Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 276
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ર૬ર : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અા ! આત્મા (૧) પર્યાય અપેક્ષાએ અનેક છે ને દ્રવ્ય અપેક્ષાએ એક છે. (૨) પર્યાય અપેક્ષાએ નાશવાન છે ને દ્રવ્ય અપેક્ષાએ નાશવાન નહીં પણ ધ્રુવ છે. (૩) જ્ઞાન (જાણવાની) અપેક્ષાએ તેનો વિસ્તાર જોઈએ તો જાણે કે લોકાલોકને ગળી ગયો હોય તેટલો છે. અને બીજી તરફથી ક્ષેત્ર અપેક્ષાએ જોતાં તે પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ સમાયેલ છે. –આવો જ વસ્તુનો સ્વભાવ છે તેથી જ્ઞાનીને આશ્ચર્ય થતું નથી. અને તોપણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્દભુત પરમ આનંદ થાય છે અર્થાત આવા વસ્તુસ્વભાવને જ્યાં જોવા ને તેમાં ઠરવા જાય છે ત્યાં તેમને અદભુત આનંદ થાય છે. અને તેથી આશ્ચર્ય પણ થાય છે. એટલે કે તે અદ્દભુત આનંદને લઈને જ્ઞાનીને આશ્ચર્ય પણ થાય છે એમ કહે છે. અા ! અજ્ઞાનીને આવો તે વસ્તુસ્વભાવ હોય? –એમ આશ્ચર્ય થાય છે. જ્યારે જ્ઞાનીને આ આનંદ કયાંથી આવ્યો? –એમ આશ્ચર્ય ને આનંદ–બન્ને થાય છે. અહા ! પર્યાયમાં એકલું દુ:ખ ને એકલી આકુળતા હતી. કયાંય (પર્યાયમાં) ગંધમાત્ર પણ આનંદ નહોતો. તેમાં આ આનંદ કયાંથી-કઈ ખાણમાંથી–આવ્યો? ધ્રુવની ખાણમાંથી તે આનંદ આવ્યો છે. આ રીતે તેને આનંદ પણ થાય છે ને આશ્ચર્ય પણ થાય છે. કળશ-૨૭૪ ફરી આ જ અર્થનું કાવ્ય કહે છે (પૃથ્વી) कषायकलिरेकत स्खलति शान्तिरस्त्येकतो भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः। जगत्रितयमेकतः स्फुरति चिच्चकास्त्येकतः स्वभावमहिमात्मनो विजयतेऽद्भुतादद्भुतः ।। २७४ ।। શ્લોકાર્થઃ- [વત:વષય-ત્તિ: વૃતિ] એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને [9ત:શાન્તિઃ સ્તિ] એક તરફથી જોતાં શાન્તિ (કષાયોના અભાવરૂપ શાંત ભાવ) છે; [વત: મવઉપદતિ ] એક તરફથી જોતાં ભવની (-સંસાર સંબંધી) પીડા દેખાય છે અને [ ત: મુgિ: fપ ગૃતિ] એક તરફથી જોતાં ( સંસારના અભાવરૂપી) મુક્તિ પણ સ્પર્શે છે; [ Pવત: ત્રિતયમ નત રતિ] એક તરફથી જોતાં ત્રણ લોક સ્કુરાયમાન છે (-પ્રકાશે છે, દેખાય છે) અને [ ત: રિત વવસ્તિ ] એક તરફથી જોતાં કેવળ એક ચૈતન્ય જ શોભે છે. [ માત્મન: અદ્રુતાન ભડૂત: સ્વભાવ-મદિના વિનય?] (આવો) આત્માનો અદ્દભુતથી પણ અભુત સ્વભાવમહિમા જયવંત વર્તે છે (-કોઇથી બાધિત થતો નથી). ભાવાર્થ- અહીં પણ ૨૭૩ મા કાવ્યના ભાવાર્થ પ્રમાણે જાણવું. આત્માનો અનેકાંતમય સ્વભાવ સાંભળીને અન્યવાદીને ભારે આશ્ચર્ય થાય છે. તેને આ વાતમાં વિરુદ્ધતા ભાસે છે. તે આવા અનેકાંતમય સ્વભાવની વાતને પોતાના ચિત્તમાં સમાવી-જીરવી શકતો નથી. જો કદાચિત તેને શ્રદ્ધા થાય તો પણ પ્રથમ અવસ્થામાં તેને બહુ અદભુતતા લાગે છે કે “ અહો આ જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે; મેં અનાદિ કાળ આવા યથાર્થ સ્વરૂપના જ્ઞાન વિના ખોયો!'-આમ આશ્ચર્યપૂર્વક શ્રદ્ધાન કરે છે. ૨૭૪. * કળશ ૨૭૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અા !જુઓ, આ આત્મા એક વસ્તુ છે. તો સાધકપણામાં એના દ્રવ્ય-પર્યાયનું વાસ્તવિક સ્વરૂપ ધર્મને કેવું ભાસે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294