Book Title: Rohiney Ras
Author(s): Bhanuben Shah
Publisher: Jain Sahitya Prakashak Samiti

View full book text
Previous | Next

Page 16
________________ $99999999999999999999999999999999999 (999999999999999999999999999 સુભાષિતો અને એકતાલીસ ગીતોનું વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું. | વિક્રમ સં.૧૬૮૮માં લખાયેલ આ રાસ ૩૪૪ ગાથામાં વિવિધ દેશીઓમાં લખાયો છે, શું હું જેથી એનું સંગીત સાથે ગાન થઈ શકે. આ રાસની કથામાં કેન્દ્રસ્થાને રોહિણેય કુમાર છે. તમથી હું સત્ત્વ તરફ ગતિ કરતું આ કથાનાયક જીવન ખૂબ જ રોચક અને આસ્લાદક છે. - રોહિણેયકુમારના પિતા લોહખુર ચોર હતા. અનેક માયાવી વિદ્યાઓના જાણકાર હતા. એની પત્ની રોહિણીની કુખે પુત્ર અવતર્યો. એનું નામ રોહિણેયકુમાર રખાયું. જન્મ સમયે છે. જ્યોતિષીઓએ કુંડળી જોઈને કહ્યું કે આ પુત્ર અનેક વિદ્યાઓનો જાણકાર બનશે પણ અંતે ધર્મિષ્ટ છે અને ધર્મ પ્રવર્તક બનશે. પિતાને આશ્ચર્ય થયું અને પોતાના જીવનની અંતિમ પળે તેમને પુત્રને છે. પ્રતિજ્ઞા લેવડાવી કે જીવનમાં ક્યારેય ભગવાન મહાવીરની વાણી ન સાંભળે. પુત્રે પિતા પાસે આ હૈ પ્રતિજ્ઞા ગ્રહણ કરી. પિતાના મૃત્યુ પછી રાજા શ્રેણિક અને અભયકુમાર મંત્રીએ રોહિણેયના પિતાને છે આપેલો ગરાસ પાછો લઈ લીધો એટલે રોહિણેય કુમાર ગુસ્સે થયો અને પોતાની અનેક વિદ્યાઓનો િઉપયોગ કરી રાજ્યમાં ચોરી કરતો, અનેકોને લૂંટતો અને ઘણું ધન ભેગું કર્યું. રાજ્યમાં હાહાકાર ફ થઈ ગયો. અનેક વેશધારી આ ચોરને પકડવા મંત્રી અભયકુમાર અને રાજા શ્રેણિકે આજ્ઞા કરી. હું એક વખત રોહિણેય ચોરી કરી ધન-ઝવેરાત લઈ દોડતો હતો ત્યારે પગમાં કાંટો વાગ્યો. એ વખતે હું બાજુના ઉધાનમાં ભગવાન મહાવીર દેશના આપી રહ્યા હતા એટલે રોહિણેયકુમારે મહાવીર વાણી સંભળાઈ ન જાય તે માટે બે હાથની આંગળીઓ કાનમાં નાખી દીધી, પણ કાંટો વાગ્યો હતો એટલે જે કાંટો કાઢવા એક કાનને આંગળીથી અળગો કર્યો એટલે મહાવીર વાણીનું શ્રવણ થઈ ગયું. એ વાણીમાં મહાવીર ભગવાન દેવલોકનું વર્ણન કરતા હતા કે દેવોને પડછાયો વગેરે ન હોય. મંત્રી અભયકુમારે છટકું ગોઠવી ચોર રોહિણેયને નિદ્રાધીન કર્યો અને છલથી દેવલોકની રચના કરી જેથી ચોર રોહિણેયકુમાર દેવો અને અપ્સરાની સમક્ષ પોતાનો ગુનો કબૂલે, પણ રોહિણેયકુમારે દેવો વિશે જિનવચન અને વર્ણન સાંભળ્યા હતા એવા આ દેવો ન હતા એટલે રોહિણેયકુમાર છે સભાન થઈ ગયો અને પકડાયો નહીં. ત્યારે રોહિણેયકુમારે વિચાર્યું કે મહાવીરની વાણી એક ક્ષણ કે ફિર માત્રથી મને આટલો બધો લાભ થયો અને હું પકડાયો નહીં તો મહાવીરની પુરી વાણી સાંભળી છે એમનો શિષ્ય બની જાઉં તો જેમ હું આ ક્ષણ તરી ગયો તેમ આખું જીવન અને ભવો ભવ તરી જાઉં. હું આમ વિચારી તે ભગવાનના શરણે ગયો. શ્રેણિક રાજા અને મંત્રી અભયકુમાર પાસે પોતાના દોષો હું પ્રગટ કરી પશ્ચાતાપ કરી દીક્ષાની અનુમતિ માંગી. રોહિણેયકુમાર ભગવાનનો શિષ્ય બન્યો. $ મહારાજાએ કુટુંબનિર્વાહ માટે તેનો ગરાસ પાછો આપ્યો. સંશોધન કર્તાએ મૂળ ૩૪૪ગાથાની કથાને લગભગ ૩૫૦ પૃષ્ઠોમાં વિસ્તારી છે. મારુ જી ગુર્જર ભાષાની મૂળ કડીઓ-મૂળહસ્તપ્રતમાંથી વર્તમાન લિપિમાં લિપ્યાંતર કરી પ્રત્યેક કઠીના $ શબ્દોના અર્થો, વિગતે ગધાંતર અને પછી વિવેચન એમ આ ગ્રંથનો પટ વિશાળ બને છે. સાથોસાથ રોહિણેય નાયકનો અહીં તુલનાત્મક અભ્યાસ કરતા લેખિકા લખે છે કે, 9ে999999999999999999999999999999999 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 386