત્રાજવાં) જેવું પરિણામ તે “સમ' અને ખીર તથા ખાંડ એકરૂપ બની જાય તેવું પરિણામ તે “સમ'.] સામાયિકની નીચે પ્રમાણે જુદી જુદી વ્યાખ્યાઓ શાસ્ત્રકારોએ આપી છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 41