Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh
View full book text
________________
૨૧૨
તે જેમ કે ગુડાદિક દ્રવ્ય એકતા થાય છે, ત્યા માદકશક્તિ પિતાની મેળેજ ઉત્પન્ન થાય છે. માટે હે મુનિરાજ? આ યુક્તિથી જોતા જ્યારે જીવવસ્તુજ નથી, ત્યારે આપના કહેલાં જન્મ, મરણ, સુખ, દુઃખ, નરક, સ્વર્ગ, મોક્ષ પ્રકૃતિ કોને હોય? કપિંજલ પુરહિતના આવાં નાસ્તિકના વચન સાંભળી ગુરુ બેલ્યા કે
' હે ભદ્ર ' તે કહ્યું તે રીતે જ્યારે જીવ વસ્તુ નથી, ત્યારે તે કંઈ પણ સાધન કરવાની જરૂર નથી. પરંતુ હે ભાઈ ! જીવ નથી એમ તારે કોઈ દિવસ જાણવું નહિં. અર્થાત્ ! જીવ તો છે જ, પરંતુ તે જીવ ચિતન્ય લક્ષણયુક્ત અનુમાન ગ્રાહ્ય પદાર્થ છે. પરતુ ચક્ષુગ્રાા નથી. માટે હે બ્રાહ્મણ ! જે જીવ પદાર્થ ન હોય, તો તારે મત સત્ય ઠરે, પણ તેમ કેમ હોય? વળી હે બ્રાહ્મણ ! અમારા મતથી તે તે જીવ પદાર્થ શાશ્વત જ છે. હવે પ્રથમ તે કહ્યું કે તે જીવ પ્રત્યક્ષાદિ પ્રમાણુથી દેખાતે નથી, તેથી જીવપદાર્થ નથી ? પણ તેમ નથી, કારણ કે જે આધળા મનુષ્યો છે, તે જગતમાં પદાર્થ હોય છે, છતાં તેને દેખતા જ નથી તથા બહેરા જે હોય છે, તે પદાર્થોને સાભળતા નથી અને જે અંધબધિર નથી તે જીવો પદાર્થોને દેખે પણ છે, તથા સાભળે પણ છે, તેથી તે પદાર્થો શાશ્વત નથી એમ કહેવાય ? ના કહેવાય જ નહિં. તેમ સંદેશ અને છસ્થ પ્રાણીઓ કદાચિત્ આ શાશ્વતા એવા જીવ પદાર્થને પ્રત્યક્ષ રીતે દેખતા નથી. અને તેને કેવલજ્ઞાની તે પ્રત્યક્ષ રીતે દેખેજ છે, તે તે જીવ પદાર્થ શાશ્વતો નથી એમ કેમ કહેવાય ? વળી કહ્યું છે કે અતીન્દ્રિય, એ જે જીવ છે, તેને ચર્મચક્ષુવાળા મનુષ્ય, દેખતા નથી અને સર્વજ્ઞ એવા સિદ્ધપુરુ, તથા જ્ઞાનસિદ્ધ એવા ચેગી પુરુષે દેખે છે. વળી તેં કહ્યું કે તે જીવ, શંખના શબ્દની જેમ સ ભળતું નથી તથા ભાતના ઓસામણ પ્રમુખ રસ સમાન રસરુપે દેખાતું નથી ? તેને ઉત્તર તે તે પૂર્વોક્ત ઉત્તરમાં આવી જ ગયે. કારણ કે જે અતી પ્રિય હોય તે સંભળાય નહીં, તેમ તે રસની જેમ દેખાય પણ નહી. વળી હે કપિંજલ ! તે કહ્યું કે પંચમહાભૂતના સમુદાયથી શરીરમાં પિતાની મેળે ચૈતન્યશક્તિ ઉત્પન્ન થાય છે, જેમ કે ગુદાજિકદ્રવ્ય યુક્ત મદિરામાં પિતાની મેળે માદકશક્તિ ઉત્પન્ન થાય છે? તે ત્યાં કહું છું, તે સાંભળ. કે જે તુ પચ મહાભૂત કહે છે, તો તે ૫ ચમહાભૂતને તમે સચેતન કહે છે કે અચેતન ! જે તું સચેતન કહે છે, તો તે અમોને ઈ ટાપતિ છે, એટલે અમે તે પૃથિવ્યાદિક સર્વને એકેન્દ્રિય કહીએ છીએ, અને એમ કહેવાથી અમારી જેમ તે પણ જીવ પદાર્થ માજ કહેવાય, તે વાદન કયા રહ્યો ? અને જે તે પચમહાભૂતને તુ અચેતન કહેતે હા, તે તે અચેતનના સમુદાયથી ચૈતન્ય પરિણામ થાયજ કેમ? અને વળી જે તે પ્રત્યેક મહાભૂત અચેતન છે, તે તેને પોતાની મેળે સમુદાયપણે મળવાની શક્તિ પણ કેમ સ ભવે ? તેથી તારું જે આ અજ્ઞાનપણનું બેસવુ છે, તે સર્વ વ્યર્થ છે. વળી તે કહ્યું કે ગુડા દિક દ્રવ્યથી બનેલા મદિરામાં જેમ માદકશક્તિ પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે, તેમ