Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 250
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः।। २६७।। શ્લોકાઃ- [s:] જે પુરુષ [ચાર–ોશન–સુનિશ્ચત–સંચમાખ્યાં] સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડ [ફ૬ ૩૫યુp:] પોતામાં ઉપયુક્ત રહેતો થકો (અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો ) [ : મદ: સ્વમ માવતિ] પ્રતિદિન પોતાને ભાવે છે (નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે), [+: 5:] તે જ એક (પુરુષ), [ જ્ઞાન-વિય–નય–પરસ્પર—તીવ્રમૈત્રી–પત્રીકૃત:] જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, [મામ ભૂમિ શ્રતિ] આ ( જ્ઞાનમાત્ર નિજભાવમય ) ભૂમિકાનો આશ્રય કરે છે. ભાવાર્થ- જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડ છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે ક્રિયાયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુણિરૂપ) શુભ કર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી. જે પુરુષ અનેકાંતમય આત્માને જાણે છે (–અનુભવે છે) તથા સુનિશ્ચળ સંયમમાં વર્તે છે (-રાગાદિક અશુદ્ધ પરિણતિનો ત્યાગ કરે છે), એ રીતે જેણે જ્ઞાનનય અને ક્રિયાયની પરસ્પર તીવ્ર મૈત્રી સાધી છે, તે જ પુરુષ આ જ્ઞાનમાત્ર નિજભાવમયી ભૂમિકાનો આશ્રય કરનાર છે. જ્ઞાનનય અને ક્રિયાનયના ગ્રહણ-ત્યાગનું સ્વરૂપ અને ફળ “પંચાસ્તિકાય-સંગ્રહ’ શાસ્ત્રના અંતમાં કહ્યું છે, ત્યાંથી જાણવું. ર૬૭. * કળશ ૨૬૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘:' જે પુરુષ ‘સ્થા–શન–સુનિશ્ચિત્ન–સંયમભ્યામ્' સ્યાદ્વાદમાં પ્રવીણતા તથા (રાગાદિક અશુદ્ધ પરિણતિના ત્યાગરૂપ) સુનિશ્ચળ સંયમ-એ બન્ને વડ ‘રૂદ્દ ઉપયુવત:' પોતામાં ઉપયુક્ત રહેતો થકો ( અર્થાત્ પોતાના જ્ઞાનસ્વરૂપ આત્મામાં ઉપયોગને જોડતો થકો) “મ: અદ: હું ભાવતિ' પ્રતિદિન પોતાને ભાવે છે (-નિરંતર પોતાના આત્માની ભાવના કરે છે). અહાહા..! અહીં સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એમ બે વાત લીધી છે. ત્યાં સ્યાદ્વાદની પ્રવીણતા એટલે શું? કે દ્રવ્યસ્વરૂપમાં, ભગવાન ત્રિકાળી એક જ્ઞાયકમાં નિમિત્ત, રાગ કે ૫ રાગ કે પર્યાયમાં ભગવાન જ્ઞાયક નથી, અહાહા...! આવું સ્વના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાનરૂપ પરિણમન થાય તે સ્યાદ્વાદની પ્રવીણતા છે. “શુદ્ધ ’માં રાગાદિ નહિ, ને રાગાદિમાં “શુદ્ધ' નહિ એવું જ્ઞાનનું પરિણમન તે સ્યાદ્વાદની પ્રવીણતા છે. તથા જેમાં અશુદ્ધ પરિણતિનો ત્યાગ વર્તે છે એવી સ્વસ્વરૂપની રમણતા, સ્થિરતા, નિશ્ચલતા તે સંયમ છે. અહીં કહે છે–સ્યાદ્વાદની પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ-એ બે વડ જે પુરુષ પોતામાં ઉપયુક્ત રહેતો થકો, ઉપયોગને પોતામાં જ સ્થિર કરતો થકો પ્રતિદિન પોતાને ભાવે છે તે આ ભૂમિકાને અર્થાત્ સાધકપણાને પામે છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ....? અહા! જેને સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થયું તેને સ્વ-આશ્રયે સુનિશ્ચિળ સંયમ પ્રગટ થાય છે. જ્ઞાન-શ્રદ્ધાન થવામાં સ્વભાવ સન્મુખતાનો જે પુરુષાર્થ છે તેનાથી સુનિશ્ચલ સંયમ થવામાં ચારિત્રનો અનેક ગુણો પુરુષાર્થ હોય છે. અહાહા...! ચારિત્ર એટલે શું? જે ચૈતન્યસ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસ્યું ને શ્રદ્ધામાં આવ્યું તેમાં વિશેષપણે ચરવું, રમવું, ઠરવું, જમવું તેનું નામ ચારિત્ર છે. અહાહા...! જેમાં પ્રચુર આનંદનાં ભોજન થાય એવી સ્વાનુભવની સુનિશ્ચલ દશા તેને ચારિત્ર કહે છે. અશુદ્ધતાનો ત્યાગ થઈ શુદ્ધ રત્નત્રય પરિણતિનું પ્રગટ થવું એનું નામ સંયમ અર્થાત્ ચારિત્ર છે. છ કાયની દયા પાળવી તેને સંયમ કહે છે ને? હા, છ કાયની દયા પાળવી તેને સંયમ કહેલ છે, પણ એ તો ભેદરૂપ સંયમ છે. વાસ્તવમાં એ શુભરાગ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294