Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 267
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭ર : ૨૫૩ શ્લોકાર્થ:- (જ્ઞાની કહે છેઃ ) [ મમ તત્ત્વ સદનમ ] મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે [ વરિત મેવ૬ નસતિ] કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (-અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, [વરિત મેવ-*નેવ$] કોઈ વાર મેચક-અમેચક (બન્નેરૂપ) દેખાય છે [ પુન: હરિત લવચૂં] અને વળી કોઈ વાર અમેચક (-એકાકાર, શુદ્ધ ) દેખાય છે; [તથાપિ] તોપણ [પરસ્પર-સુનંદત-પ્રવેદ-શ-િવરું છુરત તત] પરસ્પર સુસંહત (સુમિલિત, સુગ્રથિત, સારી રીતે ગૂંથાયેલી) પ્રગટ શક્તિઓના સમૂહુરૂપે સ્કુરાયમાન તે આત્મતત્ત્વ [મનમ-મેધસાં મન:] નિર્મળ બુદ્ધિવાળાઓના મનને [ વિમોદયતિ] વિમોહિત કરતું નથી (-ભ્રમિત કરતું નથી, મૂંઝવતું નથી). ભાવાર્થ:- આત્મતત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે; તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી શ્રુત થતો નથી. ૨૭૨. * કળશ ૨૭૨: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * (જ્ઞાની કહે છે:) “મમ તમ સદનમ્ વ' મારા તત્ત્વનો એવો સ્વભાવ જ છે કે “વરિત મેઘવ તરસતિ' કોઈ વાર તો તે (આત્મતત્ત્વ) મેચક (–અનેકાકાર, અશુદ્ધ) દેખાય છે, ‘વવિદ્ મેવ–મેરું' કોઈ વાર મેચકઅમેચક (બન્નેરૂ૫) દેખાય છે ‘પુન: વાવિત ઉમેરું' અને વળી કોઈ વાર અમેચક (–એકાકાર, શુદ્ધ) દેખાય છે.... અહાહા...! શુદ્ધ ચિદાનંદઘન એક ચિન્માત્ર વસ્તુ હું આત્મા છું એવી જેને અંતર્દષ્ટિ થઈ છે તે સમ્યજ્ઞાની છે. અહા ! તે સમ્યજ્ઞાની પોતાના તત્ત્વને કેવું જાણે છે તેની આ સરસ વાત છે. કહે છે-કોઈ વાર મેચક અર્થાત્ પર્યાયમાં અશુદ્ધતા-મલિનતા-દુઃખ છે એમ જ્ઞાની જાણે છે. મલિનતા-દુઃખ પરના-નિમિત્તના કારણે છે એમ નહિ, પણ પોતાનું જ (પોતાથી) એવું પરિણમન છે એમ જ્ઞાની જાણે છે. પ્રવચનસાર, ૪૭ નયના અધિકારમાં કર્તા અને ભોક્તા નયની વાત લીધી છે. ત્યાં કહ્યું છે કે-જ્ઞાનીની પર્યાયમાં પોતાની કમજોરીથી રાગનું પરિણમન છે, રાગ કરવા લાયક છે એમ નહિ, છતાં તેને રાગનું પરિણમન છે તે અપેક્ષાએ રાગનો કર્તા-ભોક્તા હું છું એમ જ્ઞાની યથાર્થ જાણે છે. દષ્ટિ રાગને સ્વીકારતી નથી, કેમકે દષ્ટિનો વિષય એક અભેદ ચિત્માત્ર આત્મા છે, પણ સાથે સમ્યજ્ઞાન જે વર્તે છે તે એમ જાણે છે કે મારી દશામાં મેચકપણું-રાગાદિભાવરૂપ મલિનતા છે. જ્ઞાન સ્વપરપ્રકાશક છે ને? તો સ્વની સાથે પર્યાયમાં જે રાગ છે તેને તે જાણે છે. ગણધરાદિ ક્ષાયિક સમકિતી હોય તે પણ આવું જાણે છે. સમજાય છે કાંઈ...? જુઓ, આચાર્ય અમૃતચંદ્ર દેવે આ સમયસાર શાસ્ત્રની “આત્મખ્યાતિ’ નામની સંસ્કૃતમાં ટીકા લખી. મહાન ટીકા છે. અન્યમાં તો શું જૈનમાં પણ આવી ટીકા બીજે નથી. તેઓ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને પ્રચુર આનંદના ઝુલે ઝુલતા સંત-મુનિવર હતા. તેઓ ત્રીજા કળશમાં પોતાની સ્થિતિ બતાવતાં કહે છે: દ્રવ્યદૃષ્ટિથી (હું ) શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ છું, તોપણ મારી પરિણતિ રાગાદિ પરિણામોની વ્યાતિ છે તેનાથી નિરંતર કલ્માષિત (મેલી) છે. કહે છે મારી દષ્ટિ નિરંતર ચિત્માત્ર દ્રવ્ય-વસ્તુ ઉપર હોવા છતાં પર્યાયમાં મલિનતા છે એમ મારું જ્ઞાન જાણે છે. જ્યાં સુધી રાગની-કર્મની પૂર્ણ નિવૃત્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા-બને એક સાથે ચાલે છે. જેટલો રાગ છે એટલી કર્મધારા છે, ને તે છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે. તો સમકિતીને આગ્નવ-મલિનતા નથી, તે નિરાન્સવ છે-એમ શાસ્ત્રમાં આવે છે ને? હા, આવે છે. તે દૃષ્ટિ અપેક્ષાએ વાત છે. વળી તેને અનંતાનુબંધી કષાય નથી એમ સૂચવવા માટેની વાત છે. સમયસાર ગાથા ૭૫, કર્તાકર્મ અધિકારમાં લીધું છે કે-શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માની દૃષ્ટિ થઈ છે તેને આત્મા વ્યાપક થઈ શુદ્ધ પર્યાયનો વિસ્તાર કરે છે, અર્થાત્ શુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય છે, અશુદ્ધ પર્યાય તેનું વ્યાપ્ય કર્મ નથી. આ દષ્ટિ અપેક્ષાએ વાત છે. બાકી જ્ઞાનીને દૃષ્ટિ સાથે જે જ્ઞાન વર્તે છે તે યથાસ્થિત જાણે છે કે પર્યાયમાં કિંચિત કલુષિતતામલિનતા છે. એક બાજુ એમ કહે કે ચોથા ગુણસ્થાનથી શુદ્ધત્વ પરિણમન છે, અને બીજી બાજુથી એમ કહે કે છેકે ગુણસ્થાને પણ મલિનતા છે-આ કેવું? ભાઈ, જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ. એકાંત તાણવું ન જોઈએ. યથાખ્યાત ચારિત્ર ન આ રાગને સ્વીકારતા , છામાં મેચકપણુ-રાગ સમકિતી હોય હોય Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294