Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 239
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-ર૬પ : ૨૨૫ ચૈતન્યવસ્તુના ભાન વિના, આત્મદર્શન ને આત્મજ્ઞાન વિના એકલી ક્રિયાઓ કરી-કરીને એણે આત્માને મરણતુલ્ય કરી નાખ્યો છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતના પાલનનો રાગ તથા સ્વાધ્યાયનો વિકલ્પ ઇત્યાદિ બધો શુભરાગ છે; એને ઓળંગી જઈને, જેમ દરિયાના તળિયે જતાં મોતી હાથ આવે તેમ, અંતરમાં ડૂબકી લગાવતાં ચૈતન્યપ્રભુ આત્મા હાથ આવે છે; આને નિશ્ચય સમ્યગ્દર્શન કર્યું છે, તથા અંતર્મુખ થતાં જે સ્વસંવેદન જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે, તથા અંતર-લીનતા થાય તે સમ્યક્રચારિત્ર છે. અહાહા...! આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ભેદો તેપણા વડે આત્મા સ્વયં સાધકપણે થાય છે, અર્થાત્ મોક્ષના ઉપાયપણે સ્વયં આત્મા થાય છે. લ્યો, આવી વાત! પણ અરેરે ! રાગની આડશમાં એને આવડો મહાન “અનંત સુખથી ભરિયો, અનંત ગુણનો દરિયો' દષ્ટિમાં આવતો નથી. અનેક વ્રત, તપ કરવા છતાં તેને સાધકપણું પ્રગટતું નથી. સમજાય છે કાંઈ...? હવે કહે છે-“તથા પરમ પ્રકર્ષની હદને પામેલા રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત (દેદીપ્યમાન ) થયેલો જે અસ્મલિત વિમળ સ્વભાવભાવ તે-પણા વડે પોતે સિદ્ધ રૂપે પરિણમતું એવું એક જ જ્ઞાનમાત્ર ઉપાય-ઉપયભાવ સાધે છે.” જુઓ, અહીં એમ કહે છે કે અંદર સ્વરૂપમાં મગ્ન-લીન થતાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટયા તે રત્નત્રય છે. તેની પરમ પ્રકર્ષરૂપ ઉત્કૃષ્ટ દશા થતાં અર્થાત ભગવાન આત્માનો પૂર્ણ આશ્રય થતાં તેના ફળરૂપે મોક્ષદશા પ્રગટ થાય છે. અહા ! રત્નત્રયની અતિશયતાથી પ્રવર્તેલો જે સકળ કર્મનો ક્ષય તેનાથી પ્રજ્વલિત થયેલો જે અસ્મલિત વિમળ સ્વભાવભાવ તે પૂર્ણ મોક્ષદશા છે. પ્રશ્ન:- ઉપવાસ કરવાથી કર્મનો ક્ષય થઈ જાય છે એ બરાબર છે? ઉત્તર:- ના, એ બરાબર નથી. દર્શન-જ્ઞાન-ચારિત્રની પરમ પ્રકર્ષરૂપ અતિશયતા વિના કર્મનો ક્ષય થતો નથી. ઉપવાસથી કર્મનો ક્ષય થાય છે એમ કહેવું એ ઉપચારમાત્ર કથન છે. અરે, સ્વરૂપના આશ્રયે પ્રગટવા યોગ્ય એવાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વિના એણે ઉપવાસાદિ બાહ્ય કરણી અનંત વાર કરી; પણ એથી શું? એનો સંસાર મટયો નહિ, ભવના નિવેડા આવ્યા નહિ. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની વિશેષતાથી આગ્નવોનો નિરોધ થાય છે, ને કર્મનો ક્ષય થાય છે. રત્નત્રયની પરમ પ્રકર્ષરૂપ અતિશયતાથી સંકળ કર્મનો ક્ષય થાય છે, અને ત્યારે અંદર પ્રગટ થયેલો અખ્ખલિત ઉજ્વળ વિમળ સ્વભાવભાવ-કેવળદર્શન-કેવળજ્ઞાન-અનંતસુખ ઇત્યાદિરૂપ સ્વભાવભાવ-તે રૂપે પરિણમવું તે મોક્ષદશા છે. અહાહા..! આવી મોક્ષદશા અસ્મલિત છે; જેને થઈ તે થઈ, ફરી તે સંસારમાં આવે નહિ. તો જગતમાં પાપ વધી પડે ત્યારે ભક્તોની રક્ષા કરવા ભગવાન અવતાર લે છે એ શું વાત છે? એ તો લૌકિક માન્યતા છે, એ વાતમાં કાંઈ તથ્ય નથી. અસ્મલિત એટલે ફરે નહિ, પડી જાય નહિ એવા પૂર્ણ વિમળ સ્વભાવભાવે ઉપજ્યો તે સિદ્ધરૂપે પરિણમ્યો, હવે તે સંસારમાં અવતરે નહિ, કેમકે સંસારમાં અવતરે એવું કોઈ કારણ જ રહ્યું નથી. અહાહા..! જ્ઞાનસ્વભાવ ત્રિકાળ એકરૂપ હોવા છતાં, પર્યાયમાં સાધકપણે અને સિદ્ધપણે-એમ બે-પણે પોતે થાય છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એમ સાધકરૂપે અને તેની ઉત્કૃષ્ટ દશા થતાં સિદ્ધરૂપે-એમ બે રૂપે પોતે જ પ્રગટ થાય છે. એ બન્ને ભગવાન આત્માની અવસ્થાઓ છે ને તે રૂપે તે પોતે જ પરિણમે છે, અને કોઈ બાહ્ય વ્યવહારની ગરજ–અપેક્ષા નથી. યદ્યપિ બાહ્ય વ્યવહાર હોય છે, પણ ધર્માત્માને એ કાંઈ નથી, એને ઓળંગીને તે ક્રમે સિદ્ધરૂપે પોતે પરિણમી જાય છે. પ્રશ્ન:- જો વ્યવહાર-શુભભાવ જરાય મદદગાર નથી તો એને શાસ્ત્રમાં સાધક કેમ કહ્યો છે? ઉત્તર:- ધર્મી પુરુષને તેની વર્તમાન પ્રગટ નિર્મળ દશાને તે (-વ્યવહાર) વિક્ષેપ કરતો નથી તેથી સહચર દેખીને ઉપચારથી સાધક કહ્યો છે. ભાઈ, તારે જો મોક્ષ જ જોઈએ છે તો સ્વ-આશ્રયે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમવું પડશે; આ એક જ મોક્ષમાર્ગ છે, અને તે રૂપે ઉત્કૃષ્ટ પરિણમતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બાપુ! આ તો પ્રાતની પ્રાપ્તિનો સ્વ-આશ્રયનો માર્ગ છે. જેમ લીંડી પીપરમાં ચોસઠ પહોરી તીખાશ છે તો તેને ઘૂંટતા બહાર અવસ્થામાં પ્રગટ થાય છે, તેમ ભગવાન આત્મા સ્વભાવથી મોક્ષસ્વરૂપ છે તેમાં એકાગ્ર-પૂર્ણ એકાગ્ર થતાં બહાર અવસ્થામાં મોક્ષદશા પ્રગટે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294