Book Title: Pustako Je Mane Gamya Che
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: J B Kruplani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 12
________________ “નિર્દેશસૂત્ર” છે તેની હું તમને ચોખ્ખી ‘ના' પાડી દઉં છું. હું નહિ જ જાઉં; તમે બીજા કોઈને મેાકા. એ બહુ ભયંકર માણસ છે. તે મરણપથારીએ પડયો હોય તેય મને શું કહી કે કરી બેસે તે કહેવાય નહિ.” બુદ્ધ બીજા શિષ્યાને પણ કહી જોયું; પરંતુ મંજુશ્રી વિના બીજું કોઈ વિમલકીર્તિ પાસે જવા તૈયાર થયું નહિ. મંજુઘી બુદ્ધના બધા શિષ્યામાંથી જ્ઞાન-સાક્ષાત્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ શિષ્ય હતા. મંજુશ્રી વિમલકીતિ પાસે તેમની ખબર કાઢવા ગયા અને ત્યાં તે બે વચ્ચે જે વાતચીત કે બાલાચાલી થઈ તેનું જ આ ‘નિર્દેશસૂત્ર’ પુસ્તક બન્યું છે. ‘નિર્દેશ' એટલે સૂચન અથવા માર્ગદર્શન. વિમલકીતિ છેલ્લા શ્વાસ જ લઈ રહ્યા હતા; અને મંજુશ્રી તેમને પ્રશ્ન પૂછતા હતા અથવા તેમણે પૂછેલા પ્રશ્નના જવાબ આપતા હતા. એ રીતે — એમાંથી — આ પુસ્તકના જન્મ થયા છે. ખરેખર એ મહાન ગ્રંથ છે. કોઈ એ પુસ્તકની પંચાતમાં પડતું હોય એમ લાગતું નથી. કારણકે, એ પુસ્તક કઈ ધર્મ કે સંપ્રદાયનું પુસ્તક નથી. બૌદ્ધો પણ તેને પેાતાના સંપ્રદાયનું પુસ્તક ગણતા નથી; કારણકે, વિમલકીત બુદ્ધના વિધિસર શિષ્ય બન્યા ન હતા. લોકો તા ઉપરના નામ કે સિક્કાના જ પૂજારી હાય છે; અંદરના તથ્ય કે તત્ત્વના નહિ. બધા જિજ્ઞાસુઓને – મુમુક્ષુઓને હું તે પુસ્તકની ખાસ ભલામણ કરું છું. એ પુસ્તક હીરા કે રત્નાની ખાણ છે. ૧. ‘form.’' ૨. ‘spirit.’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 182