Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 264
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ જે અનંતાનંત છે તે બધાને જાણનારી તારી જ્ઞાનની દશા તે ખરેખર તારું જ્ઞય છે. તે દશા એકલી નહિ, પણ તારા દ્રવ્ય-ગુણ-પર્યાય તે બધું જ્ઞય છે. અહાહા...! તે સમસ્તનું (–પોતાનું) જ્ઞાન તે જ્ઞાન, તે સમસ્ત (–પોતે) ય અને પોતે જ્ઞાતા-એ ત્રણેય વસ્તુ એકની એક છે, ત્રણ ભેદ નથી. આવી ઝીણી વાત! જ્ઞાન-જ્ઞાતા-શય ત્રણે ભાવો સહિત વસ્તુમાત્ર પોતે એક છે. * કળશ ૨૭૧: ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહાહા...! બહુ સરસ ભાવાર્થ છે; વસ્તુના મર્મનું માખણ છે. કહે છે પોતાના દ્રવ્ય ઉપર દૃષ્ટિ આપતાં પોતે જ જ્ઞાતા, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞય છે એમ અનુભવાય છે, છ દ્રવ્ય જ્ઞય, હું જ્ઞાન અને હું જ્ઞાતા એમ અનુભવાતું નથી; કેમકે પરમાર્થે પર સાથે જ્ઞય-જ્ઞાયક સંબંધ છે જ નહિ. આવી વાત ! કહે છે-“જ્ઞાનમાત્ર ભાવ જાણનક્રિયારૂપ હોવાથી જ્ઞાનસ્વરૂપ છે.' જુઓ, શું કીધું? કે જ્ઞયો જગતના છે તેને જાણવારૂપ જાણનક્રિયા તે જ્ઞાન–સ્વરૂપ છે, શયસ્વરૂપ નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્ય જણાય છે તે ખરેખર છ દ્રવ્ય જણાતા નથી, પણ છ દ્રવ્ય સંબંધી પોતાનું જે જ્ઞાન તે જણાય છે અને તે ખરેખર આત્માનું જ્ઞય છે. પરશેય જણાય છે એમ કહેવું એ તો વ્યવહાર છે. શેય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જાણવારૂપ થઈ તે એનું શય છે, ઓલું (પરય) નહિ, કેમકે પોતામાં પોતાની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ છે (પરનું નહિ). અહાહા...! છ દ્રવ્યને જાણવાની જ્ઞાનની પર્યાય પોતાની છે, તેને છ દ્રવ્યનું જ્ઞાન કહેવું તે વ્યવહાર છે; જ્ઞય-જ્ઞાન શયનું નથી, પણ જ્ઞાનનું જ્ઞાન છે, જાણનક્રિયારૂપભાવ જ્ઞાનસ્વરૂપ છે. ૫. જયચંદજી એ જ સ્પષ્ટ કરે છે “વળી તે પોતે જ નીચે પ્રમાણે શેયરૂપ છે. બાહ્ય જ્ઞયો જ્ઞાનથી જુદાં છે, જ્ઞાનમાં પેસતાં નથી; યોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકારરૂપ દેખાય છે પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો (તરંગો) છે. તે જ્ઞાનકલ્લોલો જ જ્ઞાન વડ જણાય છે.' અાહા...! જુઓ, બાહ્ય જ્ઞયો–રાગાદિકથી માંડી છએ દ્રવ્યો પોતાના આત્માથી (-પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેથી) જુદાં છે. જો તે જુદાં ન હોય તો એક હોય, પણ એમ કદી બનતું નથી, છે નહિ. - રાગનું જ્ઞાન થાય તેમાં કાંઈ રાગ જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. કેવળીને લોકાલોકનું જ્ઞાન થયું તો લોકાલોક કાંઈ જ્ઞાનમાં પેસી ગયાં નથી. ઘટનો જાણનાર ઘટ-રૂપે થતો નથી. વળી ઘટનો જાણનાર વાસ્તવમાં ઘટને જાણે છે એમ નથી. સ્વપરને જાણવાના જ્ઞાનરૂપે સ્વયં આત્મા જ થાય છે. ઘટને જાણવાના જ્ઞાનરૂપે આત્મા થાય છે; તેથી ઘટનું જ્ઞાન નહિ, પણ આત્માનું જ જ્ઞાન છે. પોતાનામાં તો પોતાના જ્ઞાનપરિણામનું અસ્તિત્વ છે, જ્ઞયનું નહિ. આત્માનો “જ્ઞ' સ્વભાવ છે, ને “જ્ઞ’ સ્વભાવી આત્મામાં જાણનક્રિયા થાય તે પોતાથી થતી પોતાની ક્રિયા છે, એમાં પરયનું કાંઈ જ નથી. આમ ય સંબંધી પોતાના જ્ઞાનનું જે પરિણમન થયું તે ય પોતે, જ્ઞાન પોતે જ, ને પોતે જ જ્ઞાતા છે. સમજાણું કાંઈ...? શેયોના આકારની ઝલક જ્ઞાનમાં આવતાં જ્ઞાન જ્ઞયાકાર દેખાય છે, પરંતુ એ જ્ઞાનના જ કલ્લોલો છે. જુઓ, જ્ઞાન જ્ઞયાકાર છે એમ નહિ, એ તો મને જાણવા પ્રતિ તેવા જ્ઞાનાકારે જ્ઞાન પોતે જ થયું છે. જ્ઞયનું તેમાં કાંઈ જ નથી. જ્ઞય જ્ઞાનમાં પેઠું છે એમ છે જ નહિ; અર્થાત્ જ્ઞાન યરૂપે થાય છે એમ છે જ નહિ. જ્ઞાન જ્ઞાનાકાર જ છે, એ જ્ઞાનના જ કલ્લોલો છે. અાહ...! કેવું ભેદજ્ઞાન કરાવ્યું છે! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! જરા ધીરો થઈને સાંભળ. કહે છેઆત્મા પરને કરે કે પરથી આત્મામાં કાંઈ થાય એ વાત તો જવા દે, એ વાત તો છે નહિ, પણ પર જ્ઞાનની પર્યાયમાં જણાય, જ્ઞાન પરને જાણે કે પરય જ્ઞાનની પર્યાયમાં આવે-પેસે એમ પણ છે નહિ. વસ્તુ-દ્રવ્ય એક જ્ઞાયકભાવપણે છે તે પોતે જ્ઞાનની પર્યાયપણે, જાણનક્રિયારૂપે થાય છે તે પોતાની સ્વપરપ્રકાશકની ક્રિયા છે. એમાં પર જણાય છે એમ કહેવું તે વ્યવહાર છે બસ. પર જણાતું નથી, પોતાની જાણ નક્રિયા જાણવારૂપે છે તે જણાય છે. ભગવાન! તું આવડો ને આવો જ છે; બીજી રીતે માને તો તારા સ્વભાવનો ઘાત થશે. સર્વજ્ઞ પરમેશ્વર કહે છે-લોકાલોક જણાય એવડી તારી પર્યાય નથી, તારી જ્ઞાનપર્યાયને તું જાણ એવું તારું સ્વરૂપ છે. લોકાલોકને જાણવું એમ કહેવું એ અસદ્દભૂત વ્યવહાર છે, જૂઠો વ્યવહાર છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294