Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 260
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૨૪૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ “ચાર ગતિ દુ:ખથી ડરે તો તજ સૌ પરભાવ' અહાહા...! સંસારમાં ચારે ગતિ દુ:ખરૂપ છે. સ્વર્ગમાં દેવ પણ દુઃખી છે, અને મનુષ્યમાં કરોડપતિ, અબજોપતિ ને મોટા મોટા રાજા-ચક્રવર્તી પણ દુઃખી છે. સંસાર એટલે જ દુઃખ બાપુ! અહા ! આવા દુઃખમય સંસારથી છૂટવું હોય એના માટે આ વાત છે. સમજાય છે કાંઈ....? અહા ! દિગંબર સંતોની કથનીમાં અપાર ઉંડાણ ભર્યું હોય છે. અહાહા....! ભગવાન! તું કોણ છો? તો કહે છે-અનંત ગુણરત્નાકર-ચૈતન્યરત્નાકર-જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ તું છો. હું આવો છું એમ હા તો પાડ, હા પાડે તો હાલત થશે. બાકી હા પાડે તોય આવો છો. ને ના પાડ તોય આવો છો. અહા ! આવા આત્માને, કહે છે, નયોની દૃષ્ટિથી ખંડખંડ કરવામાં આવતાં તત્કાળ નાશ પામે છે. એટલે શું? કે તેના એક એક ધર્મને એક એક નયથી લક્ષમાં લેતાં આખો આત્મા ખંડમંડ થઈ જાય છે. એક અભેદ સ્વરૂપને નય-ધર્મથી જોતાં વા ગુણભેદથી જોતાં અભેદનો નાશ થઈ જાય છે, અર્થાત અભેદ દૃષ્ટિમાં આવતો નથી. લ્યો, હવે જ્યાં આવું છે ત્યાં વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભરાગથી ધર્મ થાય એ કયાં રહ્યું? જુઓ, અજ્ઞાનીને પોતાની ચૈતન્યવતુ ગાયબ છે. તેની પ્રાપ્તિ કેમ થાય તેની આ વાત છે. તો કહે છેઆત્મા વસ્તુએ અભેદ એક છે, તેમાં અનંત ગુણ છે, પણ અનંત ગુણમય વસ્તુ અભેદ એક છે. અહા ! આવા આત્માને એક એક નયથી જોતાં આત્મવસ્તુ આખી ખંડખંડ થઈ જાય છે, અર્થાત્ પૂર્ણ આત્મવસ્તુ દષ્ટિમાંથી ખોવાઈ જાય છે, જ્ઞાન અને દૃષ્ટિમાં આત્મવસ્તુની પ્રાપ્તિ થતી નથી. અહાહા...! એક એક નયથી જોતાં એક એક નય-ધર્મ ઉપસી આવે છે, તત્સંબંધી વિકલ્પ ઉઠે છે, પણ અખંડ અભેદ વસ્તુ લક્ષમાં આવતી નથી. આત્માને ભેદથી જ્યાં દષ્ટિમાં લેવા જાય છે ત્યાં ભેદ-વિકલ્પ ઉઠે છે, પણ અભેદ લક્ષમાં આવતો નથી, એટલે દષ્ટિમાં તે ક્ષણે તે ગૂમ થઈ જાય છે. અહાહા...! પરથી ને રાગથી આત્માની પ્રાપ્તિ થવાનું તો દૂર રહો, અહીં કહે છે–આત્માને તેના એક એક ગુણથી જોવા જતાં તેની પ્રાપ્તિ થતી નથી. અહાહા..! શું કળશ છે ! ગજબની વાત ભાઈ કહે છે–બીજી વાત (નિમિત્તથી ને વ્યવહારથી થાય એ વાત) તો તું જવા દે, જાણવા લાયક જે શય છે એવો તારો અખંડ એક આત્મપદાર્થ તેને જાણવામાં, તેમાં રહેલી અનંત શક્તિઓને ભેદ પાડીને જોવા જતાં, કહે છે, એકરૂપ આત્મપદાર્થ દષ્ટિમાં આવતો નથી, પરંતુ વિકલ્પ ઉઠે છે, આ રીતે આત્મપદાર્થ શ્રદ્ધા-જ્ઞાનમાં નાશ પામે છે; અર્થાત્ ભગવાન જ્ઞાયકનું યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન ઉદય પામતું નથી. શુભરાગથી-વ્યવહારથી ને નિમિત્તથી ધર્મ થાય એ તો એકકોર કાઢી નાખ્યું, કેમકે એ તો આત્માના અસ્તિત્વમાં જ નથી, ભિન્ન ચીજ છે. આ તો એનામાં જે છે એની વાત છે. ભાઈ, તારા તત્ત્વમાં અનંત ગુણ છે, તે હોતાં એક એકને ભેદ પાડીને લક્ષમાં લેતાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, અભેદ એકરૂપ દ્રવ્યની દષ્ટિ થતી નથી. આવો મારગ છે. જ્ઞાન અને દષ્ટિનો દોર અભેદ એક દ્રવ્ય પર હોવો જોઈએ. વ્યવહાર હો, પણ એની અંતર્દષ્ટિમાં કાંઈ જ કિંમત નથી. આવો મારગ તો સરળ છે બાપુ! પણ એને જે રીતે છે તે રીતે નિઃસંદેહુ બેસવો જોઈએ. અરે, લોકો તો નિમિત્ત ને વ્યવહારમાં અટકયા છે, પણ એ માર્ગ નથી, કેમકે નિમિત્ત ને વ્યવહાર આત્માની ચીજ જ નથી. આવી વસ્તુસ્થિતિ છે. હવે આચાર્યદેવ પોતાની વાત કરે છે. કહે છે- ‘તસ્મત' માટે હું એમ અનુભવું છું કે- ‘અનિરાવૃત–વમ્ બરવન્ડમ્' જેમાંથી ખંડોને નિરાકૃત કરવામાં આવ્યાનથી છતાં જે અખંડ છે, “ઈમ્' એક છે, ‘ઇવાન્ત શાન્ત' એકાંત શાંત છે ( અર્થાત્ જેમાં કર્મના ઉદયનો લેશ પણ નથી એવા અત્યંત શાંત ભાવમય છે) અને ‘ગતમ્' અચળ છે (અર્થાત કર્મના ઉદયથી ચળાવ્યું ચળતું નથી) એવું ‘વિદ્ મદ: અદમ રિમ' ચૈતન્યમાત્ર તેજ હું છું. જોયું? આત્મામાંથી ભેદોને નિરાકૃત અર્થાત રદબાતલ નથી કર્યા, બહિષ્કૃત નથી કર્યા, આત્મામાં અનંત ગુણ છે ખરા, તથાપિ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયક વસ્તુ છે, ને એ અખંડની દષ્ટિ કરવાથી આત્માની પ્રાપ્તિ થાય છે, ભેદની દૃષ્ટિથી નહિ; ભેદની દૃષ્ટિથી તો વિકલ્પ ઉઠે છે, નિર્વિકલ્પતા થતી નથી. અહાહા...! અનંત ગુણનું એકરૂપ આત્મા –આવું આત્મસ્વરૂપ સર્વજ્ઞ સિવાય કોણ કહે ? બીજાઓ તો મતિકલ્પનાથી કહે છે, પણ તે સત્ય નથી, મિથ્યા છે. અહાહા..! આવી આત્મવસ્તુ એકાંત શાંત છે, સર્વથા શાંત છે. શાંત... શાંત.. શાંતસ્વરૂપ જ આત્મા છે એમ, કહે છે, અમે અનુભવીએ છીએ. અહાહા..! દષ્ટિનો વિષયભૂત આત્મા અખંડ અભેદ છે, એક છે ને એકાંત Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294