Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 282
________________ ર૭ર અંગમાં પણ સુંદરત્વ કયાં છે ? જેવાં આપણાં શરીર છે, તેવાંજ પુરુષનાં પણ છે. તેમ છતા પણ આ આર્યપુત્ર, કેવલ સ્ત્રીને દેહને જ કેમ નિ દે છે ? એમ, જ્યાં વિચાર કરે છે, ત્યાં તે વળી પૃથ્વીચદ્ર કુમાર બેલ્યા, કે હે બટુક ! હાલ જે મેં કહ્યું, કે જે કામાસકતા પુરુષ હોય છે, તે સ્ત્રીઓના શરીરને વૃથા સુંદર માની મેહ પામે છે. તેમ વળી સ્ત્રીઓ પણ કામાસકત થઈ પૂર્વોકત રીતે દેખવામાં સુંદર અને વસ્તુત. સ્ત્રીના અંગની જેમ દુર્ગધવસ્તુથી ભરપૂર, એવા પુરુષોના શરીરને વિષે મેહ પામીને વિષકીટકની જેમ રમે છે. પરંતુ પુરુષના કરતાં સ્ત્રીમાં ચાર દે વધારે હોય છે. તેથી તે વધારે નિદ્ય છે. તે ચાર દેષ ક્યા?, તે કહે છે કે તેમાં એક દેષ તે વસ્તુનું આવવું, બીજે દેષ દુગર્ભનું ધારણ કરવું, ત્રીજે દેશ સુવાવડ થાય તે, અને ચે,દેષ પ્રસવ થાય ત્યારે પૂર્વોક્ત તુ વગેરે સર્વ દુર્ગધ અને ખરાબ પદાર્થો દેખવામા આવે છે તે માટે તે સ્ત્રીના અંગમાં ચાર દે વધારે છે. એમ કહીને પાછા વળી તે કેશવ બટુકના દૃષ્ટાંત સાથે મેળવી કહે છે. કે હે બટુક! આ જીવ, કેશવની જેમ તેવા વિષય સુખરૂપ નિધિને આ દેહરુપ ઘરને વિષે જોવે છે, અને તે વિષયસુખને કુચેષ્ટારૂપ કેદાળીથી નહિ કાઢ, તે પણ તે જીવ, તેઓનું માનતો નથી ત્યારે પછી તે કુચેષ્ટારૂપ કેદાળીના પ્રહારથી ધર્મમર્યાદા રૂપ ભીંત તેની પર પડે છે. અને આ પ્રકારના દુર્નચે કરી અપયશપ કચરાથી તે વ્યાપ્ત થઈ જાય છે. અને પછી કર્મપરિણતિરુપ કપિલા સ્ત્રીથી હેલના પામે છે કટિ ભાંગવા સમાન સંસાર દુઃખમાં પડે છે. માટે આવા મુખ એવા કેશવ બટુકની જેમ નિર્વિવેકી એવા સંસારી જીવન ચશ્વિને જોઈને કેના હૃદયમાં વેરાગ્ય ન થાય ? અર્થાત્ જરૂર થાય. * આ પ્રકારમાં તે કુમારનાં વચન સાંભળી તે કુમારને મધ્યસ્થ એટલે નિપક્ષપાતી માની તથા સંસારની પણ અસારતા જાણ, તે સર્વસ્ત્રીઓ સવેગરંગરંગિત થઈ ગયે. અને કહેવા લાગી કે આપે એ સર્વ સાચું જ કહ્યું પરંતુ હું આર્યપુત્ર ! તે સંસારને ‘ત્યાગ કયા ઉપાયથી થાય ?' તે કૃપા કરી કહે. ત્યારે પૃથ્વીચ દ્રકુમાર બે કે હે ભાઈઓ સાંભળે કે તે સંસારત્યાગને ઉપાય તે એક ધર્મ, અને બીજું સુગુરુનું સેવન એ બેજ છે. તેમાં ગુરુ પણ કેવા જોઈએ ? કે જે સંસારના ભેગસુખમાં લિપ્ત ન હોય ? તે સાંભળી સ્ત્રીઓ બેલી કે હે પ્રભે તેવા તો આપજ અને ધર્મપ્રબોધ કરનારા ગુરુઓ છે. અને તે વિભે! અમે પણ આ સ્ત્રીઓ પૃથ્વીચદ્રકુમારની છે” તેવા શબ્દ કરી કૃતાર્થ થયા છીએ. 1 * હવેથી અમારી સર્વ ભગતૃષ્ણ પણું ગઈ છે તે માટે હવે હમણાં જ અમેને તે ઉત્તમ એવા જિનધર્મની પ્રાપ્તિ કરે વળી હે આર્યપુત્ર ! આપને પણ હવે એ સળગેલા ઘર સમાન સંસારમાં રહેવું ઉચિત નથી. આપ સર્વધર્મના તત્વને જાણે છે, તે ત્યાં આપને અમે અજ્ઞાની શુ કહીએ ?' આ પ્રમાણે પિતાની સર્વસ્ત્રીઓને બંધ પામેલી જોઈને તે કુમાર, 'અત્યંત પ્રસન્ન થઈ કહે છે, કે હે ભદ્રભાવી સ્ત્રીઓ ! તમારો વિવેક ઘણોજ

Loading...

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301