Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 251
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૬૭ : ૨૩૭ અને ધર્મી પુરુષની ધર્મ પરિણતિનો સહુચર જાણી તેને ઉપચારથી સંયમ કહેલ છે. સમજાણું કાંઈ...? અહાહા...! મહાન વૈભવશીલ એવા રાવણને એક સ્ફટિકનો મહેલ હતો. એના સ્ફટિક એવા ઝળહળતા પ્રકાશિત હતા કે કોઈ દુશ્મન ત્યાં જાય તો પગ કયાં ધરવો તે ખબર ન પડે એટલે તરત પકડાઈ જાય. તેમ આ આત્મા ચૈતન્યનો મહેલ એવા ચૈતન્યના પ્રકાશથી ભરપુર ઝળહળતો ઉજ્વળ છે કે ત્યાં મોટુ આદિ દુશ્મનો તરત જ પકડાઈ જાય છે. અહાહા...! ચૈતન્યહીરલો ચૈતન્ય પ્રકાશનો પુંજ એવો છે કે એમાં ચરણ ધરતાં, ચરતાં-વિચરતાં મોહાંધકારનો નાશ થઈ જાય છે, ને પ્રબળ પવિત્ર ઉજ્વળ ચારિત્રનો પ્રકાશ પ્રગટ થાય છે. લ્યો, આનું નામ સંયમ છે. શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો, પછી એવા જ અનુભવમાં સ્થિર થઈને રહેવું તે સંયમ છે. ત્યારે કોઈ વળી કહે છે–આચાર્ય કુંદકુંદદેવ પણ અહિંસાદિ મહાવ્રત પાળતા હતા, અમે કેમ ન પાળીએ ? અરે ભાઈ ! તને આચાર્યદેવના અંતરના સ્વરૂપની ખબર નથી. મુખ્યપણે તેઓ શુદ્ધોપયોગમાં જ સ્થિતલીન હતા; નિરંતર શુદ્ધોપયોગની જ તેમને ભાવના હતી, વ્રતાદિની નહિ. તેમનો જ આ સંદેશ છે કેપંચમહાવ્રતાદિનો વિકલ્પ રાગ છે, જ્યારે અંતરમાં સ્વરૂપ-સ્થિરતા કરવી તે સંયમ નામ ચારિત્ર છે. પંચમહાવ્રતાદિનો વિકલ્પ હોય છે ખરો, પણ તે કાંઈ સંયમ નથી, ખરેખર તો (નિશ્ચયથી) તે હેય એવો અસંયમ, અચારિત્ર જ છે. હવે આવી વાત આકરી લાગે પણ આ સત્ય વાત છે. અહા ! ધર્માત્મા, સંયમી-મુનિ નિરંતર પોતાના શુદ્ધ સ્વરૂપને ભાવે છે. આમાવલોકનમાં આવે છે કે-મુનિઓ વારંવાર વીતરાગતાનો ઉપદેશ આપે છે, શુદ્ધ સ્વરૂપમાં રમણતા કર-એવો જ ઉપદેશ તેઓ આપે છે. રાગ કરવાની તો વાત જ નથી ભાઈ ! (વ્રતાદિનો) રાગ હોય છે એ જુદી વાત છે, ને રાગને કરવો–એ જુદી વાત છે. અરે, જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવની પણ મુનિવરોને ભાવના હોતી નથી. શું આસ્રવને ધર્મી ભાવે? કદીય ન ભાવે. અહાહા..! કહે છે-નિરંતર જે પુરુષ ઉપયોગને સ્વસ્વરૂપમાં ઉપયુક્ત કરી નિજ શુદ્ધાત્માને ભાવે છે. “સ: 5:' તે જ એક (પુરુષ), ‘જ્ઞાન-શિયા-ન-પરસ્પર–તીવ્ર–મૈત્રી–પાત્રી ત:' જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીના પાત્રરૂપ થયેલો, ‘રૂના ભૂનિમ્ શ્રત' આ (જ્ઞાનમાત્ર નિજભાવમય ) ભૂમિકાનો આશ્રય કરે છે. અહાહા.! લ્યો, જ્ઞાન અને ક્રિયા નામ ચારિત્ર-બન્નેની મૈત્રીના પાત્રરૂપ થયેલો તે એક જ જ્ઞાનમાત્ર ભૂમિકાને આદરે છે; તે એક જ સાધકપણાને પામે છે, બીજા રાગમાં રોકાયેલા છે તેઓ સાધકપણાને પ્રાપ્ત થતા નથી. અહાહા...! શું કળશો છે! કોઈને મોઢામાં અમી ન આવતું હોય, ને તેને સો-બસો આંબલીના કાતરાના ઢગ વચ્ચે બેસાડીએ તો મોંમાં પાણી વળી જાય, ને અમી આવે, તેમ આચાર્ય અમૃતચંદ્રદેવે અહીં અમૃતમય કળશોનો ઢગ ખડો કર્યો છે. અહા ! જે એની મધ્યમાં જાય અર્થાત તેનું અવગાહન કરે તેને અંદર અમૃતરૂપી અમી ઉછળી જાય છે. અહાહા...! અંદર અમીનો સાગર ઉછાળે એવા આ કળશો છે. અહાહા...! કહે છે-જે પુરુષ સ્યાદ્વાદમાં પ્રવીણતા અને સુનિશ્ચળ સંયમ વડે, શુદ્ધાત્મામાં ઉપયુક્ત થયો થકો પોતાને જ ભાવે છે તે પુરુષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ થયો થકો સાધકપણાને પામે છે; ને સિદ્ધ થઈ જાય છે. * કળશ ૨૬૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જે જ્ઞાનનયને જ ગ્રહીને ક્રિયાનયને છોડે છે, તે પ્રમાદી અને સ્વચ્છંદી પુરુષને આ ભુમિકાની પ્રાપ્તિ થઈ નથી.” જુઓ, શું કીધું? કે એકલું શાસ્ત્રનું જાણપણું કરે, પણ અંતર્દષ્ટિ પ્રગટ કરી અશુદ્ધતાને ટાળે નહિ તે પ્રમાદી અને સ્વચ્છંદી છે. એવા શુષ્કજ્ઞાનીને અંતરમાં સાધકપણું પ્રગટતું નથી. શાસ્ત્રનું જાણપણું ખૂબ કરે તેથી ક્ષયોપશમનો વિકાસ તો થાય, પણ એમાં શું? અંદર પરમ પુનીત શુદ્ધભાવમય આત્માને જાણે નહિ, ને એકાંતે જ્ઞાનનયને ગ્રહે તે પુરુષ અશુદ્ધતા ટાળીને અંદર જતો નથી. એવા પ્રમાદી સ્વચ્છંદી પુરુષને ભૂમિકાની-સાધકપણાની દશાની પ્રાપ્તિ થતી નથી. વળી, “જે ક્રિયાયને જ ગ્રહીને જ્ઞાનનયને જાણતો નથી, તે (વ્રત-સમિતિ-ગુણિરૂપે) શુભકર્મથી સંતુષ્ટ પુરુષને પણ આ નિષ્કર્મ ભૂમિકાની પ્રાપ્તિ થઈ નથી.” જુઓ, દયા, દાન, વ્રત, તપ, સમિતિ, ગુતિ ઇત્યાદિના શુભભાવમાં જેઓ સંતોષાઈ જાય છે, અર્થાત આ શુભભાવથી ધર્મ થાય છે એમ જેઓ માને છે તેઓ જ્ઞાનનયને જાણતા નથી. તેમને શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનું ભાન નથી. ભાઈ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294