Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 263
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭૧ : ૨૪૯ પોતે જ જ્ઞાન, પોતે જ શેય અને પોતે જ જ્ઞાતા-એમ જ્ઞાન-શેય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો). ભાવાર્થ:- જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે. વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જોયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; શેયોના આકારની ઝળક જ્ઞાનમાં આવતાં જ્ઞાન શેયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડે જણાય છે. આ રીતે પોતે જ પોતાથી જણાવાયોગ્ય હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ શેયરૂપ છે. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાનમાત્ર ભાવ જ જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાનમાત્ર ભાવ જ્ઞાન, શેય અને જ્ઞાતા-એ ત્રણે ભાવોયુક્ત સામાન્યવિશેષ સ્વરૂપ વસ્તુ છે. “આવો જ્ઞાનમાત્ર ભાવ હું છું' એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. ૨૭૧. * કળશ ૨૭૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘ા: મયં જ્ઞાનમાત્ર: ભાવ: મદમ્ શ્મિ સં: àય-જ્ઞાનમાત્ર: વ ન જ્ઞેય:' જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે mયોના જ્ઞાનમાત્ર જ ન જાણવો.” જુઓ, શું કહે છે? જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવામાત્ર જ ન જાણવો. શું કીધું? લોકમાં જેટલાં દ્રવ્યો છે-અનંતા સિદ્ધો ને અનંતા નિગોદના જીવો સહિત જીવો, અનંતાનંત પુદ્ગલો-દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ-એમ છ દ્રવ્યો-તેના દ્રવ્ય-ગુણ-પર્યાયો-તે મારાં શેય અને હું એનો જ્ઞાયક એમ, કહે છે, ન જાણવું હવે એનું કર્તાપણું તો ક્યાંય ગયું, અહીં તો કહે છે એના (છ દ્રવ્યોના) જાણવા માત્ર હું છું એમ ન જાણવું. ગજબ વાત છે ભાઈ ! પરદ્રવ્યો સાથે જ્ઞયજ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી, વ્યવહારમાત્ર એવો સંબંધ છે. સમજાય છે કાંઈ....? જૈન તત્ત્વજ્ઞાન બહુ ઝીણું છે ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે ને ધર્માત્માને? અહીં કહે છે–ભગવાન આત્મા જ્ઞાયક, ને વ્યવહાર રત્નત્રયનો રાગ એનું જ્ઞય એમ વાસ્તવમાં છે નહિ. બારમી ગાથામાં વ્યવહાર “જાણેલો” પ્રયોજનવાન કહ્યો એ તો વ્યવહારથી વાત છે. નિશ્ચયથી તો સ્વપરને પ્રકાશનારી પોતાની જ્ઞાનની દશા જ પોતાનું જ્ઞય છે. રાગાદિ પરવસ્તુ-પરદ્રવ્યોને એનાં જ્ઞય કહેવાં તે વ્યવહારથી છે, નિશ્ચયથી પર સાથે એને જ્ઞયજ્ઞાયક સંબંધ પણ નથી. હવે પર સાથે એને મારાપણાનો –સ્વામિત્વનો અને કર્તાપણાનો સંબંધ હોવાની વાત તો કયાંય ઉડી ગઈ. સમજાણું કાંઈ...? અહહ....! કહે છે-જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું તે શયોના જ્ઞાનમાત્ર ન જાણવો. તો કેવી રીતે છે? તો કહે છે ‘શે-જ્ઞાનસ્તોત્ર વન' (પરંતુ ) જ્ઞયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલોરૂપે પરિણમતો તે, ‘જ્ઞાનગ્નેય–જ્ઞાતૃમ–વસ્તુમાત્ર: ગ્લેય:' જ્ઞાન-શૈય-જ્ઞાતામય વસ્તુમાત્ર જાણવો. (અર્થાત્ પોતે જ જ્ઞાન, પોતે જ જ્ઞય અને પોતે જ જ્ઞાતા –એમ જ્ઞાન–શય-જ્ઞાતારૂપ ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર જાણવો). “જ્ઞયોના આકારે થતા જ્ઞાનના કલ્લોલરૂપે પરિણમતો '-આ વ્યવહારથી કહ્યું હતું. ખરેખર તો જ્ઞયોનું-છ દ્રવ્યનું જેવું સ્વરૂપ છે તેને જાણવાના વિશેષરૂપે પરિણમવું તે જ્ઞાનની પોતાની દશા છે, ને તે જ્ઞાનના પોતાના સામર્થ્યથી છે. “શયોના આકારે થતું જ્ઞાન” એ તો કહેવામાત્ર છે, બાકી જ્ઞાન જ્ઞાનાકાર જ છે, યાકાર છે જ નહિ. સમજાણું કાંઈ...? અહાહા...! અહીં કહે છે–એ જ્ઞાનની પર્યાય ને મારા દ્રવ્ય-ગુણ (દ્રવ્ય-ગુણ-પર્યાય) ત્રણે થઈને હું શેય છું. જ્ઞાન હું, જ્ઞાતા હું, ને જ્ઞય આ લોકાલોક-એવું કોણે કહ્યું? પરમાર્થે એમ છે નહિ. એમ કહેવું એ વ્યવહાર છે. અહાહા...! ધર્મીના અંતરની ખુમારી તો જુઓ! કહે છે-જગતમાં હું એક જ છું, જગતમાં બીજી ચીજો હો હો હો, પરમાર્થે તેની સાથે મારે જાણવાપણાનોય સંબંધ છે નહિ. આવી વાત ! સમજાણું કાંઈ...? અહાહા..! અહીં શું કહે છે? કે પર જ્ઞય (પરપદાર્થો-દેવ-ગુરુ-શાસ્ત્ર, પંચ પરમેષ્ઠી, ને વ્યવહાર રત્નત્રય આદિ શેય), હું જ્ઞાન, ને હું જ્ઞાતા-એવો સંબંધ હોવાનું તો દૂર રહો, હું જ્ઞય, હું જ્ઞાન, ને હું જ્ઞાતા પણ હું નથી. એ ત્રણેય હું એક છે. જુઓ આ સ્વાનુભવની દશા! જ્ઞાન-જ્ઞાતા-જ્ઞય એવા ભેદોથી ભેદાતો નથી એવો અભેદ ચિત્માત્ર હું આત્મા છું. હું ય છું, હું જ્ઞાન છું, હું જ્ઞાતા છું એવા ત્રણ ભેદ ઉપજે એ તો રાગ-વિકલ્પ છે, પણ વસ્તુ ને વસ્તુની દ્રષ્ટિમાં એવા ભેદ છે નહિ, બધું અભેદ એક છે. ભાઈ ! તારામાં તારું હોવાપણું કેવડું છે તેની તને ખબર નથી. ત્રણ લોકના દ્રવ્યો-દ્રવ્ય-ગુણ-પર્યાયો ત્રિકાળવર્તી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294