Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 279
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭૫ : ર૬૫ (-પોતાના સ્વભાવરૂપ) તેજ:પુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળક્તા હોવાથી જે અનેક શેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે), [સ્વ-૨સ-વિસર-પૂર્ણ-ચ્છિન્ન-તત્ત્વ-૪૫નમ:] જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને [પ્રસમ-નિયમિત-ર્વિ:] અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કપ રહે છે) [ Us: જિત-વમel૨: નયતિ। એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચ૨) ચૈતન્યચમત્કાર જયવંત વર્તે છે (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે). (અહીં “ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.) ૨૭૫. * કળશ ૨૭૫: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સદન-તેન: પૂર્સ–મેગ્નત-ત્રિનો–રવર્તત–રિત્ન-વિવ7: gિ : gવ સ્વરૂપ:' સહુજ (પોતાના સ્વભાવરૂપ) તેજ: પંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે ( અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે અનેક જ્ઞયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દૃષ્ટિમાં જે એકસ્વરૂપ જ છે),.... જુઓ, શું કહે છે? કે પોતાના જ્ઞાનના તેજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી, અર્થાત્ ત્રણ લોકના પદાર્થો જ્ઞાનમાં જણાતા હોવાથી, જાણે કે ત્રણ લોકના પદાર્થો અહીં જ્ઞાનમાં પેસી ગયા હોય એમ જ્ઞાનમાં અનેક ભેદો થતા દેખાય છે તોપણ, કહે છે, જ્ઞાનનું એક જ સ્વરૂપ છે. અહા ! કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી અનેક શેયાકારરૂપે તે દેખાય છે, અર્થાત્ લોકાલોકને જાણતાં જ્ઞાન જ્ઞયાકાર થતું દેખાય છે તોપણ ખરેખર જ્ઞાન જ્ઞાનાકાર જ છે, જ્ઞયાકારરૂપે થયું નથી. અનેકને જાણતાં પણ જ્ઞાન એકરૂપ ( જ્ઞાનરૂપ જ) રહે છે. લોકાલોકને જાણનારી જ્ઞાનની દશા પોતાની જ છે, તેમાં પરશયોનો પ્રવેશ નથી. અહા ! જ્ઞાન અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી, એકરૂપ જ હવે વિશેષ કહે છે-“સ્વ–૨ન-વિસર–પૂf–ચ્છિન્ન-તત્ત્વ-ઉપન્મ:' જેમાં નિજ રસના ફેલાવથી પૂર્ણ અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ-અનુભવનનો અભાવ થતો નથી) અને. અહાહા..! શુદ્ધ આત્માની પૂર્ણ અનુભવ દશા, પૂર્ણ ઉપલબ્ધિ થઈ તે થઈ, હવે તેનો અભાવ નહિ થાય. પ્રવચનસાર ગાથા ૧૭રની ટીકાના નવમાં બોલમાં આવે છે કે “ઉપયોગનું કોઈથી હરણ થતું નથી,' એટલે કે એક વાર શુદ્ધાત્માના આશ્રયે જે ઉપયોગ પ્રગટ થયો તેનો કોઈથી નાશ થતો નથી. દ્રવ્યસ્વભાવનો નાશ થાય તો તેના આશ્રયે પ્રગટ થયેલા ઉપયોગનો નાશ થાય. (પણ એમ થતું નથી, થવું સંભવિત નથી). વસ્તુસ્થિતિ આવી છે. અહાહા...! ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વભાવ પ્રભુ તેની દષ્ટિ ને રમણતાની પૂર્ણતા થઈતે ફરીને હવે નીચે પડે ને સાધકદશા થાય વા વિપરીતતા થાય એમ બનતું નથી. એક વાર સાધકમાંથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય તે હવે સિદ્ધપદમાંથી સાધક થાય કે પર્યાયમાં વિપરીતતા થાય એમ બનતું નથી. સિદ્ધપદ પ્રાપ્ત થયું તેને છેદાય નહિ તેવી તત્ત્વોપલબ્ધિ થઈ. તત્ત્વની ઉપલબ્ધિ એટલે શું? તત્ત્વ તો તત્ત્વરૂપ છે જ, પરંતુ જેવું તત્ત્વ છે એવી તેની પૂર્ણ દશા થાય એટલે તત્ત્વની ઉપલબ્ધિ થઈ કહેવાય. સમજાણું કાંઈ...? અને “ઘરૂમ-નિયમિત-ર્જિ: ' અત્યંત નિયમિત જેની જ્યોતિ છે (અર્થાત અનંત વીર્યથી જે નિષ્કપ રહે છે) “પુષ: ચિત્રમાર: નયતિ' એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે. (-કોઈથી બાધિત ન કરી શકાય એમ સર્વોત્કૃષ્ટપણે વર્તે છે.) અાહા....! કેવળજ્ઞાન જ્યોતિ જે પ્રગટ થઈ તે, કહે છે, અનંત વીર્યથી સદા નિષ્ક્રપ એકરૂપ રહે છે. જુઓ, અહીં અનંત વીર્ય લીધું. અહાહા...! અનંત વીર્ય વડે આ કેવળજ્ઞાન જ્યોતિ, બીજ સમયે, ત્રીજે સમયે એવી ને એવી પ્રગટ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294