Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 283
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭૭ : ર૬૯ વળી, નિ:સપત્નરત્વમાવ' વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી આચ્છાદિત ન થવાનું જણાવે છે.' ચંદ્રની અંદર રાહુ આવે છે અને તે એક એક દિવસે એક એક કળાને રોકે છે; વળી ચંદ્ર વાદળોથી આચ્છાદિત થાય છે. ભગવાન આત્મામાં તેને રોકવાવાળો કોઈ રાહુ છે નહિ, તથા તે કોઈથી આચ્છાદિત થતો નથી. માટે ચંદ્રમાની ઉપમા તેને લાગુ પડતી નથી. વળી, “સમન્તાત્ ' કહ્યું છે તે સર્વ ક્ષેત્રે તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી. અહા ! ત્રણ કાળ ત્રણ લોકોને જાણે એવો આત્માનો પ્રકાશ છે; જ્યારે ચંદ્રનો પ્રકાશ તો થોડો કાળ અને થોડા ક્ષેત્રમાં જ હોય છે. આ પ્રમાણે ચંદ્ર સાથે ભગવાન આત્માની ઉપમા લાગુ પડતી નથી. આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે “અમૃતચંદ્ર’ એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં “અમૃતચંદ્ર'ના અને “અમૃતચંદ્રજ્યોતિ’ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. હવે શ્રીમાન અમૃતચંદ્ર આચાર્યદવ બે કાવ્યો કહીને આ સમયસારશાસ્ત્રની આત્મખ્યાતિ નામની ટીકા પૂર્ણ કરે છે. “અજ્ઞાનદશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો, પ૨દ્રવ્યની ક્રિયાનો કર્તા થતો હતો, ક્રિયાના ફળનો ભોક્તા થતો હતો,-ઇત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઇ જ નથી જ એમ અનુભવાય છે.'-આવા અર્થનું કાવ્ય પ્રથમ કહે છે: (શાર્દૂત્તવિવ્રીડિત) यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः। भुञ्जाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं तद्विज्ञानघनौघमग्नमधुना किञ्चिन्न किञ्चित्किल।। २७७।। શ્લોકાર્થઃ- [વસ્મત] જેનાથી (અર્થાત્ જે પરસંયોગરૂપ બંધ પર્યાયજનિત અજ્ઞાનથી) [ પુરા] પ્રથમ [ સ્વ-રૂપયો: મૈતમ અમર] પોતાનું અને પરનું દ્રત થયું (અર્થાત પોતાના અને પ૨ના ભેળ થયો), [યત: સત્ર સત્તાં ભૂતં] દૈતપણું થતાં જેનાથી સ્વરૂપમાં અંતર પડયું (અર્થાત બંધાર્યાય જ પોતારૂપ જણાયો, [યત: -દ્વેષ-પરિપ્રદે સતિ] સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, [છિયા-વIR: નાd] રાગદ્વેષનું ગ્રહણ થતાં જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત ક્રિયાનો અને કર્તા-કર્મ આદિ કારકોનો ભેદ પડયો), [ યત: અનુભૂતિઃ શિવાયા: વિનં નં મુસ્નાના વિના] કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (-ખેદ પામી), [તત વિજ્ઞાન-ઇન-મોધ-માન] તે અજ્ઞાન હવે વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન થયું ( અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) [ લધુના વિશન ક્રિશ્ચિત ન વિચિત] તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી. ભાવાર્થ:- પરસંયોગથી જ્ઞાન જ અજ્ઞાનરૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કાંઈ જુદી વસ્તુ નહોતી; માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપે પરિણમ્યું ત્યાં તે (અજ્ઞાન) કાંઈ જ ન રહ્યું, અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું. માટે હવે આત્મા સ્વ-પરના ત્રણકાળવાર્તા ભાવોને જ્ઞાતા-દ્રષ્ટા થઈને જાણ્યા-દેખ્યા જ કરો. ૨૭૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294