________________
૫ ૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૧
સપુરુષના વાક્ય વાકયે અનંત આગમ વ્યાપે,
માત્ર મંત્રફૅપ શબ્દ ઘણાનાં ભવદુઃખ સર્વે કાપે. -અહોહો. ૨૯ અર્થ :- “સપુરુષના એકેક વાક્યમાં, એક એક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે.' (વ.પૃ.૨૪૬)
સપુરુષના વાક્ય વાક્ય અનંત આગમ વ્યાપેલ છે. સત્પરુષે આપેલ માત્ર મંત્રરૂપ શબ્દ સહજાત્મસ્વરૂપ પરમગુરુ” ઘણાના ભવદુઃખને કાપવા સમર્થ થયેલ છે. માટે સત્પરુષના સત્કૃતનો મહિમા તો અપરંપાર છે. રા.
વિષય-કષાયે જે દિન વીત્યા તે તો સર્વે ભૂંડા,
સન્શાસ્ત્રોના અભ્યાસે જે વીતે તે દિન રૂડા. -અહોહો૩૦ અર્થ - વિષયકષાયના ભાવોમાં આજ સુધી જે દિવસો વ્યતીત થયા તે સર્વે ભૂંડા છે પણ સન્શાસ્ત્રોના અભ્યાસે જે દિવસો વ્યતીત થશે, તે જ રૂડા છે. નથી ઘર્યો દેહ વિષય વઘારવા; નથી ઘર્યો દેહ પરિગ્રહ ઘારવા.' - શ્રીમદ્ રાજચંદ્ર ૩૦ના
સન્શાસ્ત્રોના સ્વાધ્યાયે શુભ ધ્યાન વિષે મન રાખો,
પ્રમાદ, પાતક તો ઝટ છૂટે, ઉપશમ-અમીરસ ચાખો. -અહોહો૦૩૧ અર્થ :- સલ્ફાસ્ત્રોના સ્વાધ્યાય વડે શુભ ધ્યાનમાં મન રાખો તો પ્રસાદ અને પાતક એટલે પાપોથી શીધ્ર છૂટકારો થશે અને સ્વાધ્યાયવડે કષાયોનું શમન થવાથી ઉપશમરૂપ અમૃતરસનો આસ્વાદ મળશે. ૩૧ાા
સન્શાસ્ત્રોના સેવન વિણ તો ભવ, તન, ભોગાદિમાં,
વૃત્તિ ફરતી કદી ન અટકે, ક્યાંથી વિરાગ વઘે ત્યાં?–અહોહો. ૩૨ અર્થ:- સન્શાસ્ત્રોના સેવન વિના તો ભવ એટલે સંસાર, તન એટલે શરીર અને ભોગ એટલે પાંચ ઇન્દ્રિયો આદિના વિષયોમાં ફરતી વૃત્તિ કદી અટકે નહીં. તો પછી તે પ્રત્યે વૈરાગ્ય ક્યાંથી આવશે?
“શાસ્ત્રને જાળ સમજનારા ભૂલ કરે છે. શાસ્ત્ર એટલે શાસ્તાપુરુષનાં વચનો. એ વચન સમજાવા દ્રષ્ટિ સમ્યક્ જોઈએ.” -શ્રીમદ્ રાજચંદ્ર (વ.પૃ.૬૬૩) /૩રા
આગમના અભ્યાસે ઉજ્વલ સૌ વ્યવહાર સઘાતો,
પોષાયે પરમાર્થ-વિચારો, ઉજ્વલ યશ ફેલાતો.અહોહો૩૩ અર્થ - મહાપુરુષો દ્વારા રચિત આગમનો અભ્યાસ કરવાથી અથવા આત્મજ્ઞાની મહાપુરુષોના વચનામૃતના અભ્યાસથી સૌ વ્યવહાર પણ ઉજ્જવલ રીતે અથવા પરમાર્થને પોષે એમ સઘાય છે. તેથી પરમાર્થના એટલે જીવને આત્માર્થ સાધવાના વિચાર પણ ઉદ્ભવે છે. જેના પરિણામે સહજ ઉજ્વલ યશ પણ જગતમાં ફેલાય છે.
તે આગમોની રચના મહાપુરુષોએ શા માટે કરી છે તેનું કારણ પરમકૃપાળુદેવ જણાવે છે :
તે પુરુષનાં વચનો આગમસ્વરૂપ છે, તો પણ વારંવાર પોતાથી વચનયોગની પ્રવૃત્તિ ન થાય તેથી, તથા નિરંતર સમાગમનો યોગ ન બને તેથી, તથા તે વચનનું શ્રવણ તાદ્રશ સ્મરણમાં ન રહે તેથી, તેમજ કેટલાક ભાવોનું સ્વરૂપ જાણવામાં પરાવર્તનની જરૂર હોય છે તેથી, અને અનુપ્રેક્ષાનું બળ વૃદ્ધિ પામવાને અર્થે વીતરાગધ્રુત, વીતરાગ શાસ્ત્ર એક બળવાન ઉપકારી સાઘન છે; જો કે તેવા મહાત્માપુરુષ દ્વારા જ