Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 270
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સારથીને હુકમ કર્યો કે-સીતાજીને જ્યાં સિંહ ને વાઘ હોય એવા જંગલમાં લઈ જાઓ, અને ત્યાં છોડી દો. અરરર! આવા પરિણામ! સારથી પણ સ્તબ્ધ થઈ ગયો, પણ શું કરે ? એક બાજુ નોકરી ને બીજી બાજુ રામચંદ્રનો હુકમ. સારથીએ સીતાજીને જંગલમાં છોડ્યાં તો પ્રથમ એકદમ આઘાત થયો, એમ કે આ શું? આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. થોડી વારમાં શાંત થયા પછી સીતાજીએ સારથીને કહ્યું કે “ રામચંદ્રજીને કહેજો કે હું ધર્માત્મા છું એમ જાણવા છતાં લોકાપવાદથી તમે મને તજી તો ભલે, પણ લોકાપવાદથી ધર્મ મા છોડશો; સમકિત ને આત્મશાંતિની દશાને મા છોડશો.” જુઓ, એ વખતે પણ આ અવાજ ! પર્યાયમાં રાગ છે, આર્ત પરિણામ છે એનું ભાન છે, અને સ્વભાવથી હું રાગ રહિત છું એનું પણ ભાન છે. આમ ધર્મી સમકિતી પુરુષ ભ્રમિત થતો નથી, પરંતુ જેમ છે તેમ માને છે. જુઓ, રામચંદ્રજી પણ પુરુષોત્તમ સમકિતી હતા. એમને પણ (પર્યાયમાં ) શુદ્ધતા અને રૌદ્રતા–બે ભાવ એક સાથે હોવા છતાં પોતાના સ્વભાવથી શ્રુત થયા નહિ. આ રીતે સ્યાદ્વાદના બળથી ધર્મી સ્વભાવથી શ્રુત થતા નથી. આવી વાત! સમજાણું કાંઈ...? કળશ-૨૭૩ આત્માનો અનેકાંતસ્વરૂપ (-અનેક ધર્મસ્વરૂપ ) વૈભવ અદભૂત (આશ્ચર્યકારક) છે-એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ (પૃથ્વી) इतो गतमनेकतां दधदितः सदाप्येकतामितः क्षणविभङ्गुरं ध्रुवमितः सदैवोदयात्। इतः परमविस्तृतं धूतमितः प्रदेशैर्निजै सहजमात्मनस्तदिदमद्भुतं वैभवम् ।। २७३।। શ્લોકાર્થઃ- [વદો માત્મનઃ તદ્ રૂમ સદનન મક્તું વૈભવમ] અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે– રૂત: અને છતાં તમ] એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને [ રૂત: સવા કિ વતામ વધત] એક તરફથી જોતાં સદાય એકતાને ધારણ કરે છે, [ રૂત: ક્ષણ: વિમ[૨૫] એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને [રૂત: સવા વ ૩યાત ઘુવમ] એક તરફથી જોતાં સદાય તેનો ઉદય હોવાથી ધ્રુવ છે, [રૂત: પરમવિસ્તતમ | એક તરફથી જોતાં પરમ વિસ્તુત છે અને [ત: નિર્ન: પ્રવેશ: વૃત] એક તરફથી જોતાં પોતાના પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે. ભાવાર્થ - પર્યાયદૃષ્ટિથી જોતાં આત્મા અનેકરૂપ દેખાય છે અને દ્રવ્યદષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે; ક્રમભાવી પર્યાયદષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે અને સહભાવી ગુણદષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે; જ્ઞાનની અપેક્ષાવાળી સર્વગત દૃષ્ટિથી જોતાં પરમ વિસ્તારને પામેલો દેખાય છે અને પ્રદેશોની અપેક્ષાવાળી દૃષ્ટિથી જોતાં પોતાના પ્રદેશોમાં જ વ્યાપેલો દેખાય છે. આવો દ્રવ્યપર્યાયાત્મક અનંતધર્મવાળો વસ્તુનો સ્વભાવ છે. તે (સ્વભાવ) અજ્ઞાનીઓના જ્ઞાનમાં આશ્ચર્ય ઉપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે! જ્ઞાનીઓને જોકે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તો પણ તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્દભુત પરમ આનંદ થાય છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે. ૨૭૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294